Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

આ દેશ માટે વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, 9ની તીવ્રતાનો ભૂકંપ આવશે તો અનેક લોકોના મોત થવાની સંભાવના

Editorial Team by Editorial Team
December 23, 2021
Reading Time: 1 min read
0
આ દેશ માટે વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, 9ની તીવ્રતાનો ભૂકંપ આવશે તો અનેક લોકોના મોત થવાની સંભાવના
Share on FacebookShare on Twitter

વૈજ્ઞાનિકોએ જાપાનને લઈને એક ભયાનક ચેતવણી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો રિક્ટર સ્કેલ પર 9ની તીવ્રતાનો ભૂકંપ આવશે તો ઉત્તર જાપાનમાં ભારે તબાહી સર્જાશે. તેમજ અનેક લોકોના મોત થઈ શકે છે. કારણ કે માત્ર ભૂકંપ જ નહીં, પરંતુ તેના પછી આવનારી વિનાશક સુનામી જીવનને સંપૂર્ણપણે બરબાદ કરી નાખશે. આ ચેતવણી જાપાન સરકારની કેન્દ્રીય આપત્તિ વ્યવસ્થાપન પરિષદ દ્વારા આપવામાં આવી છે.

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

જાપાનની કેન્દ્રીય આપત્તિ વ્યવસ્થાપન પરિષદે સરકારને અપીલ કરી છે કે આવી સ્થિતિથી બચવા માટે નવી પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડશે. જેથી મૃત્યુઆંક 80 ટકા સુધી ઘટાડી શકાય. તેમાં ભૂકંપ અને સુનામી પહેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કવાયત પણ સામેલ છે. આ સિવાય સુનામી બાદ ઈમારતોમાંથી લોકોને બચાવવાની પણ યોજના છે.

જાપાનની ભૂકંપની આગાહીથી સૌથી વધુ નુકસાન થવાની ધારણા પ્રશાંત મહાસાગરમાંના કાંઠે વસેલા હોકાઇડો, આઓમોરી, ઇવાતે, મિયાગી, આકિતા, યામાગાતા, ફુકુશિમા, ઇબારાકી અને શિબાને હાની થવાની શક્યતા છે. કારણ કે આ વિસ્તાર ચિશિમા ખાઈના કિનારે આવેલો છે. તેને કુરિલ ટ્રેન્ચ પણ કહેવામાં આવે છે.

જાપાનના વૈજ્ઞાનિકોને ડર છે કે જો 9ની તીવ્રતાનો ભૂકંપ આવશે તો તેના કારણે સર્જાયેલી સુનામીથી લગભગ 2.20 લાખ ઈમારતોને નુકસાન થશે. જેના કારણે 31.3 ટ્રિલિયન યેન એટલે કે 20.67 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો શિયાળાની ઋતુમાં ભૂકંપ-સુનામી આવે તો નુકસાન વધુ થશે. તેમજ રાત્રી દરમિયાન આવી ઘટના બને તો મુશ્કેલી અનેકગણી વધી જાય છે. જામી ગયેલા બરફને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડશે. બર્ફીલા રસ્તાઓ પરથી લોકોને વહેલી તકે સલામત સ્થળે લઈ જવાથી અકસ્માતોનું જોખમ વધુ વધશે. સૌથી વધુ ખતરો ઉત્તર-પૂર્વ વિસ્તારમાં તોહોકુ નજીક છે. કારણ કે અહીં જાપાન ટ્રેન્ચ છે.

વિજ્ઞાનીઓનો અંદાજ છે કે જો 9ની તીવ્રતાનો ભૂકંપ આવશે તો માર્ચ 2011ના ભૂકંપ અને સુનામી કરતાં 10 ગણો વધુ વિનાશ થશે. વર્ષ 2011માં જાપાનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. જેના કારણે સુનામીના કારણે લગભગ 18 હજાર લોકોના મોત થયા હતા.

કેન્દ્રીય આપત્તિ વ્યવસ્થાપન પરિષદે કહ્યું છે કે જો અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવે તો મૃત્યુઆંક 30 હજાર સુધી સીમિત થઈ શકે છે. પરંતુ આ માટે સરકારે ઉંચી જગ્યાઓ પર ઉંચી ઈમારતો બાંધવી પડશે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવી પડશે. તેનાથી 80 ટકા લોકોને બચાવી શકાય છે. પરંતુ તેમ છતાં દરેકને બચાવવું મુશ્કેલ બનશે. 9ની તીવ્રતા સાથે ભૂકંપથી સૌથી વધુ હોકાઈડો પ્રીફેક્ચર પીડાશે. અહીં લગભગ અનેક લોકોના મોત થવાની આશંકા છે.

જો ચિશિમા ટ્રેન્ચમાં 9ની તીવ્રતાનો ભૂકંપ આવે તો ત્યાં પણ ઘણાં લોકોના મોત થવાની આશંકા છે. આ સાથ ઘણી ઈમારતો ધરાશાયી થવાનું જોખમ પણ રહેશે. આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સતોશી નિનોયુએ કહ્યું કે અમે આફતોની આગાહી પર અભ્યાસ કરીએ છીએ. જેથી કરીને લોકોને સુરક્ષિત રાખવા માટે યોગ્ય પગલાં લઈ શકાય. કુદરતી આફતોથી લોકોને બચાવવાની અમારી મુખ્ય પ્રાથમિકતા છે.

વર્ષ 2006માં પણ સમાન અંદાજો રજૂ કરવામાં આવ્યા હતા. માર્ચ 2011માં સુનામી પછી જાપાન સરકારે આજના હિસાબે તેના તમામ જૂના અંદાજોની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો. જે બાદ આ નવો અભ્યાસ સામે આવ્યો છે. કારણ કે ચિશિમા ટ્રેન્ચ અને જાપાન ટ્રેન્ચ બંને જાપાન માટે જોખમી છે. જો અહીં મોટા પાયે ધરતીકંપ આવે છે, તો નુકસાનની સંભાવના ઘણી વધારે છે.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
આટલા લાખની નકલી નોટો સાથે 2 આરોપી ઝડપાયા, આંતરરાષ્ટ્રીય રેકેટનો થયો પર્દાફાશ

આટલા લાખની નકલી નોટો સાથે 2 આરોપી ઝડપાયા, આંતરરાષ્ટ્રીય રેકેટનો થયો પર્દાફાશ

દુનિયાની સૌથી ખતરનાક રાઈફલ AK-47 બનાવનાર અને દિલથી કવિતાઓ લખનાર કવિની અદ્દભૂત કહાની

દુનિયાની સૌથી ખતરનાક રાઈફલ AK-47 બનાવનાર અને દિલથી કવિતાઓ લખનાર કવિની અદ્દભૂત કહાની

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આગ, ગરમ વરાળ અને તેલથી દાઝવા પર અપનાવો ઘરેલુ ઉપાય, જરૂર ફાયદો થશે

આગ, ગરમ વરાળ અને તેલથી દાઝવા પર અપનાવો ઘરેલુ ઉપાય, જરૂર ફાયદો થશે

August 31, 2022
jalpari

સમુદ્રની જળ પરીઓનું રહસ્ય, શું હકીકતમાં જળપરીઓ હોય છે, જાણો હકીકતમાં બનેલી ઘટનાઓ

November 22, 2020
ગરમીમાં કેમ થાય છે શરદી અને ઉધરસ, જાણો આ સમસ્યા થવાનું કારણ, ઈલાજ અને ઘરેલું ઉપાયો વિષે

ગરમીમાં કેમ થાય છે શરદી અને ઉધરસ, જાણો આ સમસ્યા થવાનું કારણ, ઈલાજ અને ઘરેલું ઉપાયો વિષે

May 12, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In