Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

માત્ર 15 દિવસ કરો આ જ્યુસનું સેવન, શરીરમાં ક્યારેય લોહીની ઉણપ નહી થાય

Editorial Team by Editorial Team
March 16, 2022
Reading Time: 1 min read
0
માત્ર 15 દિવસ કરો આ જ્યુસનું સેવન, શરીરમાં ક્યારેય લોહીની ઉણપ નહી થાય
Share on FacebookShare on Twitter

આજના આ આર્ટિકલમાં અમે વાત કરવાના છીએ, શરીરમાં લોહીની ઉણપને દુર કરવાના ઘરેલું અસરકારક ઉપાય વિષે. શરીમાં લોહીને ઉણપને દુર કરવા બીટ અને તેના જ્યુસના સેવનથી ફાયદો થાય છે. બીટ એક એવું કંદમૂળ છે જેમાં મળતા પોષક તત્વોથી તેના આયુર્વેદી ફાયદાઓ ખુબ જ વધારે છે. બીટમાં ભરપુર માત્રામાં આયર્ન તત્વ હોય છે જે લોહીની વૃદ્ધિ માટે જવાબદાર માનવામાં આવે છે. બીટનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ ઝડપથી દુર થાય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

બીટનું સેવન તમે જ્યુસ અથવા સલાડ રૂપે કરી શકો છો. બીટમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, સોડીયમ, વિટામીન-B1, વિટામીન-B12, વિટામીન-B1 અને વિટામીન-C વધારે પ્રમાણમાં હોય છે. સામાન્ય રીતે બીટનું સેવન સલાડ, હલવો કે જ્યુસના સ્વરૂપે કરી શકાય છે. આ બધામ બીટના જ્યુસને વધારે ગુણકારી માનવામાં આવે છે.  બીટના બે પ્રકાર છે, લાલ બીટ અને સફેદ બીટ. આ બંનેમાં લાલ બીટને વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. લાલ બીટમાં વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને વિટામીન હોય છે. બીટમાં ચરબીનું પ્રમાણ ખુબ જ ઓછા પ્રમાણમાં હોવાથી તમે તેને તમારા ડાયટ પ્લાનમાં પણ ઉમેરી શકો છો, ચાલો જાણીએ બીટના સેવનથી શરીરને થતા ફાયદા વિષે.

આ રીતે બનાવો બીટનું જ્યુસ : બીટનું ટેસ્ટી જ્યુસ બનાવવા માટે સૌપ્રથમ અડધો કપ પાણીમાં બીટના ટુકડાને ઉમેરીને મિક્સરમાં બરાબર ક્રશ કરો, ત્યારબાદ આ રસને એક ગ્લાસમાં લ્યો. ત્યારપછી તેમાં અડધા લીંબુનો રસ અને સંચળ મિક્સ ઉમેરીને બરાબર હલાવો. આમ આ રીતે બીટનું જ્યુસ બનાવીને નિયમિત સેવન કરવાથી ઘણી બધી બીમારીઓમાં રાહત મેળવી શકાય છે.

હાઈ બ્લડપ્રેશર : હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તેના માટે બીટનું સેવન ઉત્તમ મનાય છે. બીટના રસમાં વધારે પ્રમાણમાં નાઈટ્રેટસ હોય છે જે લોહીના દબાણને ઓછો કરે છે. એક માહિતી અનુસાર દરરોજ 500 ગ્રામ બીટનું સેવન કરવાથી માત્ર 6 કલાકમાં બ્લડપ્રેશરની સમસ્યા દુર થાય છે.

એનીમીયાની સમસ્યા : એનીમીયાની સમસ્યામાં બીટને ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બીટમાં વધારે પ્રમાણમાં આયર્ન તત્વ હોય જે શરીરમાં રક્તકણોનું નિર્માણ કરે છે. બીટના રસનું નિયમિત સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીનની માત્ર ઝડપથી વધે છે અને એનીમિયા જેવી બીમારીને દુર કરે છે.

હાડકાને મજબુત બનાવે : બીટમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોવાથી હાડકાને મજબુત બનાવવા ઉપયોગી થાય છે. બીટના જ્યુસનું નિયમિત સેવન કરવાથી હાડકા મજબુત થાય છે સાથે હાડકાનું દર્દ અને નબળાઈ પણ દુર થાય છે. બીટનું નિયમિત સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની કમી દુર થાય છે અને હાડકા મજબુત બને છે.

પેટની સમસ્યા દુર કરે : પેટની સમસ્યામાં સવારે ખાલી પેટ એક ગ્લાસ બીટનુ જ્યુસ અને મધ મિક્સ કરીને પીવાથી પેટની ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે અને પાચનશક્તિમાં વધારો કરી શકાય છે. બીટમાં ફાયબરનું પ્રમાણ રહેલું હોય છે માટે તેનું નિયમિત સેવનથી કબજીયાતની સમસ્યામાં ફાયદો થાય છે.

ડાયાબિટીસ : બીટના સેવનથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ નિયત્રણમાં રહે છે અને ડાયાબિટીસની સમસ્યામાં બીટ ફાયદાકારક થાય છે. બીટના સેવનથી ડાયાબિટીસના દર્દીને સ્વીટ ખાવાની ઈચ્છાને શાંત રાખી શકાય છે અને બ્લડ શુગરના લેવલને કંટ્રોલમાં કરી શકાય છે. બીટના રસનું નિયમિત સેવન કરવાથી હાયપરટેન્શન અને હાર્ટ સંબધિત બીમારીઓનું જોખમ ઘટે છે.

ચેહરા પરની કરચલીને દુર કરવા : બીટનું સેવન કરવાથી શરીરમાં લોહીનું પરીભ્રમણ સારી રીતે થાય છે અને તેના પરિણામ સ્વરૂપે ચામડીમાં નીખર આવે છે. બીટમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ  ચેહરા પરની કરચલીઓને દુર કરવા મદદરૂપ બને છે. બીત ચેહરા પરની કરચલીને દુર કરવા ખુબ ફાયદાકારક સાબિત થાય છે.

ટાલ પડવાની સમસ્યામાં :  નિયમિત બીટના પાનાનો રસ માથા પર લગાવાથી ટાલ પડવાની સમસ્યા દુર થાય છે. બીટના પાનને વાટીને હળદર ભેળવી મિક્સ કરી પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને માથામાં પર લગાવાથી વાળ ખરતા બંધ થાય છે, અને ટાલ પડવાની સમસ્યા દુર થાય છે.

ગર્ભવતી મહિલાઓ માટે : બીટમાં ફોલિક એસિડની માત્રા વધારે પ્રમાણમાં હોય છે જે ગર્ભવતી મહિલાઓ માટે લાભદાયક થાય છે. ફોલિક એસિડ ગર્ભવતી મહિલાઓ અને જન્મેલા બાળકો માટે ખુબ જ ફાયદાકારક છે. ફોલિક એસીડ બાળકમાં ન્યુરલ ટ્યુબના દોષોને રોકવામાં મદદ કરે છે.

આવી રીતે, બીટ અને તેનું જ્યુસસેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે બીટ તથા તેના જ્યુસનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી સમસ્યાઓ દુર થાય. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

Tags: BeetrootHealth Benefits of Beetroot
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
ત્રણ ત્રણ સરકારી નોકરી છોડીને સની દેઓલની ફિલ્મ જોઈને પસંદ કર્યું પોતાનું લક્ષ્ય, બન્યો આઈપીએસ અધિકારી

ત્રણ ત્રણ સરકારી નોકરી છોડીને સની દેઓલની ફિલ્મ જોઈને સાકાર કર્યું પોતાનું લક્ષ્ય, બન્યા IPS અધિકારી

મહાશિવરાત્રી પર્વ : જાણો રાશિ પ્રમાણે મહાશિવરાત્રી પર ભોળાનાથનો અભિષેક કેવી રીતે કરવો

મહાશિવરાત્રી પર્વ : જાણો રાશિ પ્રમાણે મહાશિવરાત્રી પર ભોળાનાથનો અભિષેક કેવી રીતે કરવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગરમીની ઋતુમાં જરૂર ખાઓ આ 9 શાકભાજી, રહેશો એકદમ તાજા માજા

ગરમીની ઋતુમાં જરૂર ખાઓ આ 9 શાકભાજી, રહેશો એકદમ તાજા માજા

May 14, 2022
આ 4 નિયમોનું દરરોજ પાલન કરો, ગમે તેટલું વજન અને ચરબી ઓછી થવાનું શરુ થઇ જશે

આ 4 નિયમોનું દરરોજ પાલન કરો, ગમે તેટલું વજન અને ચરબી ઓછી થવાનું શરુ થઇ જશે

December 11, 2022
માત્ર એક જ વાર ખાઓ નાકની એલર્જી, વહેતું નાક, શરદી, ખાંસી ઠીક થઈ જશે

માત્ર એક જ વાર ખાઓ નાકની એલર્જી, વહેતું નાક, શરદી, ખાંસી ઠીક થઈ જશે

October 13, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In