શરીર ને તંદુરસ્ત અને ફિટ રાખવા માટે દરેક ના પ્રકારના ફાળો નું સેવન કરવું જોઈએ. દરેક ફળની પોતાની આગવી વીશેષતા હોય છે. માટેેે, સીઝન મુજબ મળતા ફળોનું સેવન અવશ્ય કરવું જોઈએ. જેથી કરી ને આપણને એના ગુણકારી લાભ મેળવી શકીયે. દરેક પ્રકારના ફળોના ફાયદા અલગ અલગ હોય છે. આજે આપણે ગુણકારી એવા ફળ દાડમની દાડમ વિશેની જાણકારી મેળવીશું.
આજના આ આર્ટિકલમાં દાડમ ખાવાના ફાયદા, દાડમના રસના ફાયદા, dadam na fayada in gujarati, pomegranate benefits, દાડમમાંથી બનતું દાડિમાષ્ટક ચૂર્ણ કેવી રીતે બનવાનું તથા, દાડિમાષ્ટક ચૂર્ણનો ઉપયોગ કયા રોગમાં કરવો એની સંપૂર્ણ જાણકારી મેળવીશું.
દાડમ ખાવાના ફાયદા । Dadam khava na fayda
દાડમના રસમાં વિટામિન A , વિટામિન C , વિટામિન E અને ફોલિક એસિડ, આયર્ન, પોટેશિયમ, ઝિંક પણ હોય છે. આમ, દાડમના રસ વિટામિન્સનો સારો સ્ત્રોત ગણવામાં આવે છે. દાડમના ફાયદા – dadam na fayada
દાડમના ફૂલને છાંયડે સૂકવીને બારીક પીસી લઈને એનું ચૂર્ણ બનવાનું. એ ચૂર્ણનું દંતમંજનમાં ઉપયોગ લઇ ને દિવસમાં 2 વાર દાંત પર ઘસો. આ ઉપાયથી દાંત મજબૂત બનશે. અને, સાથે સાથે પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા પણ દૂર થશે. – dadam na faida
500 ગ્રામ પાણીમાં દાડમના 100 ગ્રામ પાંદડા ઉમેરીને ઉકાળો. ઉકાળ્યા બાદ, જ્યારે ચોથા ભાગનું પાણી રહીજાય ત્યારે ગેસ બંધ કરી, એમાં 75 ગ્રામ ખાંડ અને 75 ગ્રામ ઘી મિક્સ કરો. આમ, તૈયાર થયલે મિશ્રણને વાઈના દર્દીને સવાર-સાંજ પીવડાવાથી વાઈની સમસ્યા દૂર થાય છે.
દાડમના જ્યુસના ફાયદા | Pomegranate Juice Benefits
શારીરિક ગરમી ને કારણે મોમાં ચાંદા પડતા હોય છે. અડધા લીટર પાણીમાં 10 ગ્રામ દાડમના પાંદડા ઉમેરીને તેને ઉકાળો. આ પાણી ઉકળીને અડધું રહી જાય એટલે ઠંડુ પાડવાદો. ત્યાર બાદ એ પાણીથી કોગળા કરવામાં આવેતો મોંના ચાંદાઓમાં તરત રાહત મળે છે.
રોજ દાડમનું જ્યુસ પીવાથી શરીરમાં લોહીનું પરભ્રમણ સારી રીતે થાય છે. જેને લીધે થઇ ને હાર્ટ એટેક અને લખવા જેવી બીમારીનો ખતરો પણ ઓછો થઈ જાય છે. દાડમમાં રહેલું ફોલિક એસિડ લોહીમાં રહેતી આર્યનની ખામી દૂર કરે છે. અને, એનિમિયા જેવી બીમારીઓથી છુટકારો અપાવે છે. – dadam na ras na fayda
દાડમનો રસ એન્ટીઓક્સીડેન્ટસ થી ભરપૂર હોય છે. જે શરીરમાંથી ટોક્સિન બહાર કાઢે છે. દાડમના નિયમિત સેવનથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેથી નિયમિત રીતે દાડમ ખાવાથી સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સ અને ફેફસાનું કેન્સર જેવી જીવલેણ બીમારી થવાની સંભાવના ઘટી જાય છે.
Pomegranate Benefits In Gujarati | દાડમના ફાયદા
જે પણ પુરુષને પેશાબ વાટે સ્પર્મ નીકળવાની સમસ્યા રહેતી હોય એમણે દાડમનો રસ પીવો જોઈએ. 50 ગ્રામ દાડમનો રસમાં 1 ગ્રામ એલચીનો ભૂકો અનેઅડધો ગ્રામ સૂંઠનો પાઉડર મિક્સ કરીને પીવાથી આ સમસ્યા દૂર થાય છે. મોટી ઉંમરના માણસોમાં જોવા મળતી એલ્ઝાઈમર નામની બીમારીથી પણ દાડમ ના સેવનથી છુટકારો મળે છે.
રોજ દાડમના રસનું – Pomegranate Juice સેવન કરવાથી ત્વચામાં નિખાર આવે છે. દાડમનો રસ ત્વચાના મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાને ચમકીલી બનાવે છે. દાડમના દાણાને દહીં નાખીને ક્રશ કરેલી પેસ્ટ ત્વચા પર લગાવવામાં આવે તો ગરમી ના કારણે કાળી પડી ગયેલી ત્વચામાં નિખાર આવે છે.
ગરમીની સીઝનમા દાડમને સલાડ રૂપે આહારમાં ઉમેરી લેવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. ઝાડા થઇ ગયા હોય તો પણ દાડમનું સેવન કરીને તકલીફથી છુટકારો મેળવી શક્ય છે. દાડમ ખાવાથી દાંતની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. શરીરમાં રહેતી લોહીને કમીને ઝડપથી દૂર કરવા માટે દાડમ નો ઉપયોગ કરી શકાય છે. દાડમનો રસ શરીરમાં નેચરલી લોહીને વધારવામાં મદદ કાર છે.
લાલ દાડમમાં લોહતત્વ વધારે પ્રમાણમાં હોય છે. વૈજ્ઞાનિકોના મત અનુસાર દાડમમાં ૧૫ ટકા સુધીની શર્કરા હોય છે. દાડમ બળ અને બુદ્ધિ વધારનાર ફળ છે. અવાજ બેસી ગયો હોય તો, પાકું દાડમ ખાવાથી અવાજ ઉઘાડે છે. દાડમના દાણામાંથી બનાવેલું સરબત પિત્તનાશક અને રુચિકર હોય છે. દાડમ ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે – Pomegranate Juice Benefits
દાડમ ખાવાના નુકસાન | Dadam khava na nuksan
- લો બ્લડ પ્રેશરની સમસ્યા વાળા વ્યક્તીએ દાડમનું સેવન બહુજ ઓછી માત્રામાં કરવું જોઈએ.
- જો, તમે ડાયેટ પર છો તો દાડમના જ્યૂસનું સેવન કરવું નહીં, કારણકે દાડમના જ્યુસ માં કેલેરીની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. અને વધુ પડતી કેલરી વાળો જ્યુસ વજન વધારી શકે છે.
- જે વ્યક્તી લીવરની સમસ્યાથી પીડાતી હોય તો, એને દાડમ નું સેવન કરવું જોઇએ નહીં. કારણકે, દાડમ માં રહેલું એઝાઈમર લીવરની કામગીરીમાં અડચણ રૂપ બની શકે છે.
દાડમની છાલ અને પાંદડાના ઘરગથ્થુ ઉપચાર
- જો આંખ દુખતી હોય તો, દાડમ ની છાલ અને પાંદડા વાટી, આંખો બંધ કરીને એ વાટેલા પાંદડા અને છાલ મુકવાથી દુખતી આંખોમાં રાહત મળે છે.
- સગર્ભા સ્ત્રી નું શરીર અને હૃદય કમજોર રહેતું હોય તો, ખાટામીઠા દાડમના દાણાનું સેવન કરવામાં આવે તો કમજોરી દૂર થઇ શકે છે. અને નબળાઈ દૂર થાય છે.
- હરસ-મસામાં માં જો લોહી પડતું હોય તો, દાડમની છાલનું ચૂર્ણ નાગકેસર સાથે મિક્સ કરીને પીવાથી હરસ-મસામાં પડતું લોહી બંધ થાય છે. એ ઉપરાંત હરસ-મસામાં દાડમનો રસ પીવાથી પણ ઘણોખરો ફાયદો થાય છે.
- ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીને વધુ પડતી ઉલટી થતી હોય છે. તો, દાડમનો રસ પીવડાવામાં આવે તો ઉલટીમાં રાહત મળે છે.
- જેને વારંવાર ઉધરસ થતી હોય તો, દાડમ ની છાલનો ટુકડો મોમાં રાખી ને એ છાલનો રસ ચૂસવાથી ઉધરસ માટે છે.
- દાડમની છાલ પાચન શક્તિ માં વધારો કરે છે.
- જૂનો મરડો રહેતો હોય એને, દાડમની છાલ ઉકાળી ને લવિંગ સાથે આપવાથી મરડામાં રાહત મળે છે. આ ઉપાય બીજા ઉપાયો કરતા પણ વધારે ગુણકારી છે.
દાડિમાષ્ટક ચૂર્ણ
ચૂર્ણ બનાવવાની રીત :-
32 ભાગ દાડમનાં સૂકા દાણા અને 32 ભાગ સાકરનું ચૂર્ણ લેવું, નાગકેસર, તજ, તમાલપત્ર, એલચી ચુર્ણના પણ 2 – 2 ભાગ લેવા, પીપર, સૂંઠ અને મરી-નું દરેક ના 4 – 4 ભાગ અને વંશલોચનન ચૂર્ણ – 1 ભાગ લઇ ને તમામ વસ્તુઓ સરખી રીતે ભેગીકરી ને દાડિમાષ્ટક ચૂર્ણ બનાવવામાં આવે છે.
સેવનવિધિ :-
જો શક્ય હોય તો આ ચૂર્ણ તાજું જ બનાવતાં રહેવું. દાડિમાષ્ટક ચૂર્ણ સ્વાદિષ્ટ હોવાથી એને મુખવાસમાં પણ ખાઈ શકાય છે. ૧ ગ્રામથી ૧૦ ગ્રામ સુધીની માત્ર માં ચૂર્ણ પાણીમાં, છાશમાં, દહીમાં, મધમાં કે પણ લઈ શકાય છે.
દાડિમાષ્ટક ચૂર્ણનો ઉપયોગ :-
- ગ્રહણી – ગ્રહણી જેવા રોગમાં 10 ગ્રામ ચૂર્ણ છાશમાં ઉમેરી ને દિવસમાં ત્રણ થી ચાર વખત લેવું.
- ઝાડા – ગરમીને કારણે અથવા તો અન્ય કારણોસર ઝાડાની તકલીફ થતી હોય, તો દિવસમાં ત્રણ વખત ચૂર્ણ છાશમાં નાખી ને પીવું
- શ્વાસ ની સમસ્યા – જે કોઈ દર્દીને શ્વાસ ની સમસ્યા હોય તો એને ૧-૧ ચમચી ચૂર્ણ મધ સાથે ચટાડવું.
- ઉધરસ – મધ સાથે ૧-૧ ચમચી ચૂર્ણ ચાટવું. અથવા ચૂર્ણ મોંમા રાખ્યા કરવું.
- ક્ષય – ક્ષય જેવી ગંભીર બીમારીમાં પણ આ ચૂર્ણ મધ સાથે લેવું
- ગળાના રોગો – ગળાના રોગોમાં આ ચૂર્ણ મધ ચાટવાથી ગાળામાં રાહત થાય છે.
નોંધ:- ઉપર આર્ટિકલ્સમાં જણાવેલ તમામ માહિતી ફક્ત ને ફક્ત શૈક્ષણિક હેતુસર આપવામાં આવી છે. આયુર્વેદ નુસખા તથા આયુર્વેદ ટિપ્સ પ્રત્યેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરતી હોય છે. માટે, આયુર્વેદિક નુસ્ખાઓ દ્વારા કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન દરેક વ્યક્તિને થશેજ એવું માનવું જોઈએ નહીં. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. ક્યારેક, વ્યક્તિની તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે છે. માટે, કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટર કે વૈદ્યની સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો…