અંજીર જેવું દેખાતું ગૂલર વિશે તમે ઘણું સાંભળ્યું અને વાંચ્યું હશે. પરંતુ શું તમે ગૂલરના ફાયદા વિશે જાણો છો? તો તમને જણાવી દઈએ કે ઔષધીય ગુણોથી ભરપૂર ગૂલર એક નહીં પરંતુ અનેક પ્રકારની તકલીફ દૂર કરવામાં ખાસ ભૂમિકા ભજવે છે. 1mg અનુસાર ગૂલરનું ફળ ન નહીં પરંતુ છાલ પણ અને દૂધ પણ સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા પહોચાડે છે. આવો જાણીએ તેના ફાયદા વિશે.
કહેવત છે કે જેણે ગૂલરનું ફૂલ જોઈ લીધું, તેનું ભાગ્ય ચમકી જાય છે. એ પણ કહેવામાં આવે છે કે ગૂલરનું સેવન કરનારા વૃદ્ધ પણ જુવાન થઈ જાય છે. તમે પણ ગૂલરના ફાયદાથી જોડાયેલી એવી ઘણી કહાનીઓ સાંભળી હશે પરંતુ હકીકત શું છે, કદાચ નહીં જાણતા હોય. પરંતુ જો ગૂલરથી થનારા ફાયદા વિશે નથી જાણતા તો આ લેખ તમારા માટે છે, કારણ કે ગૂલરના વૃક્ષ અથવા ગૂલરનું ફૂલ કોઈ સામાન્ય વૃક્ષ અથવા ફૂલ નથી, પરંતુ આ એક ખૂબ જ ઉત્તમ જડીબુટ્ટી પણ છે.
આયુર્વેદ અનુસાર, રક્તસ્ત્રાવ રોકવું, મૂત્ર રોગ, ડાયાબિટીઝ તેમજ શરીરના બળતરામાં ગૂલરની છાલ તેમજ કાચા ફળ ઉપયોગી થાય છે. ગૂલરની છાલ તેમજ પાનથી સોજાની સમસ્યા અને દુખાવો દૂર થાય છે. આ જૂનામાં જૂના ઘાવને પણ મટાડી શકે છે. આ અનેક પ્રકારની બીમારીમાં તમે ગૂલરના ફાયદા લઇ શકો છો. ચાલો જાણીએ ગુલર ફળના ફાયદા વિષે.
પેટનો દુખાવો : પેટ દુખાવો થવા પર ગૂલરના ફળનું સેવન કરી શકાય છે. તેનુ ફળ ખાવાથી પેટ દુખાવો અને ગેસની તકલીફમાં ઘણો આરામ મળે છે.
ડાયાબિટીસ : ડાયાબિટીસની સમસ્યાને દૂર કરવા માટે ગૂલરનું ફળની છાલ સૂકવીને પીસી પાવડર બનાવી લો. તેમાં બરાબર પ્રમાણમાં મિશ્રી ઉમેરીને ગાયનું દૂધ સાથે ખાવાથી મુશ્કેલીઓ દૂર થાય છે, પરંતુ તેનું માત્ર 6-6 ગ્રામ સવાર- સાંજે જ સેવન કરો.
નબળાય દૂર કરે : કોઈ પણ કારણથી જો તમારા શરીરમાં નબળાઇ મહેસૂસ થતી હોય તો તમે તેના માટે ગૂલરના ફળની મદદ લઇ શકો છો. આ માટે તમે ગૂલરના સૂકા ફળને પીસીને પાવડર બનાવી લો અને તેનું દસ ગ્રામ પ્રમાણમાં સેવન કરો.
ઘાવ મટાડવા માટે : ગૂલરમાં કઠિનથી કઠિન ઘાવ મટાડવાની ક્ષમતા છે. ગૂલરના દૂધમાં રૂ પલાળીને ઘાવ પર રાખવાથી ઘા મટી જાય છે. ઘા પર ગૂલરની છાલ બાંધવી અને કેન્સરની ગાંઠ પર ગૂલરના પાન ઘસવાથી લાભ થાય છે. ગૂલરના કાચા ફળનું ચૂર્ણમાં બરાબર ભાગ ખાંડ મિક્સ કરો. આ ચૂર્ણને 2 થી 6 ગ્રામની માત્રામાં કાચુ દૂધ અથવા મિશ્રી ઉમેરી લસ્સી સાથે સેવન કરો. આથી શરૂઆતી અવસ્થામાં ઘાથી ખાસ લાભ થાય છે.
નસકોરી ફૂટવા પર : નસકોરી ફૂટવા પર નાકમાંથી લોહી પડે તે સમયે ગૂલરની છાલથી રાહત મળે છે. 20-30 ગ્રામ ગૂલરની છાલને પાણીમાં પીસીને તાળવા પર લગાવવાથી નાકમાંથી લોહી પડવાનું બંધ થાય છે.
લ્યૂકોરિયાની તકલીફમાં : મહિલાઓની લ્યૂકોરિયા બીમારીને મટાડવા માટે પણ તમે ગૂલરના રસની મદદ લઈ શકો છો. તેના માટે ગૂલરનો પાંચ ગ્રામ રસને મિશ્રી સાથે મિક્સ કરીને પી શકાય છો.
ગૂલરના દૂધથી હરસનો ઇલાજ : ગૂલરના દૂધના 10-20 ટીપાને પાણીમાં મિક્સ કરીને પીવાથી હરસમાંથી લોહી નીકળવું અને લોહી વિકારમાં લાભ થાય છે. ગૂલરના દૂધને મસા પર લેપ કરો. સારવાર દરમિયાન ઘીનું વધું સેવન કરો. ગૂલરના દૂધમાં રૂઇ પલાળીને ભગંદરની અંદર રાખો. તેને રોજ બદલતા રહેવાથી ભગંદર મટી જાય છે. લૂઝ મોશન એટલે ઝાડાની તકલીફ થવા પર ગૂલરના દૂધની 4-5 ટીપા પતાસામાં નાંખીને દિવસમાં ત્રણ વાર ખાવાથી ઘણો આરામ મળે છે.
ગૂલરના દૂધથી મૂત્ર રોગની સારવાર : રોજ સવારે દર્દીએ ગૂલરના 2-2 પાકેલું ફળનું સેવન કરવાથી પેશાબની સમસ્યા દૂર થાય છે અને પેશાબ છુટ થાય છે. 4-5 ટીપા ગૂલર દૂધને પતાસામાં નાંખી દો. તેનું દિવસમાં ત્રણ વાર સેવન કરવાથી મૂત્રને લગતી બીમારીઓમાં લાભ થાય છે.
ગૂલરના વૃક્ષથી તાવની સારવાર : ગૂલરના તાજા મૂળના 5-10 મિલી રસમાં અથવા મૂળની છાલના 20-30 મિલી રસને 10 ગણા પાણીમાં પલાળી લો. તેને ત્રણ કલાક પછી ગાળીને ખાંડમાં મિક્સ કરી લો. તેને સવારે સાંજે પીવાથી તાવમાં લાગતી પાણીની તરસની પરેશાનીમાં લાભ થાય છે.
આમ ગૂલર ફળ ખુબ જ ઉપયોગી ફળ છે, તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી ઘણી બધી બીમારીઓને દુર કરી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીમાં રાહત આપે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.