નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ વજન વધારતા આ 7 ખોરાક વિષે. વધતું વજન સૌથી મોટી સમસ્યા છે, જેને નિયંત્રણ કરવા માટે કલાકો સુધી જીમમાં સખત મહેનત કરવી પડે છે, સાથે જ ખાવા-પીવાથી પણ દૂર રહેવું પડે છે, તો જ શરીર પર થોડી અસર થાય છે. આજકાલ મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન છે. વિશ્વમાં વજન વધવાનથી દર બીજો વ્યક્તિ પરેશાન છે. વધતી જતી સ્થૂળતા એ જીવનશૈલી સાથે જોડાયેલી એવી સમસ્યા છે જે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ એટેક જેવી અનેક બીમારીઓને આંમત્રણ આપે છે.
વધતું વજન માત્ર શરીરને જ બીમાર નહિ પરંતુ વ્યક્તિત્વને કદરૂપું પણ બનાવે છે. સ્થૂળતાને નિયંત્રિત કરવા માટે જો તમે જીમ કરો છો અને આહારને પણ નિયંત્રિત કરો છો, તો પછી કેટલાક ખોરાકનું સેવન બિલકુલ ન કરો. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો આજે અમે તમને તે ખોરાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખાવાથી તમારા વર્કઆઉટની અસર ઓછી થઈ શકે છે અને તમારું વજન ઝડપથી વધારી શકે છે. જો તમે પણ વજન ઘટાડવાની ફિરાકમાં છો તો ડાયટમાં આ ચરબીવાળા ખોરાકને આજથી જ બંધ કરી દો.
બટાકાની ચિપ્સ : બટાકાની ચિપ્સ જે દરેક વ્યક્તિને ખાવાનું પસંદ હોય છે. બટાકાની ચિપ્સનું એક મોટું પેકેટ ખાવાથી તમારા શરીરની ચરબીમાં 30 થી 40 ગ્રામ વધારો થાય છે, જેથી તમારું વજન ઘટાડવાના મિશનમાં અવરોધ આવી શકે છે. માટે બટાકાની ચીપ્સનું સેવન ટાળવું જોઈએ.
મીઠાઈ : જલેબી, રસગુલ્લા, બરફી, ગુલાબ જામુન જેવી મીઠાઈઓ વધુ માત્રામાં ખાવાથી શરીરમાં કેલેરીની માત્રા ખુબ જ વધે છે અને મીઠાઈના સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધે છે. વજન ઓછુ કરતી વખતે, આ મીઠાઈઓનું સેવન તમારું વજન વધારી શકે છે.
બેકરી પ્રોડક્ટ : બિસ્કીટ, નાસ્તા, સેન્ડવીચ, પેસ્ટ્રી, પેટીસ જેવી બેકરી ઉત્પાદનો શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે, એટલા માટે તેને ટાળો, તમને ફાયદો થશે. બેકરી પ્રોડક્ટના વધારે પડતા સેવનથી તમારું વજન વધી શકે છે.
બર્ગર : જો તમે બર્ગર ખાવાના શોખીન છો તો થોડા સાવધાન રહો. બર્ગર તમારું વજન વધારી શકે છે. જો બર્ગર તેલયુક્ત હોય અને ખરાબ રીતે બનાવવામાં આવે તો તે હાનિકારક નાસ્તો છે. એક બર્ગરમાં સરેરાશ 295 કેલેરી હોય છે. ફ્રેન્ચ ફ્રાઈસ પણ એટલા જ નુકસાનકારક છે. બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈસ જેવો ખોરાક તમારું વજન ખુબ જ ઝડપથી વધારી શકે છે.
સમોસા : સમોસા ભારતીયોની પહેલી પસંદમાં સામેલ છે. એક સમોસામાં સરેરાશ 231 કેલેરી હોય છે. સમોસા અન્ય નાસ્તા કરતાં વધુ ચરબી વધારવાનું કામ કરે છે.
વધુ પડતી ચોકલેટનું સેવન : ચોકલેટનું સેવન કરવાથી શરીર પર હકારાત્મક અસર થાય છે, પરંતુ તે વજન વધારવા માટે પણ જવાબદાર છે. સરેરાશ, 100 ગ્રામ ચોકલેટમાં 546 કેલેરી હોય છે, જે ઝડપથી વજન વધારવામાં અસરકારક છે.
સ્ટ્રીટ ફૂડનું સેવન ટાળો : સ્ટ્રીટ ફૂડ ખાવાથી અનેક બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. સ્ટ્રીટ ફૂડ બનાવવામાં એક જ તેલનો વારંવાર ઉપયોગ થાય છે, જે હૃદય માટે હાનિકારક છે. બહારનું જંક ફૂડ ખાવાથી તમારા શરીરમાં ચરબી ઝડપથી જામવા લાગે છે.
આમ, આ 7 વસ્તુનું સેવન ટાળવાથી તમારા શરીરના વધતા જતા વજનને કાબુમાં રાખી શકાય છે. આ વસ્તુના સેવનથી તમારા શરીરને અન્ય પણ ઘણા બધા નુકશાન થઇ શકે છે, માટે આજથી જ આ વસ્તુનું સેવન નિયંત્રિત માત્રામાં અથવા બંધ કરી દેવું તમારા માટે ફાયદાકારક બનશે.
આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનતી.