ગોળ એ બારેય મહિના દરરોજ થોડા પ્રમાણમાં ખાવો જોઈએ. આયુર્વેદિક કહે છે કે ગોળ ખાવાથી ઘણી બીમારીઓને આપણા શરીરનું સરનામું જ મળતું નથી. અને ગોળ ખાવાના બીજા ઘણાબધા લાભો થતા જોવા મળે છે. ગોળ એ મીઠી ઔષધિ સમાન છે જે સ્વાદ પણ આપે છે અને સ્વાસ્થ્ય પણ સારું રાખે છે. તો ચલો મિત્રો, આ મીઠી ઔષધિના ફાયદા વિશે જાણીએ અને આપણે પણ મીઠી ઔષધિનું સેવન શરૂ કરીએ.
ગોળ ખાવાના ફાયદા
૬૦+ વાળા મિત્રોને યાદ હશે કે સવારે શીરામણમાં રોટલી કે રોટલો અને ગોળ-ઘી નિયમિત ખાતા હતા. બપોરે કે રાત્રે ભૂખ લાગે ત્યારે મગફળીની સાથે ગોળ ખાતા હતા. રાત્રે જમ્યાં પછી એક કાંકરી દેશી ગોળ ખાવાથી ખૂબ ફાયદો થાય છે.ગોળ ખાવાના ફાયદા તો બધાં જાણતા જ હશો. પણ અમે અહિયાં રાતના સુતા પહેલા ગોળ ખાવાના ફાયદા વિશે વાત કરશું
જો તમે ૭ દિવસ સતત રાતે ગોળ ખાયને સુવાનું રાખશો તો તમને તે ફાયદો કરશે. આયુર્વેદ મુજબ હમેશા તંદુરસ્ત રહેવા માટે રોજ લગભગ ૨૦ ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ. તેના વિષે અમે એક આયુર્વેદ નિષ્ણાંત સાથે વાત કરી તો તેમણે જણાવેલ કે ગોળમાં રહેલા તત્વ શરીરનાં એસીડને દુર કરે છે. જયારે ખાંડના સેવનથી શરીર માં એસિડનું પ્રમાણ વધી જાય છે. જે ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે.
આજકાલ સૌને ખબર છે કે આપણી લાઈફ સ્ટાઈલ મુજબ ખાવા પીવાનું યોગ્ય ટાઈમ પર ન રહેતું હોવાને કારણે માણસ કામ ઓછું કરે છે અને જલ્દી થાકી જાય છે એટલું જ નહિં ઘરડાની સાથે સાથે યુવાનો પણ તેમની ગણતરીમાં આવી જાય છે. યુવાન પણ જલ્દી થાકી જાય છે, થોડું કામ કરવાથી થાકનો અનુભવ કરવાં લાગે છે. તો મિત્રો શું આ જલ્દી થાક લાગે છે એનો ઇલાજ પણ હોય શકે..?? હા,છે અમારી પાસે ચલો જોઈએ નીચે મુજબ.
દેશી ગોળ ખાવાના ફાયદા
તમે જોયું હશે કે હમેશા મજુર ગોળનું સેવન કરતા જોવા મળે છે પણ તમે ક્યારેય એ વિચાર્યું છે કે તે ગોળનું સેવન કેમ કરે છે ? મજુર તમારાથી વધું મહેનત કરે છે તેમ છતાં પણ તે થાકતાં નથી તેનું મૂળ કારણ છે…તે નિયમિત રીતે ગોળનું સેવન કરે છે.
ભારતના લોકો જમ્યાં પછી ગળ્યું ખાવાની અવશ્ય ઈચ્છા રાખતા હોય છે. પણ જો તમારે આરોગ્ય જાળવી રાખવું હોય અને ગળ્યું પણ ખાવું હોય તો ગોળ એક ઉત્તમ ઓપ્શન તરીકે લઈ શકાય છે. ગોળનું ભારતીય સંસ્કૃતિમાં પોતાનું આગવું મહત્વ છે. ગોળ અને ખાંડ બન્ને શેરડીના રસમાંથી બને છે. પણ ખાંડ બનાવતી વખતે તેમાં રહેલ આયર્ન તત્વ, પોટેશિયમ ગંધક, ફોસ્ફરસ અને કેલ્શિયમ વગેરે તત્વોનો નાશ થઇ જાય છે. પણ ગોળ સાથે આવું બનતું નથી.ગોળમાં વિટામીન B પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
એક શોધ નું માનીએ તો ગોળ નિયમિત રીતે સેવન તમને અનેક પ્રકારના આરોગ્ય સબંધિત તકલીફોથી છુટકારો અપાવી શકે છે. આવો જાણીએ ગોળના થોડા મહત્વના ફાયદા ગોળ ફાયદા તો આપે જ છે ઉપરાંત કેટલીક તકલીફોમાંથી છુટકારો પણ અપાવે છે.
ગોળ નીચેની તકલીફોમાંથી છુટકારો અપાવી શકે છે.
1. સ્કીન થઇ જાય છે ચમકદાર:- ૭ દિવસ સુધી રોજ ગોળ ખાવાથી તમારી સ્કીન ક્લીયર અને હેલ્દી થઇ જશે કેમ કે ગોળ શરીર માંથી ટોક્સીન ને બહાર કાઢી નાખે છે. જેથી સ્કીન ચમકદાર બને છે. સ્કીન સબંધિત તકલીફ પણ દુર થતી જોવા મળે છે.
2. હાડકા થશે મજબુત :- ગોળ ખાવાથી હાડકા મજબુત થઇ જાય છે. તેમાં કેલ્શિયમ સાથે ફોસ્ફરસ પણ હોય છે જે હાડકાને મજબુત બનાવે છે. નબળાઈ થઈ જશે દુર : જો તમને નબળાઈનો અનુભવ થાય છે તો દૂધ સાથે ગોળ ખાવાથી આ તકલીફ દુર થઇ શકે છે. ગોળ શરીરમાં એનર્જી નું લેવલ વધારી દે છે. અને નબળાઈને દૂર કરે છે.
3. ગેસ અને એસીડીટી થશે દુર :- જો તમે રાત્રે ખાધા પછી સુતા પહેલા થોડો ગોળ ખાઈ લો છો તો ગેસ અને એસીડીટી ની તકલીફમાંથી છુટકારો મળી જશે.
4. માઈગ્રેન અને સામાન્ય માથાનો દુખાવો થઇ જાય છે દુર :- ગાયના ઘી સાથે ગોળ ખાવાથી માઈગ્રેન અને સામાન્ય માથાનો દુઃખાવો દુર થઇ જાય છે. સુતા પહેલા અને સવારે ખાલી પેટ ૫ મી.લિ. ગાયના ઘી સાથે ૧૦ ગ્રામ ગોળ એક દિવસમાં બે વખત ખાવ. માઈગ્રેન અને માથાનો દુખાવા માં રાહત થશે.
ગોળના 8 ચમત્કારી ફાયદા :
1. મેટાબોલીજમ :- ગોળ પાચન ક્રિયા ને યોગ્ય રાખે છે, ગોળ શરીરનું લોહી ચોખ્ખું કરે છે અને મેટાબોલીઝમ ઠીક કરે છે. રોજ એક ગ્લાસ પાણી સાથે ગોળનું સેવન પેટને ઠંડક આપે છે. તેનાથી ગેસની તકલીફ થતી નથી. જે લોકોને ગેસની તકલીફ છે તે રોજ લંચ કે ડીનર પછી થોડો ગોળ જરૂર ખાઓ. અને આ તકલીફ માંથી છુટકારો મેળવો.
2. એનીમિયા :- ગોળ આયર્ન નો મુખ્ય સ્ત્રોત છે. તેથી તે એનીમિયા ના દર્દી માટે ખુબ ફાયદાકારક છે. ખાસ કરીને મહિલાઓ માટે તેનું સેવન કરવું વધુ જરૂરી છે.
3. ત્વચા, ટોક્સીન દુર, ખીલ દૂર :- ત્વચા માટે ગોળ ખુબ ફાયદાકારક હોય છે ગોળ લોહીમાંથી ખરાબ ટોક્સીન દુર કરે છે. જેનાથી ત્વચા ચમકદાર બને છે અને ખીલની તકલીફથી પણ છુટકારો મેળવી શકાય છે.
4. જુકામ અને કફ :- ગોળનું સેવન જુકામ અને કફ થી આરામ અપાવે છે. જુકામ દરમિયાન જો તમે કાચો ગોળ ન ખાવા માગો તો ચા કે લાડવા માં પણ તેનો ઉપયોગ કરી શકો છો.
5. થાક અને નબળાઈ :- ખુબ વધું થાક અને નબળાઈ અનુભવ કરવા ઉપર ગોળનું સેવન કરવાથી તમારી એનર્જી વધી શકે છે. ગોળ જલ્દી પચી જાય છે અને ખાંડનું સ્તર પણ વધતું નથી.
6. તાવને નિયંત્રણ, દમ :- ગોળ શરીરમાં તાવનું નિયંત્રિત રાખે છે. તેમાં એન્ટી એલર્જીક તત્વ રહેલ છે તેથી દમના દર્દીઓ માટે તેનું સેવન ઘણું ફાયદાકારક સાબિત થાય છે.
7. સાંધાના દુખાવા:- ગોળ સાંધાના દુખાવા થી પણ આરામ અપાવી શકે છે.
8. બ્લડ પ્રેશર :- ગોળ માં વધું પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે જે બ્લડ પ્રેશર ને કન્ટ્રોલમાં રાખવામાં મદદરૂપ બને છે.
ગોળનું સેવન કરવાની રીત:-
1. દેશી ઘી સાથે :- જો તમને સામાન્ય રીતે જ ગોળ ખાવાની ઈચ્છા નથી થતી તો તમે ગોળ ને ઝીણો કતરી લો અને તેને દેશી ઘી માં ભેળવી દો પછી તેને રોટલી ઉપર મુકીને ખાશો તો તમને ખુબ એનર્જી મળશે.
2.સાંજે જમવામા :- ખાતી વખતે તમારે ગોળનું સેવન કરવું જોઈએ જેથી તમારું હિમોગ્લોબીનનું સ્તર ઝડપથી વધશે અને તમને એનર્જી મળશે.
3. છાશ ની સાથે :- તમે શિયાળામાં સવારે છાશ સાથે પણ ગોળ નું સેવન કરશો તો તમને તેનાથી ખુબ જ વધું એનર્જી મળશે અને તમને આવા સેવનથી સ્વાદ પણ આવે છે અને થાક પણ નથી લાગતો.
4. ચા – કોફીમાં :- ચા કે કોફીમાં ખાંડને બદલે ગોળ નાખો. બે-ચાર દિવસ નવું લાગશે. પછી ફાયદા જ ફાયદા..
મિત્રો, તમારા ભોજનમાં ત્રણ વસ્તુ સફેદ ઝેર છે, જેમ કે ખાંડ, મીઠું અને મેંદો તથા ત્રણ કાળા ઝેર ચા, કોફી અને કોલ્ડ્રિન્કને તિલાંજલિ આપશો તો જીવન જીવવા જેવું લાગશે. અને રોજીંદા જીવનમાં ગોળનો ઉપયોગ શરૂ કરો જેનાથી સ્વાસ્થ્ય પણ સુધારી શકાય અને બીજા ઘણા લાભો પણ મેળવી શકાય છે.
આ પણ વાંચો…