Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

તંદુરસ્ત અને નિરોગી જીવન જીવવા માટે આનો રોજ કરો ઉપયોગ 20 થી વધુ બીમારીઓ દૂર થશે

ઘરેલુ ઉપચારમાં કાળા તલનો ઉપયોગ અને કાળા તલના ફાયદા

Deep Charaniya by Deep Charaniya
September 15, 2021
Reading Time: 1 min read
0
તંદુરસ્ત અને નિરોગી જીવન જીવવા માટે આનો રોજ કરો ઉપયોગ 20 થી વધુ બીમારીઓ દૂર થશે
Share on FacebookShare on Twitter

કાળા તલએ રસોડાની સૌથી ફાયદાકારક વસ્તુ માનવામાં આવે છે. કાળા તલમાં વિપુલ પ્રમાણમાં ઔષધીય ગુણ છુપાયેલા હોય છે. કાળા તલ નાખવાથી રસોઈ પણ એકદમ સ્વાદિષ્ટ અને મસ્ત બને છે. કાળા તલનું સેવન બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. કાળા તલ ના તેલનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે. કાળા તલ ની તાસીર ગરમ છે. ભારતમાં કાળા તલનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થતું જોવા મળે છે. ગોળ વગેરે સાથે તલથી બનેલા કાળા તલના લાડુને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.કાળા તલનું તેલ પણ કાળા તલ જેટલું જ ગુણકારી ને અત્યંત ઉપયોગી માની શકાય છે તો અમુક આયુર્વેદિક ઉપચારો માં કાળા તલને પીસીને તેના પાઉડરને પણ ફાંકી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો ચાલો આપણે તેના ફાયદા વિશે જાણીએ.

RELATED POSTS

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

કાળા તલના ફાયદા

આયુર્વેદિક નિષ્ણાત અનુસાર, કાળા તલમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ, ફાઇબર, કાર્બ્સ, હેલ્ધી ફેટ વગેરે ભરપુર માત્રામાં જોવા મળે છે.

કાળા તલ વાળ માટે ફાયદારૂપ
પ્રદૂષણ અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી ને કારણે વાળ ખરતા, અકાળે ગ્રે વાળ વગેરે વાળની સમસ્યાઓ જોવા મળતી હોય છે. જેના ઉપાય તરીકે કાળા તલનો ઉપયોગ કરી શકાય છે. અકાળે સફેદ વાળને ટાળવા માટે તમે કાળા તલના મૂળ અને પાંદડાનો ઉકાળો બનાવીને તમારા વાળ ધોઈ શકો છો. આ સિવાય તલના ફૂલ અને ગોક્ષુરની સમાન માત્રામાં મેળવી, તેને ઘી અને મધમાં પીસીને માથા પર લગાવવાથી વાળ ખરવાથી અને ડેન્ડ્રફથી રાહત મેળવી શકાય છે.

કબજિયાતથી રાહત
કાળા તલ માં ઘણા માત્રામાં ફાઇબર અને અસંતૃપ્ત ચરબી હોય છે, જે તમને કબજિયાતની સમસ્યાથી રાહત આપી શકે છે. તેનું કુદરતી તેલ તમારા પેટમાંથી કરમિયા દૂર કરવામાં મદદ કરે છે અને પાચનક્રિયા મજબૂત બનાવે છે. કાળા તલનું સેવન કરવાથી તમે સરળતાથી તમારા પેટની સાફ ન થવાની સમસ્યાથી રાહત મેળવી શકો છો.

સંતુલિત બ્લડ પ્રેશર
કાળા તલ માં મેગ્નેશિયમ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ પોષક તત્વ તમારા શરીરમાં બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે અને તમે હાયપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યાથી પણ બચી શકો છો. કાળા તલ ના તેલમાં હાજર બહુઅસંતૃપ્ત ચરબી અને સેસમિન સંયોજનો બ્લડ પ્રેશરના સ્તરને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે.

મજબૂત હાડકા
કાળા તલ માં કેલ્શિયમ અને ઝીંક પણ જોવા મળતા હોય છે. જેના કારણે હાડકા મજબૂત થાય છે. કાળા તલનું સેવન કરવાથી હાડકાઓ ના ઓસ્ટિઓપોરોસિસ રોગ સામે રક્ષણ મેળવી શકાય છે. આ રોગમાં હાડકાં નબળા પડે છે અને ફ્રેક્ચર થવાનું જોખમ વધુ રહે છે.

ઝાડા રક્તસ્ત્રાવ
પેટમાં અસ્વસ્થતાને કારણે જો તમને ઝાડા સાથે રક્તસ્રાવ થતો હોય તો પણ કાળા તલ નો ઉપયોગ કરી શકાય છે. આ માટે, કાળા તલ (લ નો 5 ગ્રામ પાવડર અને બરાબર સાકર મિક્ષ કરીને દૂધ સાથે ખાવી. આ રક્તસ્રાવ બંધ કરવામાં મદદ કરશે.

હ્રદયની તંદુરસ્તી માટે
તલનું સેવન હૃદયને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. તલમાં હાજર કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, જસત અને સેલેનિયમ હૃદયને અનેક રોગોના જોખમથી મુક્ત રાખી શકે છે.

શરીરમાં ઉર્જા મેળવવા માટે
તલમાં ઓમેગા–જેવા તંદુરસ્ત ચરબી ઉપરાંત ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હાજર રહેલા છે, જે શરીરને મહત્વપૂર્ણ ઊર્જા આપવામાં મદદરૂપ બને છે.

કાળા તલના બીજા અન્ય ફાયદાઓ

– કાળા તલનાં સેવનથી શરીરમાં નવીન તાકાત, શક્તિ/ઉર્જા પ્રાપ્ત થાય છે.

– કાળા તલમાં રહેલું એન્ટિ-ઓક્સિડેન્ટ શરીરમાં કેન્સરની કોશિકાઓને વધતી અટકાવામાં મદદ કરે છે.

– કાળા તલનું સેવન હૃદયની માંસ-પેશીઓને સ્વસ્થ રાખવામાં અત્યંત લાભદાયી છે.

– નાના બાળકોનાં શારીરિક અંગોના વિકાસ માટે કાળા તલના તેલનું માલિશ કરવું ખૂબજ લાભદાયક છે. કાળા તલના તેલથી માલિશ કરવાથી બાળકને એક સ્વાસ્થ્ય ઉંધ આવે છે.

– રોજ એક મોટી ચમચી જેટલાં કાળા તલ ખાવાથી દાંતને ફાયદો થાય છે. દાંત મજબુત અને સાફ રહે છે.

– કાળા તલનું સેવન કરવાથી પ્રોટીન પ્રાપ્ત થાય છે. જે વાલમાટે ખુબજ જરૂરી છે. કાળા તલનું સેવન ખરતા વાળને અટકાવે છે. અને વાળને વધું મજબૂત અને કાળા બનાવે છે.

– નાનું બાળક રાત્રે સુતી વખતે પથારીમાં પેશાબ કરતું હોય, તો એને પીસેલા કાળા તલ અને ગોળનો બનાવેલો લાડુ ખવડાવો. બાળકને રોજ રાત્રે એક લાડુ ખવડાવાથી આ સમસ્યા દૂર થાય છે.

– તલ અને સાકરને પાણીમાં ઉકાળીને પીવો જેનાંથી ઉધરસ દૂર થઈ જશે.

– પેટના દુખાવામાં એક ચમચી કાળા તલ ચાવીને તેની ઉપર નવશેકુ પાણી પીવાથી પેટનો દુ:ખાવો ઓછો થઈ જાય છે.

– કાળા તલના તેલમાં હીંગ અને સુંઠ નાંખીને ગરમ કરવું. અને એ તેલની માલિશ કરવાથી કમરનો દુ:ખાવો તથા સાંધાનો દુ:ખાવો તેમજ શરીરનું કોઈ પણ અંગ જકડાઈ ગયું હોય તો તેમાં જલ્દી રાહત થાય છે.

– કાળા તલનો મુખવાસ ખાવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે.

– તલના તેલમાં થોડુક સિંધાલુણ ભેળવીને મોઢાના ચાંદાની અંદર લગાવવાથી તે જલ્દી મટી જાય છે.

– કાળા તલના તેલને ગરમ કરીને એ તેલની અંદર સીંધાલુણ અને મીણ ભેળવીને પગની ફાટેલી એડીઓમાં લગાવવાથી ફાયદો થાય છે.

– કાળા તલને પીસીને માખણની સાથે ભેળવીને નિયમીત રીતે ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે અને ચહેરા પરના ખીલ અને કાળાડાધ દૂર થાય છે.

રોજિંદા જીવનમાં ઉપયોગી એવા કાળા તલનું સેવન કરો અને ઉપરની સમસ્યામાંથી છુટકારો મેળવો. અને દવાખાને ગયા વગર જ તંદુરસ્ત અને નિરોગી જીવન જીવો.

આ પણ વાંચો…

  • સ્વાસ્થ્ય વર્ધક દેશી ગોળ ખાવાના ફાયદા ગોળ ક્યારે અને કેટલા પ્રમાણમા ખાવો । ઘરગથ્થુ ઉપચારમાં ગોળ નો ઉપયોગ
  • સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાના છે આ 5 અદભુત ફાયદા
  • કઈ રીતે ઊંડો શ્વાસ લેવાથી માત્ર 48 કલાકમાં શરીરને થાય છે આ 5 ફાયદાઓ
  • છાતીમાં થતી બળતરા અને એસિડિટી ને જડમૂળમાંથી નાબૂદ કરવા માટેનો અસરકારક ઘરેલુ ઉપચાર
Tags: black sesameconstipationhair fallkala talકાળા તલકાળા તલના ફાયદા
ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ
ઘરેલું ઉપચાર

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

December 26, 2022
Next Post
છાતીમાં થતી બળતરા, એસિડિટી અને ગેસને જડમૂળમાંથી નાબૂદ કરવા માટેનો અસરકારક ઘરેલુ ઉપચાર

છાતીમાં થતી બળતરા, એસિડિટી અને ગેસને જડમૂળમાંથી નાબૂદ કરવા માટેનો અસરકારક ઘરેલુ ઉપચાર

અલગ અલગ ફરાળી વાનગી બનાવવાની રીત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ, બેંક મેનેજરે 4 કિલોમીટર ચાલીને રસ્તો બનાવ્યો, સલામ છે

એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ, બેંક મેનેજરે 4 કિલોમીટર ચાલીને રસ્તો બનાવ્યો, સલામ છે

January 3, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
Doing Siddhasana increases memory

સિદ્ધાસન કરવાથી યાદશક્તિમાં થાય છે વધારો જુવો આ વરદાન

September 21, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In