Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home Uncategorized

અલગ અલગ ફરાળી વાનગી બનાવવાની રીત

Deep Charaniya by Deep Charaniya
August 16, 2021
Reading Time: 1 min read
0
Share on FacebookShare on Twitter

મિત્રો, આજે આપણે આજના આર્ટિકલમાં જોઇશુ કે કઈ રીતે અલગ અલગ પ્રકારની વિવિધ ફરાળી વાનગી બનાવી શકાય છે. આ વિવિધ ફરાળી વાનગીઓ તમે વ્રત કે કોઈ પણ પ્રકારના ઉપવાસમાં પણ તમે એનો ઉપગયોગ કરી શકો છો. આજે આપણે 3 પ્રકારની ફરાળી વાનગીની રેસિપી વિષે જાણવાના છીએ તો ચાલો નોટ અને પેન લઈને આ રેસિપી નોંધવા માટે બેસી જાવ.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

આપણી આ 3 પ્રકારની ફરાળી વાનગીની રેસિપી છે. 1) ફરાળી ભજીયા 2) તેલ વગરની સુકી સાબુદાણા ખીચડી, અને 3) ફરાળી બટાકા સાબુદાણાની ચકરી. તો આપણે વારાફરતી દરેક રેસિપી વિશે વિસ્તાર પૂર્વક આપણે જાણકારી મેળવીશું.

ફરાળી ભજીયા

સામગ્રી :-

100 ગ્રામ રાજગરાનો લોટ
100 ગ્રામ શિંગોળાનો લોટ
1 બટાકા (છીણેલું)
3 લીલા મરચા (ઝીણા સમારેલા)સ્વાદ મુજબ મીઠું
1 ચમચી કાળા મરી પાવડર
સ્વાદ અનુસાર પાણી

બનાવવાની રીત :-

એક બાઉલમાં બંને લોટને ચાળી લો. તેમાં મીઠું, મરચું, કાળા મરી પાવડર અને બટાકા ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. પાણી ઉમેરો મધ્યમ કણક બનાવો. ધીમા તાપ પર એક પેનમાં તેલ ગરમ કરો. હાથ અથવા ચમચીથી લગભગ 1 ચમચી બેટર લો અને તેલમાં મૂકો. ભજીયા બનાવો. આછા ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તળો. લીલી ચટણી, ખજૂરની ચટણી સાથે સર્વ કરો.

તેલ વગરની સુકી સાબુદાણા ખીચડી

આપણે દરરોજ રસોઈમાં તેલનો ઉપયોગ કરીને અલગ અલગ રેસિપી બનાવતા હોઈએ છીએ. પણ આજે કંઈકજ તેલ વગરની સાબુદાણાની ખીચડી બનાવવાની કોશિશ કરી છે. જે ઉપવાસના દિવસોમાં સાબુદાણાની ખીચડી ખાઈ શકાય છે.

સામગ્રી:- 

100 ગ્રામ સાબુદાણા (સાબુદાણા)
1 ચમચી ફરાળી ચેવડો
2 નાના બટાકા (બાફેલા)
1 લીલું મરચું (ઝીણું સમારેલું)
સ્વાદ મુજબ મીઠું
1 ચમચી ચાટ મસાલો
2 ચમચી ખાંડ પાવડર (વૈકલ્પિક)
1 ચમચી આમચૂર પાવડર
½ ચમચી કાળા મરી પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી ધાણાજીરું (સમારેલું)

બનાવવાની રીત :-

સાબુદાણાના સારી રીતે ધોઈને દર 30 મિનિટે તેના પર પાણીનો છંટકાવ કરો, આ ક્રિયા 3-4 કલાક સુધી કરતા રહેવી. ત્યાર બાદ બાફેલા બટાકાની છાલને દૂર કરીને અને નાના ટુકડા કરીલો.બટાકાના નાના ટુકડા થઇ ગયા બાદ હવે એક મધ્યમ બાઉલમાં બધાજ સાબુદાણા કાઢી લો.

એમાં બાફેલા બટાકા, લીલું મરચું, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, ચાટ મસાલો, મીઠું, ખાંડ અને કાળા મરીનો પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો. વધુ ટેસ્ટી બનાવવા માટે તમે એમાં ફરાળી ચેવડો પણ મિક્સ કરી શકો ચો. કોથમીરથી ગાર્નિશ કરો. સાબુદાણા ખીચડી સર્વ કરવા માટે તૈયાર છે.

ફરાળી બટાકા સાબુદાણાની ચકરી

ફરાળી ચકરી એ એક ઉપવાસમાં ખવાતા નાસ્તાની એક રેસીપી છે. જે જલ્દીથી ઓછા સમયમાં બનતી એક મસ્ત મસાલેદાર સ્વાદિષ્ટ વાનગી છે.

સામગ્રી:- 

૫૦૦ ગ્રામ જેટલા સાબુદાણા
૧ તપેલી પાણી (સાબુદાણા ઉકાળવા માટે )
૧/૨ તપેલી પાણી સાબુદાણા પલાળવા માટે
૧ કિલો બાફેલા બટાકા
૧/૨ ચમચી જીરું
૨ ચમચી વાટેલા મરચા
મીઠું સ્વાદ પ્રમાણે

બનાવવાની રીત :-

સૌથી પ્રથમ તો સાબુદાણાને એક ચોખ્ખી તપેલીમાં સરખી રીતે લેવલમાં આવે તે રીતે ભરીદો. ત્યારબાદ એજ તપેલીના માપે માપ પાણી લઈને એને સહેજ નવસેકુ ગરમ કરી તેમાં સાબુદાણા ઉમેરીને ધોઈ ને સાબુદાણાને આખી રાત માટે પલળવા મુકીદો,.સવારે તમે જોશો કે સાબુદાણા સરસ રીતે પલળી ગયેલા હશે.

સેવ આપણે જે તપેલીથી સાબુદાણા લીધા હતા એજ તપેલીથી પાણી ગરમ કરવા મુકો. તેમાં મીઠું, જીરું અને મરચા પણ સાથેજ ઉમેરી દો. પાણી ઉકળે અને પાણીનો કલર થોડો બદલાય એટલે પલાળેલા સાબુદાણા એમાં ઉમેરીને ધીમે ધીમે મિક્ષ કરીને હલાવતા જાઓ. તમે 10 મિનિટ બાદ જોઈ શકશો કે 80 ટકા જેટલા સાબુદાણા સારીરીતે બફાઈ ને પારદર્શક થઇ જશે.

આપણે બનાવેલું મિશ્રણ એકદમ પરફેક્ટ થયુંછે કે નહી તે જોવા માટે મિશ્રણ માં ચમચો ઉભો રાખો. જો ચમચો પડીના જાય અને એકદમ સ્થિર સીધો ઉભો રહેતો સમજવું કે આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ તૈયાર થઇ ગયું છે, ત્યારબાદ ગેસને બંધ કરી આ મિશ્રણને નીચે ઉતારી દો. ત્યાર બાદ બાફેલા બટાકા ને છીણી લો. અને છીણેલાં બટાકામાં ઠંડા થયેલા સાબુદાણાનું મિશ્રણ ઉમેરીને બધું સરસ રીતે મિક્ષ થાય એ રીતે મિક્ષ કરી લો.

ચકરી બનાવવા માંટે આપણે સંચામાં સાથે આવતી સ્ટાર જાળી વાપરવાની છે, ચાકરી માટે સંચા અને તો જાળી ઉપર તેલ લગાવી તૈયાર કરેલું મિશ્રણ સંચામાં ભરી દઈશું. અને સંચાની મદદથી તમારા મનગમતા આકારમાં ચકરી પાડીને એને 3 થી 4 દિવસ માટે સુકાવવા મૂકી રાખવી.સુકાઈ ગયા બાદ એને તળાવમાં ઉપયોગ લેવી. તો મિત્રો, આપણી સાબુદાણા બટાકા ની ચકરી તૈયાર છે.

અગત્યની ટિપ્સ :- ચકરી બનાવવા માટે જે વેફર બનાવવા માટેના જે સ્પેશિયલ બટાકા આવે છે તેનો જ ઉપયોગ કરવો. જેથી ચકરી એકદમ સફેદ બનશે. અને હા, તમે જો ઉપવાસ માં મરચુ ના ખાતા હોવ તો મરચાની બદલે તમે મરી પાવડર પણ લઇ શકાય.

મિત્રો તમને અમારી આ ફરાળી રેસિપી કેવી લાગી એની જાણકારી કોમેન્ટ કરી ને જરૂર થી અપશો.

આ પણ વાંચો…

  • ક્રિસ્પી કોર્ન સમોસા
  • આ 5 ખાદ્ય પદાર્થોને ભૂલથી પણ ફરી વાર ગરમ કરીને કદી ના ખાશો બગાડી શકે છે તમારી હેલ્થ
  • સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાના છે આ 5 અદભુત ફાયદા
  • સંતરા કરતા પણ બહુમુલ્ય છે સંતરાની છાલ, સંતરાની છાલના ફાયદા અને ઘરેલુ ઉપચારમાં ઉપયોગ
Tags: farali recipesgujarati recipes
ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
ચોમાસાની ઋતુમાં કપડામાંથી દુર્ગંધ આવે છે તો અપનાવો આ સૌથી અસરકારક 8 ટિપ્સ

ચોમાસાની ઋતુમાં કપડામાંથી દુર્ગંધ આવે છે તો અપનાવો આ સૌથી અસરકારક 8 ટિપ્સ

આ 6 વનસ્પતિના પાનના ઉપયોગથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે, સાથે સાથે ઈન્સુલિનની માત્રમાં પણ વધારો થાય છે.

આ 6 વનસ્પતિના પાનના ઉપયોગથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે, સાથે સાથે ઈન્સુલિનની માત્રમાં પણ વધારો થાય છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શું તમારા બાળકને મોબાઈલ જોતા જોતા જમવાની આદત છે, તો થઇ જાવ સાવધાન

શું તમારા બાળકને મોબાઈલ જોતા જોતા જમવાની આદત છે, તો થઇ જાવ સાવધાન

May 24, 2022
તમારી આ ખરાબ આદતોને આજે જ બદલી નાખો, નહિતર તમારું વજન 65નું 95 થતા વાર નહિ લાગે

તમારી આ ખરાબ આદતોને આજે જ બદલી નાખો, નહિતર તમારું વજન 65નું 95 થતા વાર નહિ લાગે

July 30, 2022
IPL

આવતા વર્ષે એક નહિ બે IPL યોજાશે, જાણો શું છે કારણ?

November 10, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In