Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home Cooking

આ રીતે બનવેલો ઘી વગરનો રોજનો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

Deep Charaniya by Deep Charaniya
July 30, 2021
Reading Time: 1 min read
0
આ રીતે બનવેલો ઘી વગરનો રોજનો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
Share on FacebookShare on Twitter

હાલ, માનવ શરીરમાં શારીરીક દુખાવો અથવાતો માંસપેશિઓમાં દુખાવો એક મોટી સમસ્યા બનતી જાય છે. આ દુખાવો કોઈ ભારે વસ્તુને ઉચકવા જતા કે પછી વધારે પડતો વ્યાયામ કરવાથી શરીરમાં કોઈપણ એક ભાગમાં દુખાવો થયાની ફરિયાદ લોકો કરતા હોય છે. જો આ દુખાવાને આપણે જો નજરઅંદાજ કરીએ તો આગળ જતા ગંભીર સમસ્યા પણ ઉભી થઇ શકે છે છે. આપણે જો એમ એમ વિચારતા હોઈએ કે શરીરમાં દુખાવો ફક્ત ઉંમરલાયક લોકોને જ થાય છે તો એ વાત તદ્દન ખોટી છે. કેમકે, દુખાવોતો નાના બાળકો થી લઇને 70 વર્ષના ઘરડાં માણસને પણ થઇ શકે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

મિત્રો આજના આપણા આર્ટિકલ્સ માં ઘૂંટણમાં પડતી તકલીફ સામે એક એવા લાડુ બનાવની રેસિપી બતાવાના છીએ, જેમાં ઘી નો ઉપયોગ કાર્ય વગર હેલ્થી અને પ્રોટીન યુક્ત લાડુ બનાવીને એનું સેવન કરવાથી ઘૂંટણમાં થતી તકલીફથી તમે છુટકારો મેળવી શકશો.

લાડુ બનાવની રેસિપી જોતા પહેલા ઘૂંટણ ના દુખાવો કે તકલીફ કેમ પડતી હોય છે. એની, સંપૂર્ણ વિગત આપણે પહેલા જાણીશુ ત્યારબાદ આર્ટિકલની અંતમાં લાડુ બનાવવાની રેસિપી વિશે જાણીશુ.

કેટલા પ્રકારના દુખાવા હોય છે.

દુખાવાના ઘણા બધા પ્રકાર હોય છે. ખાસ કરીને દુખાવો માંસપેશીયોનો, પીઠનો, માથાનો, ગળાનો, ઘૂંટણનો હોય છે. બીજા પ્રકારના દુખાવામાં તંત્રિકા તંત્ર પ્રભાવિત થઈ જતી હોય છે. અને, એના લીધે થઈને દુખાવો થવા લાગે છે. આ રીતે થતા દુખાવાને ન્યુરોપેથિક પેન કહેવામાં આવે છે. તેમાં નાના-મોટાં સાંધા જેવા કે આંગળીઓના સાંધામાં દુખાવો શરૂ થઇને તે કાડાં, ઘૂંટણ, અંગુઠામાં વધતા જાય છે. બીમારી વધી જવા પર આ આખા શરીરના કાર્ય કરવાની ક્ષમતાને રોકી નાંખે છે.

શરીરમાં જ્યાં એકથી વધુ હાડકાનું જોડાણ થતું હોય તેને સાંધો કહે છે. અને એમાં વળી ઘૂંટણનો સાંધો શરીરનો સૌથી જટીલ અને મોટો જોડાણો ધરાવતો સાંધો છે. ઘૂંટણમાં નિકેપ, થાયબોન, ફીબ્યુલા અને શીનબોન, જોડાઈ અને હલન-ચલન થઇ શકે તેવો સાંધો બનતો હોય છે. ઘૂંટણનાં સાંધામાં હાડકાઓને બાંધતા સ્નાયુઓ, ટેન્ડન્સ અને સાંધામાં સ્નિગ્ધતા જળવાય તેવું સાયનોવિયલ ફલ્યુડ હોય છે.

ઘૂંટણનાં દુખાવામાં પડતી તકલીફ

ઘૂંટણમાં સોજો આવે ત્યારે દુખાવો થતો હોય છે. જયારે પણ ઘૂંટણની હલન-ચલનની પ્રક્રિયામાં અવરોધ ઉભો થાય એવી કે દરેક તકલીફ ઉભી કરે ત્યારે સામાન્ય ભાષામાં તે ઘૂંટણનો દુખાવો કહેવાય છે. પરંતુ ઘૂંટણનો દુખાવો સાંધાના કયા ભાગમાં તકલીફ ઉભી થાય છે, તે જાણવું આવશ્યક છે અને એ જાણ્યા બાદ તેને અનુરૂપ ઉપચાર કરવો પણ ખુબ જરૂરી છે.

ઘૂંટણની રચનામાં જોડાયેલા સ્નાયુમાં ઈજા, ખેંચાણ, સોજો હોય કે નિકેપમાં ઈજા થઇ હોય, ડિસપ્લેસમેન્ટ થયું હોય, સાયનોવિયલ ફલ્યુડ ઘટી ગયું હોય, વ્યક્તિનું વજન વધવાથી, અયોગ્ય રીતે ચાલવા, ઉઠવા-બેસવા, રમત-ગમત જેવી અન્ય ક્રિયાઓથી હાડકામાં ઘસારો અથવા અલાયન્મેન્ટમાં તકલીફ થઇ હોય શકે છે.

આપણા ઘરનાં બારી બારણાંમાં જે રીતે મિજાગરા કામ કરે છે, લગભગ એવુંજ કામ આપણા ઘૂંટણનો સાંધો પણ કરે છે. જયારે પણ આપણે ઉભા રહેતા હોઈએ છીએ એ દરમ્યાન કોઇપણ સ્નાયુનાં વપરાશ વગર માત્ર સાંધો જ આધાર આપે છે. જયારે પણ આપણે નીચે નમીયે, નીચે બેસીયે, ઉઠીયે ત્યારે ઘૂંટણ વપરાય છે. ચાલવા કે દોડવા દરમ્યાન પણ ઘૂંટણનો વપરાય થાય છે, ઘૂંટણ દરેક પ્રકારના થડકારો ઝીલી અને શોક અબ્ઝોર્બર તરીકે કામ કરતાં કૂર્ચાસ્થિ –મિનિસ્કસ અને આર્ટીક્યુલર કાર્ટીલેજ કુશન જેવું કામ કરે છે. સાંધામાં જોડાયેલા વિવિધ હાડકાઓનું ચલન ઘસારા વગર થવામાં મદદ કરે છે.

ઘૂંટણનાં સાંધામાં ક્યારે તકલીફ પડે છે?

શરીરનું વજન વધુ પડતું હોય, સતત એકધારી પ્રવૃત્તિ જેમકે દોડવું, જોગિંગ, સાયકલિંગ વધુ લાંબો સમય કરવામાં આવે, ઘૂંટણનો ટેકો લઇ સોફા કે ખુરશી પર બેસતી વખતે આખા શરીરનું વજન કોઈ એક પગનાં ઘૂંટણ પર મૂકી બેસવાની ટેવ, કોઈ એક પગ ઉપર જ વધુ વજન આવે તે રીતે વધુ લાંબો સમય ઉભા રહી કામ કરવાની ટેવ હોય કે પછી ઉબડ-ખાબડ રસ્તાઓ પર, પથરાળ જમીન પર યોગ્ય પગરખાં વગર ચાલવા દરમ્યાન શરીરનું બેલેન્સ જાળવવા પગ ત્રાંસો મૂકવાથી સ્નાયુ કે લીગામેન્ટમાં જોર પડવા જેવા કારણોની આડઅસર ઘૂંટણ પર થતી હોય છે.

ઘૂંટણનાં રોગ માટેની સાવધાની અને સામાન્ય ઉપચાર

ઘૂંટણનાં સાંધા પર વધુ પડતાં વજન આવવાથી એની આડઅસર ઘૂંટણનાં સાંધા પર પડતી હોય છે. આપણા પોતાના શરીરનું વધુ પડતું વજન પણ સાંધામાં તકલીફ આપી શકે છે. જો એમ ના થવા દેવું હોય તો આપણું પોતાનું વજન ઘટાડવું અને શરીરનું વજન પ્રમાણસર હોય તે જરૂરી છે. ચાલવા, ઉભા રહેવા જેવી પ્રવૃત્તિ દરમ્યાન યોગ્ય પગરખાં પહેરવા તથા ઘૂંટણનો અયોગ્ય ઉપયોગ ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ઘૂંટણને સહારો આપતા સ્નાયુઓ અને ઘૂંટણની રચનામાં વપરાતાં લીગામેન્ટ અને ટેન્ડન્સમાં સોજો, શિથિલતા માટે રક્તમાં રહેલો ‘આમ’ જવાબદાર હોય શકે છે. માટે, દરેખા વ્યક્તિએ પ્રકૃતિને અનુરૂપ ખોરાક ખાવો જોઈએ. અને ખાસ કરીને ચરીનું પાલન ખાસ કરીને ખાટા પદાર્થો, આથાવાળી, પ્રિઝર્વેટિવ્સ ધરાવતી વાનગીઓ, તેમજ બજારુ ખોરાક બંધ કરી આયુર્વેદમાં સૂચવાયેલા ‘આમ-પાચન’ માટેનો ઉપચારક્રમ કરવાથી ઘૂંટણનો લાલાશ પડતો સોજો, જકડાહટ અને દુખાવામાં રાહત થાય છે.

સામાન્ય રીતે ઘૂંટણની તકલીફથી પીડાતા હોય તો મેથી ખાવાથી ઘૂંટણનો દુખાવો મટી જતો હોય છે.પણ ઘૂંટણનો દુખાવો થાવાજ ન દેવો હોય તો પહેલેથીજ હેલ્થી ખોરાક ખાવો પડે જેથી કરીને ઘૂંટણની સમસ્યા અવેજ નહી. એવીજ એક હેલ્થી લાડુની રેસિપી આપણે જાણીશુ જેના સેવનથી આ તકલીફ દૂર થઇ જશે.

ઘૂંટણનાં દુખાવામાં ઉપયોગી એવા લાડુ બનાવવાની રીત :-

જરૂરિયાત સામગ્રી :-

  • ગોળ – 750 ગ્રામ
  • તલ – 500 ગ્રામ
  • અખરોટ – 200 ગ્રામ
  • શીંગ દાણા – 100 ગ્રામ
  • છીણેલું ટોપરું – 100 ગ્રામ
  • કાજુ – 50 ગ્રામ
  • બદામ – 50 ગ્રામ
  • સૂંઠ – 30 ગ્રામ

રીત :-

સૌ પ્રથમ તલ, શીંગ દાણા, કાજુ, બદામ, અખરોટ લઇને એને સારી રીતે સાફ કરી લેવા. સાફ થઇ ગયા બાદ તલ, શીંગ દાણા અને છીણેલું ટોપરું ને અલગ કરી લેવા અને બાકી વધેલા ડ્રાયફ્રૂટ્સ જેવાકે અખરોટ, કાજુ, બદામ ને પણ અલગ કરી લેવા આમ સામગ્રી ને 2 ભાગમાં વહેંચી લેવી.

સામગ્રી બે ભાગમાં વહેંચાઈ ગયા બાદ, એક મોટી કઢાઈ લેવી અને ગેસ ચાલુ કરી ને એને ગરમ કરવા મુકાવી. સહેજ ગરમ થાય એટલે તલ, શીંગ દાણા અને છીણેલું ટોપરું વાળો ભાગ લઈને કઢાઈમાં શેકવા માટે મુકવા. સહેજ ગરમ થઇ જાય અને છીણેલું ટોપરું થોડું બ્રાઉનીસ કલરનું થઇ જાય ત્યારે કઢાઈ ને ગેસ પરથી નીચે ઉતારી લેવી. અને કઢાઈમાં રહેલી સામગ્રી એક અલગ થાળીમાં કાઢી લઇ ને એને ઠંડુ પાડવા માટે રહેવા દેવું.

જ્યાં સુધી આ ઠંડુ પડે ત્યાર સુધીમાં ફરીવાર બાકી વધેલા ડ્રાયફ્રૂટ્સ જેવાકે અખરોટ, કાજુ, બદામ વાળા ભાગને લઇ ને કઢાઈમાં લઈને એમને પણ ગરમ કરવું અને સહેજ વાર થોડા રોસ્ટેડ થઇ જાય ત્યાર બાદ એ સામગ્રી ને પણ એક અલગ વાસણમાં કાઢીને ઠંડુ થવા રહેવા દેવું.

નોંધઃ ( અહીંયા બધી વસ્તુ એટલા માટે શેકી છે કે આ બધી વસ્તુઓ તૈલીય ગુણધર્મ ધરાવે છે. જેને શેકવાથી એમાં રહેલું મોઈશ્ચર દૂર થઇ જશે. અને લાડવો બગાડતો અટકાવશે.)

આ તમામ વસ્તુ ઠંડી થઇ જાય ત્યાર બાદ એક મિક્સર બાઉલમાં ભેગી કરીને મિસ્કરમાં સહેજ કર કરું રહે એ રીતની બધી સામગ્રી પીસી લો. અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું છેકે બહુ વધારે પડતી જીણું પીસાઈ ના જાય. નહીતો લાડવાનો અસલી ટેસ્ટ તમે માણી નહિ શકો. મિક્સર માં પીસાઈ ગયા બાદ એને અલગ એક સ્વચ્છ વાસણ માં કાઢી લો.

હવે, કઢાઈમાં ગોળ ગરમ કરવા મુકો અને જેવો ગોળ ગરમ થવા આવે કે તરતજ આ બધી પીસેલી સામગ્રી ને મિક્સ કરી લો અને હલાવતા રહો. બધું સરખી રીતે મિક્સ થઇ જાય ત્યારબાદ ગેસ બંધ કરીને એ સામગ્રીમાં સૂંઠને ઉમેરવી અને સૂંઠ બરોબર રીતે મિક્સ થઇ જાય એ રીતનું ફરીથી હલાવવું. લાડુ બનાવવા માટેની તમારી સામગ્રી તૈયાર થઇ ગઈ છે.

આ સામગ્રી માંથી ઓછામાં ઓછા 30 લાડુ બને એ રીતના લાડુ બનાવવા. બનેલ લાડુને 30 દિવસ સુધી રોજ સવારે ભૂખ્યા પેટે 1 – 1 લાડુ લઈને ખાવાથી તમને જાતેજ ઘૂંટણના દુખાવામાં રાહત થતી જોવા મળશે.

મિત્રો, તમને આ લાડુની રેસિપી કેવી લાગી એ વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપશો. અને જો તમારા ફેમિલી મેમ્બર્સને ઘૂંટણની સમસ્યા હોય તો આ લાડુ એમના માટે જરૂરથી બનાવજો.

આ પણ વાંચો…

  • કઈ રીતે ઊંડો શ્વાસ લેવાથી માત્ર 48 કલાકમાં શરીરને થાય છે આ 5 ફાયદાઓ
  • ઓક્સિજન લેવલ જાળવવા તેમજ ફેફસાને બ્લોક થતા અટકાવવા આ રીતે કરો મિથિલિન બ્લુનો ઉપયોગ
  • માત્ર આ 1 આયુર્વેદિક ઔષધ આ 4 રોગોમાં ઉપયોગી છે
  • આ કુદરતી રીતે કરો ફેફસાની સફાઈ અને રાખો શ્વસનતંત્રની કાળજી, ક્યારેય નહીં પડે કોઈ તકલીફ
  • બળ અને બુદ્ધિ વધારનારૂ ફળ એટલે દાડમ, દાડમ ખાવાના ફાયદા અને નુક્સાન
  • એલોવેરા જ્યુસના ફાયદા, એલોવેરા જ્યુસ બનાવવાની રીત
ShareTweetPin1
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
કોરોનામાંથી સાજા થયા બાદ શરીરમાં થાક અને નબળાઈ જણાય છે ? તો રોજના ખોરાકમાં આ 5 વસ્તુનો ઉપયોગ કરો.

કોરોનામાંથી સાજા થયા બાદ શરીરમાં થાક અને નબળાઈ જણાય છે ? તો રોજના ખોરાકમાં આ 5 વસ્તુનો ઉપયોગ કરો.

સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાના છે આ 5 અદભુત ફાયદા

સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાના છે આ 5 અદભુત ફાયદા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ સાત સંકેતો તમને કહેશે કે તમે અને તમારો પરિવાર કેટલા હેલ્થી છે

આ સાત સંકેતો તમને કહેશે કે તમે અને તમારો પરિવાર કેટલા હેલ્થી છે

October 15, 2022
આ 3 ઔષધી ને કાયમ તમારા ઘરમાં રાખશો તો લાઈફટાઈમ ગંભીર રોગો નહિ થાય

આ 3 ઔષધી ને કાયમ તમારા ઘરમાં રાખશો તો લાઈફટાઈમ ગંભીર રોગો નહિ થાય

January 4, 2023
નાભીમાં હળદર લગાવવાથી શરીરને મળે છે અઢળક ફાયદા, જાણો તેનો ઉપયોગ કરવાની રીત

નાભીમાં હળદર લગાવવાથી શરીરને મળે છે અઢળક ફાયદા, જાણો તેનો ઉપયોગ કરવાની રીત

September 8, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In