Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home Cooking

10+ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ – Useful cooking tips and tricks in gujarati

Deep Charaniya by Deep Charaniya
May 9, 2021
Reading Time: 1 min read
0
10+ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ – Useful cooking tips and tricks in gujarati
Share on FacebookShare on Twitter

આજકાલની ભાગદોડ વાળી લાઈફ સ્ટાઈલમાં દરેક લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે. અને પોતાનું કામ કેવી રીતે જલ્દી પતાવવું એના ઉપાય શોધતા રહેતા હોય છે. અને, એવામાં નોકરિયાત મહિલાઓ રસોડામાં કઈ રીતે જલ્દી જલ્દી કામ પૂર્ણ કરી લઇ ને ફ્રી થઇ શકાય એ માટેના તામર પ્રયત્નો કરતી હોય છે. પણ, ઘણીવાર રસોડામાં ઉતાવળથી કરેલા નાના નાના કામ ખૂબ જ મોટી સમસ્યામાં મુકી દેતા હોય છે. તો, આજે આપણે આજના આર્ટિકલમાં નાની-નાની રસોઈને લગતી ટિપ્સ લઈને આવ્યા છીએ. જેનાથી ચોક્કસપણે તમને ફાયદો થશે.

RELATED POSTS

10 ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ જે તમને બનાવશે સ્માર્ટ

માવાનો ઉપયોગ કર્યા વગર બનાવો દુધીનો સ્વાદિષ્ટ હલવો, જાણો સંપુર્ણ રેસીપી

વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પીવો આ જ્યુસ, આ રીતે બનાવો ઇમ્યુનીટી બુસ્ટર જ્યુસ

10 ઉપયોગી એવી કિચન ટિપ્સ

ઈડલી કે ઢોસાનું ખીરું પાતળું બની ગયું છે?
જો તમે ડીનરમાં ઈડલી કે ઢોસા બનાવવાનુ આયોજન કરતા હોવ, અને એનું ખીરું જાતે ખરે બનાવો છો. અને બનાવતી વખતે જો એ ઈડલી કે ઢોસનું ખીરું પાતળું બની ગયું હોય તો ગભરાવાની જરૂર નથી. તરતજ તેમાં, જરૂરિયાત પ્રમાણેનો રવો મિક્સ કરી દેવો જેથી કરી ને ઈડલી કે ઢોસાનું ખીરું તમારી જરૂરિયાત મુજબ ઘટ્ટ બની જશે. અને, તમે સ્વાદિષ્ટ ઈડલી કે ઢોસાની મહેફિલ માણી શકશો.

ફરસી પુરીમાં મરી અને જીરું ચોટેલું રહેતું નથી?
બાળકોને ભાવતી એવી ફરસી પુરી ઘણી ગૃહિણી ઘરે બનાવતી હોય છે. પણ ઘણીવાર એનો સ્વાદિષ્ટ મસાલો એવા મરી અને જીરું પુરી પર ચોંટેલા રેહતા નથી. એનું સમાધાન પણ છે. જો તમે જાતે ઘરે ફરસી પૂરી બનાવતા હોવ તો બનાવતી વખતે મેંદાના લોટમાં જીરૂ, મરીનાં ભૂકાને અને મીઠાને ઉકાળેલા થોડાંક પાણીમાં ભેળવવો. અને, તેજ પાણીથી ફરસી પુરીનો લોટ બાંધવાથી મરી અને જીરૂ પુરી પર ચોંટેલા રહેશે.

ભાજી રાંધતી વખતે લીલીછમ રહેતી નથી?
ઘણીવાર લીલી ભાજી રસોઈમાં ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે એનો કલર સહેજ બદલાઈ જાય છે. થોડી શ્યામ થઇ જતી હોય છે. એનો લીલો કલર જળવાતો રહેતો નથી. પણ, જો તમે પાંદડાયુક્ત ભાજી રાંધતી વખતે તેમાં સહેજ ચપટી ખાવાના સોડા તેમજ મીઠું નાખશો તો ભાજી જલ્દી ચઢી જશે અને ભાજી લીલીછમ રહેશે. અને સ્વાદિષ્ટ પણ લાગશે.

જો ભાત બળી જાય તો શું કરવું?
ઘણીવાર ભાત બનાવતી વખતે ઉતાવળમાં રાંધવા માટે મુકેલી ચોખાની તપેલી કે કુકરનો ગેસ બંધ કરવાનું ભૂલી જતા હોઈએ છીએ. અને, તેના કારણે ભાત તપેલી કિએ કુકરમાં ચોંટીને બળી જતાં હોય છે. જો તમારી સાથે પણ આવું થાય તો તમારે તાત્કાલિક ગેસને બંધ કરીદો. ત્યાર બાદ એ બધાજ ભાતને ઉપર ઉપરથી એક અલગ વાસણમાં કાઢી લો. અને, તે ભાતને પંખાની નીચે ખુલ્લા મૂકી દો, આમ કરવાથી ભાતમાંથી આવતી બળવાની વાસ જતી રહેશે.

દાળ બનાવતી વખતે મીઠું વધુ પડી જાયતો શું કરવું?
જયારે પણ દાળ બનાવતાં હોઈએ ત્યારે ઘણી વાર અજાણતા દાળમાં મીઠું વધારે પડી જતું હોય છે. જેનાથી, દાળનો ટેસ્ટ બગડી જતો હોય છે. જો તમારાથી પણ કોઈક વાર દાળમાં મીઠું વધારે પડી જાય તો ચિંતા કર્યા વગર તેમાં લીંબુનો રસ ઉમેરીદો. દાળમાં રહેલી વધારાની ખારાશ દૂર થઇ જશે.

ડુંગળી કાપ્યા બાદ હાથમા ડુંગળીની ગંધ રહી જાય છે?
ડુંગળીનો સલાડ કે શાકભાજી બનાવતી વખતે કાપેલી ડુંગળીની ગંધ આપણા હાથમાં રહી જતી હોય છે. અને એ ગંધ તીવ્ર હોવાને કારણે હાથમાંથી વાસ આવતી હોય છે. હાથમાંથી વાસ આવતી તે તીવ્ર ગંધને દૂર કરવા માટે, હાથમાં થોડો બેકિંગ સોડા લઈમને હાથને બરાબર રીતે ઘસો અને ત્યારબાદ હાથને ધોઈ લો. આમ કરવાથી હાથમાંથી ડુંગળીની તેમજ દરેક પ્રકારની શાકભાજીની ગંધને દૂર કરશો.

લીલા વટાણા નું શાક કરીએ ત્યારે વટાણા ચીમળાઈ જાય છે?
તમને ખબર હસે કે લીલા વટાણા નું શાક કરીએ કે પછી તેને પાણીમાં પલાળીએ એટલે તે સંકોચાય છે. પરંતુ તમે ઈચ્છતા હોય કે આવું ન થાય એનાં માટે પાણીમાં એક ચમચી ખાંડ નાંખીને વટાણાને બાફી લેવા અને ગ્રેવી બનાવતાં સમયે આજ પાણીનો ઉપયોગ કરવો.

ખુબ વધુ પ્રમાણ માં ટામેટા નો સંગ્રહ કરવો હોયતો શું કરવું ?
જો, વધુ પ્રમાણ માં ટામેટા નો સંગ્રહ કરવો હોયતો સૌ પ્રથમ ટામેટાનો રસ કાઢીલો. ત્યારબાદ, એ રસને આઇસ ટ્રેમાં ભરી ફ્રીઝ માં મૂકી દો. જામી ગયેલા રસના ચોસલાને પ્લાસ્ટિક બેગ માં ભરી ફ્રીઝ માં રાખી મૂકો. ગ્રેવી, સોસ, અને સૂપ બનાવવામાં આનો ઉપયોગ કરો.

રોટલીનો લોટ કુણો બંધાતો નથી તો શું કરવું?
ઘણીવાર બહેનોથી રોટલીનો લોટ કઠણ બંધાઈ જતો હોય છે. અને એ કઠણ લોટ વાળી રોટલી ખાવામાં મજા નથી આવતી. રોટલીનો લોટ બંધાવની પણ એક કળા છે. રોટલીનો લોટ જેટલો સ્મૂધ બંધાયો હોય એટલીજ રોટલી પોચી અને સ્વાદિષ્ટ બને છે. રોટલીનો લોટ સ્મૂથ બનાવવો હોયતો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ભેળવીદો. જેનાથી લોટ કુણો બંધાશે તેમજ રોટલી પાતળી વણાશે અને રોટલી સુકાશે નહીં.

વાસી ભાતને તાજા બનાવવા માટે શું કરવું?
સવારના વાસી ભાતને તાજા બનાવવા હોય તો, વાસી ભાતને કેસરોલમાં પહેલા નીચે પાથરવા ત્યારબાદ તેની ઉપર નવા તાજા ભાત મૂકવા જેથી, નવા તાજા ભાતની સાથે સાથે વાસી ભાત પણ તાજા બની જશે.

Tags: cookingcooking tipskitchen tipskitchen tricksuseful tips
ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

કિચન ટિપ્સ અને ટ્રિક્સ
Cooking

10 ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ જે તમને બનાવશે સ્માર્ટ

November 5, 2022
માવાનો ઉપયોગ કર્યા વગર બનાવો દુધીનો સ્વાદિષ્ટ હલવો, જાણો સંપુર્ણ રેસીપી
Cooking

માવાનો ઉપયોગ કર્યા વગર બનાવો દુધીનો સ્વાદિષ્ટ હલવો, જાણો સંપુર્ણ રેસીપી

August 25, 2022
વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પીવો આ જ્યુસ, આ રીતે બનાવો ઇમ્યુનીટી બુસ્ટર જ્યુસ
Cooking

વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પીવો આ જ્યુસ, આ રીતે બનાવો ઇમ્યુનીટી બુસ્ટર જ્યુસ

September 22, 2021
ક્રિસ્પી કોર્ન સમોસા | Crispy Corn Samosa

ક્રિસ્પી કોર્ન સમોસા | Crispy Corn Samosa

July 15, 2021
ઘરેલુ ઉપચારમા એલચીનો ઉપયોગ | એલચીના ફાયદા | Elchi na fayada
Cooking

ઘરેલુ ઉપચારમા એલચીનો ઉપયોગ | એલચીના ફાયદા | Elchi na fayada

July 18, 2021
આ 5 ખાદ્ય પદાર્થોને ભૂલથી પણ ફરી વાર ગરમ કરીને કદી ના ખાશો બગાડી શકે છે તમારી હેલ્થ
આરોગ્ય

આ 5 ખાદ્ય પદાર્થોને ભૂલથી પણ ફરી વાર ગરમ કરીને કદી ના ખાશો બગાડી શકે છે તમારી હેલ્થ

July 1, 2021
Next Post
આ રીતે બનવેલો ઘી વગરનો રોજનો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

આ રીતે બનવેલો ઘી વગરનો રોજનો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

કોરોનામાંથી સાજા થયા બાદ શરીરમાં થાક અને નબળાઈ જણાય છે ? તો રોજના ખોરાકમાં આ 5 વસ્તુનો ઉપયોગ કરો.

કોરોનામાંથી સાજા થયા બાદ શરીરમાં થાક અને નબળાઈ જણાય છે ? તો રોજના ખોરાકમાં આ 5 વસ્તુનો ઉપયોગ કરો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

india kite

ભારતમાં પતંગ ઉડાડવાની શરૂઆત ક્યારે અને શા માટે થઇ હશે ?

October 10, 2020
આંખોના નંબર દુર કરતુ વિશ્વનું એકમાત્ર દિવ્ય ફળ

આંખોના નંબર દુર કરતુ વિશ્વનું એકમાત્ર દિવ્ય ફળ, બાળકો થી લઇ ને વૃદ્ધો માટે છે સંજીવની

October 18, 2022
‘એક ધરતી, એક સ્વાસ્થ્ય’ PM મોદીએ આપ્યો આ મંત્ર, કહ્યું- ભારત આ કાર્ય કરીને બચાવી રહ્યું છે વિશ્વના કરોડો લોકોને

‘એક ધરતી, એક સ્વાસ્થ્ય’ PM મોદીએ આપ્યો આ મંત્ર, કહ્યું- ભારત આ કાર્ય કરીને બચાવી રહ્યું છે વિશ્વના કરોડો લોકોને

January 18, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In