ગરમીની સીજન ચાલુ થઇ ગઈ છે, એવામાં ગરમીને ધ્યાનમાં રાખીને ફળો, શાકભાજી, ખાણીપીણીનું સેવન કરવાથી શરીરને અનેક બીમારીઓ દુર રાખી શકાય છે. ગરમીની સીજનમાં ખાનપાનનું ધ્યાન રાખવાની ખુબ જ જરૂર પડે છે. આ સીજનમાં યોગ્ય માત્રામાં પાણી પીવું જરૂરી છે સાથે સાથે શરીરમાં પાણીની માત્રા જાળવી રાખે તેવા ફળોનું સેવન પણ અત્યંત જરૂરી છે.
ખરેખર કેટલીક બીમારીઓ છે જે મોસમ પ્રમાણે જ આવે છે જેમાં ગરમીની સીજનમાં ડિહાઈડ્રેશન, ડાયરિયા, ફૂડ પોયજનિંગ, થવાની શક્યતા ખૂબ વધી જાય છે. એટલું જ નહીં આ મોસમામ જ તીવ્ર તડકો અને પરસેવાના કારણથી હીટ સ્ટોક, ડિહાઈડ્રેશનથી પણ લોકો બીમાર પડે છે. એવામાં આ ફળોના સેવનથી શરીરની ઘણી બધી બીમારીઓ ભાગશે દુર. આ મોસમમાં થોડી પણ બેદરકારી રાખી તો સ્વાસ્થ્ય પર ભારી પડી શકે છે. ચાલો જાણીએ ગરમીની સીજનમાં આ ફળોનું સેવન કરવાથી થતા ફાયદા વિષે.
નારિયેળ : ગરમીની સીજનમાં નારીયેળ પાણી અમૃત સમાન ગણાય છે, નારિયેળ પાણીના સેવનથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહેશે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. માટે ઉનાળામાં દરરોજ નારિયેળ પાણી પીવું આવશ્યક છે. નારિયેળ પાણી શરીરને ઉર્જાવાન રાખવાની સાથે પેટની સમસ્યાને દુર કરવામાં પણ મદદ કરે છે. નારિયેળ પાણીમાં અનેક પ્રકારના બાયોએક્ટીવ એન્ઝાઈમ હોય છે જે કોલેસ્ટ્રોલના પાચનમાં મદદ કરે છે. નારિયેળ પાણીના સેવનથી હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે અને માઈગ્રેનની સમસ્યામ પણ રાહત આપે છે. ઉનાળામાં નારિયેળ પાણી સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે.
તરબૂચ : તરબૂચ એ એક એવું ફળ છે જે ફેટ ફ્રી અને હાઇડ્રેઇટીંગ છે, સાથે જ શરીરમાં લોહીની ઉણપ દૂર કરે તથા આંખો અને વાળનું રક્ષણ કરે છે. તરબૂચ 92 ટકા પાણી હોય છે જે ખાવાથી શરીરનું તાપમાન અને પાણીની માત્રા બરાબર રહે છે, સાથે જ શરીર હાઈડ્રેટ રહે છે.
સ્વાદિષ્ટ અને મીઠા તરબૂચમાં લાઈકોપિન, એન્ટીઓક્સીડન્ટ અને ભરપુર માત્રામાં વિટામીન -A, વિટામીન- C અને વિટામીન-B6 હોય છે. તરબુચમાં ભરપુર માત્રામાં પોટેશિયમ હોય છે જે હૃદય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તરબૂચમાંના સેવનથી શરીરમાં લોહીનો પ્રવાહ નિયમિત રહે છે.
નારંગી : ગરમીની સીજનમાં નારંગી એક બેસ્ટ ફળ છે. નારંગીમાં ભરપુર પ્રમાણમાં પોટેશિયમ, ફાયબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન-C, વિટામીન-E અને વિટામીન-A હોય છે. નારંગીના સેવનથી વારવાર થતી શરદી દુર થાય છે સાથે શરીરની ઈમ્યુનીટી મજબુત થાય છે અને શરીરનું વજન ઘટે છે.
સીજનલ બીમારીઓથી બચવા માટે નારંગીનું સેવન ઉત્તમ માનવામાં આવે છે. નારંગીમાં કેરોટીનોઈડ તત્વ હોય છે જે લીવર સંબધિત સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. નારંગીમાં રહેલું પોટેશિયમ તત્વ હદયને સ્વસ્થ રાખે છે. નારંગીમાં રહેલું વિટામીન-C કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખે છે અને હાર્ટની બીમારીઓથી બચાવે છે. માટે જ નારંગીનું સેવન શરીર માટે ઉત્તમ સાબિત થાય છે.
કેરી : કેરીને આમ જ ફળોનો રાજા કહેવામાં નથી આવતી, કેરીમાં એવા તત્વો હોય છે જે ત્વચાનો રંગને શુદ્ધ કરે છે. કેરીમાં વિટામીન-C, વિટામીન-K અને વિટામીન-A, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન ઉપરાંત સોડીયમ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, કોપર વગેરે જેવા જરૂરી તત્વો હોય છે. પરંતુ કેરી ખાતા પહેલા તેને થોડા કલાક પાણીમાં રાખો પછી જ ખાવી ફાયદાકારક છે.
કેરી ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત થાય છે સાથે જ તમારા પાચને પણ મજબૂત કરે છે. કેરીના સેવનથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોના લેવલને ઘટે છે. માટે જ ફળોનો રાજા કેરીની તો વાત જ કઈક ઓર જ છે. ઉનાળામાં કરી ખાવી સૌને ખુબ જ પસંદ હોય છે.
શક્કરટેટી : ઉનાળામાં શક્કરટેટી ખાવી બધાને ખુબ જ પસંદ હોય છે. શરીરને હાઇડ્રેઇટીંગ રાખવા શક્કરટેટી પણ એક સારો વિકલ્પ છે. ગરમીની સીજનમાં શક્કરટેટી ખાવાથી શરીરમાં પુરતા પ્રમાણમાં પાણી રહે છે અને શરીર હાઇડ્રેઇટીંગ રહે છે. શક્કરટેટીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન, વિટામીન ભરપુર માત્રામાં હોય છે જેથી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
શક્કરટેટીના સ્વાદિષ્ટ હોવાની સાથે તે બ્લડપ્રેશર, આંખોની તકલીફ, અસ્થમા, શરીરના સોજા વગેરે જેવા અનેક રોગો માટે તે ઉપયોગી સાબિત થાય છે. શક્કરટેટીના પલ્પને માથામાં લગાવવાથી તે કુદરતી હેર-કન્ડીશનરનું કામ કરે છે. શક્કરટેટીના બીજના ફાયદાની વાત કરીએ તો હૃદય રોગ, વજન ઓછું કરવા, પાચન માટે ફાયદો પહોચાડે છે. શક્કરટેટીને પણ થોડા કલાક પાણીમાં ઠંડી કરીને ખાવી સારું માનવામાં આવે છે.
કાકડી : કાકડીનું સેવન પણ ગરમીની સીજનમાં ફાયદાકારક સાબિત થાય છે. કાકડીના સેવનથી શરીરમાં પાણીના સ્તરને જાળવવામાં મદદરૂપ થઇ શકે છે કારણ કે કાકડીમાં કુદરતી પ્રમાણમાં પાણી હોય છે. કાકડીમાં એક ખાસ પ્રકારનું એન્ઝાઈમ પણ હોય છે જે આંતરડાનું આરોગ્ય જાળવે છે. કાકડીના સેવનથી ત્વચા પણ તંદુરસ્ત રહે છે. માટે જ તમે કકડીને સલાડના રૂપમાં ખાઈ શકો છો.
આવી રીતે, ગરમીની સીજનમાં ઉપર જણાવેલા ફળોનું સેવન કરવાથી ડિહાઈડ્રેશન અને શરીરના બીજા રોગોને દુર કરી શકાય છે. રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે, આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.