Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

રક્તદાન કરવાથી થતા આ ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ, આજ સુધી તમે પણ નહી જાણતા હોવ

Editorial Team by Editorial Team
March 29, 2022
Reading Time: 1 min read
0
રક્તદાન કરવાથી થતા આ ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ, આજ સુધી તમે પણ નહી જાણતા હોવ
Share on FacebookShare on Twitter

ઘણાં લોકો રક્તદાન કરતા અચકાતા હોય છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે રક્તદાન કરવાથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો, વજન નિયંત્રણ અને વધુ સારું સ્વાસ્થ્ય જેવા ઘણા ફાયદા મળે છે. રક્તદાન કરનારાનું શરીર અને મન બંને પર રક્તદાનની મોટી અસર પડે છે. ડો. સ્નેહલ સિંઘ કહે છે, “રક્તદાન કરીને તમે કોઈને જીવન આપવાનું તો એક મહાન કાર્ય કરી રહ્યા છો, સાથે સાથે તે તમારા પોતાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. રક્તદાન રક્તદાતાના શરીર અને મન બંને પર સારી અસર પાડે છે. ત્યારે દુ:ખની વાત એ છે કે આપણા માંથી મોટાભાગના લોકો આ ફાયદાઓ જાણતા નથી. આ અંગે જાગૃતિ ફેલાવીને વધુને વધુ લોકોને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે.” 18 થી 60 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. ફક્ત, આ માટે તે જરૂરી છે કે તે સ્વસ્થ હોય.

RELATED POSTS

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

જો તમને કોઈ રોગ છે અથવા તમે કોઈ દવા લઈ રહ્યા છો, તો રક્તદાન કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી અને રક્તદાન પરીક્ષણ સમયે સંપૂર્ણ માહિતી આપવી વધુ સારું છે. ડો.સ્નેહલે જણાવ્યું હતું કે હિમોગ્લોબિનનું સ્તર યોગ્ય છે અને મહિલાઓ પણ આરોગ્યનું ધોરણ પૂર્ણ કરે તો તેઓ રક્તદાન કરી શકે છે. પરંતુ માસીક ધર્મ, ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમ્યાન મહિલાઓએ રક્તદાન કરવાનું ટાળવું જોઈએ.

ડો.સ્નેહલે જણાવ્યું કે અત્યંત કાળજી સાથે કરવામાં આવેલ રક્તદાન સંપૂર્ણપણે સલામત હોય છે અને તમે જરૂરિયાતમંદ વ્યક્તિને આપી શકો તે શ્રેષ્ઠ ભેટ હોય શકે છે. અને હા તે જાણવું પણ યોગ્ય છે કે લોહીને પ્લાઝ્મા, પ્લેટલેટ્સ અને લાલ રક્તકણો જેવા ઘટકોમાં તોડી શકાય છે. તેને અલગ કરીને, એક જ રક્તદાનથી ત્રણ જીવન બચાવી શકાય છે. ચાલો જાણીએ રક્તદાન કરવાથી શરીરને થતા આ ફાયદા વિષે.

હૃદયના આરોગ્યમાં સુધારો કરે : રક્તદાન કરવાથી તમારા હૃદયની તંદુરસ્તી સુધરી શકે છે અને હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે. એવું માનવામાં આવે છે કે લોહીમાં આયર્નની ઉચી માત્રા હૃદયના જોખમને વધારી શકે છે. નિયમિત રક્તદાન કરવાથી, આયર્નની વધારાની માત્રા નિયંત્રિત થાય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારી છે.

લાલ રક્તકણોના ઉત્પાદનમાં વધારો : રક્તદાન કર્યા પછી તમારું શરીર રક્તને પૂર્ણ કરવા માટે કામમાં લાગી જાય છે. આથી શરીરની કોશિકાઓ વધું લાલ રક્તકણો ઉત્પન્ન કરવા માટે પ્રોત્સાહિત થાય છે, જે તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે અને શરીરને શ્રેષ્ઠ રીતે કાર્ય કરવામાં મદદ કરી શકે છે.

વજન ઘટાડવામાં મદદ કરશે : રક્તદાન કરવાથી કેલેરી ઓગળવા અને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. લાલ રક્તકણોનું સ્તર આગામી કેટલાક મહિનાઓમાં બરાબર બની જાય છે. આ દરમિયાન, તંદુરસ્ત આહાર અને નિયમિત કસરત વજન નિયંત્રણમાં મદદ કરે છે. જો કે, રક્તદાન કરવું એ વજન ઘટાડવાની રીત ન કહી શકાય. તે માત્ર સારા સ્વાસ્થ્ય માટે એક સાધન છે, વજન ઘટાડવાની યોજનાનો ભાગ નથી. તેથી વધારે પડતું ટાળો અને જેમ જાણકાર લોકો કહે તેમ કરો.

કેન્સરનું જોખમ ઘટાડે છે : નિયમિત સમયે લોહીનું દાન કરીને તમે તમારા શરીરને વધારાના આયર્નથી સુરક્ષિત કરી શકો છો. તે અમુક પ્રકારના કેન્સરનું જોખમ પણ ઘટાડે છે.

સારું સ્વાસ્થ્ય : નિયમિત રક્તદાન શરીરના કોષોને ઉત્તેજિત કરે છે, જે શરીરની તંદુરસ્તી સુધારે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સાથે જ રક્તદાન દ્વારા એક સારું કાર્ય કરવાનો વિચાર પણ સંતોષ આપે છે.

સ્વાસ્થ્ય તપાસની તક મળશે 
આ સ્વાસ્થ્ય લાભો ઉપરાંત રક્તદાનની પ્રક્રિયામાં રક્તદાન કરતા પહેલા તમારું રક્ત અને તમારું સ્વાસ્થ્ય પણ નિશુલ્ક તપાસવામાં આવે છે. રક્ત પરીક્ષણો દ્વારા હિમોગ્લોબિનનું સ્તર શોધી કાઢવામાં આવે છે અને ચોક્કસ ચેપ, રોગોની શક્યતા પણ તપાસવામાં આવે છે. બ્લડ ટેસ્ટનો ઉપયોગ એ જાણવા માટે થાય છે કે વ્યક્તિ રક્તદાન કરવા માટે તૈયાર છે કે નહીં. તેથી, નિયમિત રક્તદાન કરીને, તમે તમારા સ્વાસ્થ્ય પર પણ નજર રાખી શકો છો.

Tags: donating bloodHealth Benefits of benefits of donating bloodરક્તદાનરક્તદાન કરવાના આટલા ફાયદા
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ
ઘરેલું ઉપચાર

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

December 26, 2022
Next Post
એક નહીં અનેક સમસ્યાનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના અદ્ભુત ફાયદા વિશે

એક નહીં અનેક સમસ્યાનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના અદ્ભુત ફાયદા વિશે

બોક્સ ઓફિસ પર તારાની જેમ ચમકી RRR ફિલ્મ, બીજા દિવસે કમાણીમાં થયો આટલો મોટો ઉછાળો

બોક્સ ઓફિસ પર તારાની જેમ ચમકી RRR ફિલ્મ, બીજા દિવસે કમાણીમાં થયો આટલો મોટો ઉછાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ એક ઉપાયથી ધાધરને એક જ વખતમાં જડમૂળથી મટાડી શકાય છે

આ એક ઉપાયથી ધાધરને એક જ વખતમાં જડમૂળથી મટાડી શકાય છે

June 16, 2022
કોલેસ્ટ્રોલ, નસ બ્લોકેજ, સાંધાનો દુખાવો, ડાયાબીટીસ, હાડકા, હાર્ટએટેક નો ઉપાય છે આ પાવડર

કોલેસ્ટ્રોલ, નસ બ્લોકેજ, સાંધાનો દુખાવો, ડાયાબીટીસ, હાડકા, હાર્ટએટેક નો ઉપાય છે આ પાવડર

October 1, 2022
નિયમિત સાંજે 5 થી 7 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે સેવન કરજો, થશે આ ગજબના ફાયદા

નિયમિત સાંજે 5 થી 7 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે સેવન કરજો, થશે આ ગજબના ફાયદા

May 18, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In