Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

વરસાદની ઋતુમાં જો બીમારીઓથી દૂર રહેવું હોય તો ખાવ આ ફળો, રોગો નજીક પણ નહી આવે

Editorial Team by Editorial Team
June 14, 2022
Reading Time: 1 min read
0
વરસાદની ઋતુમાં જો બીમારીઓથી દૂર રહેવું હોય તો ખાવ આ ફળો, રોગો નજીક પણ નહી આવે
Share on FacebookShare on Twitter

વરસાદની ઋતુ દર વર્ષે તેની સાથે અનેક રોગો લઈને આવે છે. આ સીજનમાં ઉધરસ અને શરદી થવી સામાન્ય છે. આ સિવાય ઘણા પ્રકારના ચેપ પણ લઈને આવે છે. આપણે જોઈએ છીએ કે કેટલાક લોકોને વરસાદની ઋતુમાં ડેન્ગ્યુ, કોલેરા અને ટાઇફોઇડ જેવા ગંભીર રોગો પણ થાય છે. આરોગ્ય નિષ્ણાતોના મતે બદલાતા હવામાનને કારણે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા  પણ ઓછી થાય છે. આ જ કારણ છે કે આ ઋતુમાં રોગો આપણે જલ્દી પોતાની ઝપેટમાં લઈ લે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

ચોમાસા દરમિયાન હવામાનના બદલાવને કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. જેના કારણે તમને એલર્જી અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં વિટામિન અને એન્ટી ઓક્સીડેન્ટોનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી તમારું શરીર મજબૂત બને છે. બદલાતી મોસમમાં વાયરલ, શરદી અને ફ્લૂ જેવા રોગો ક્યારેય તમારી આસપાસ ન આવી શકે, માટે અહીંયા આહારમાં જણાવેલ આ મોસમી ફળનો સમાવેશ ચોક્કસપણે કરો. આ ફળો ખાતા પહેલાં તેને સારી રીતે ધોવા ન ભૂલો. ચાલો જાણીએ ક્યાં ક્યાં ફળોનું સેવન કરવું જોઈએ.

દાડમ : દાડમ ચોમાસાની ઋતુમાં તમારા શરીરને શરદી, ફ્લૂ, વગેરે જેવા ઘણાં ચેપથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે, કારણ કે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. દાડમમાં હાજર એન્ટી ઓક્સીડેન્ટ ચોમાસામાં સંક્રમણ સામે લડે છે. ઘણા સંશોધનોમાં જણાવા મળ્યું છે કે દાડમ પાચન તંત્ર અને પેટના કેન્સર કોશિકાના સોજોને ઘટાડે છે. દાડમ ફળનો અર્ક કેન્સરના કોષને ફેલાવતા અટકાવે છે.

જાંબુ : રીંગણી રંગના જાંબુ શુગર લેવલ અને ડાયાબિટીઝને ઘટાડવામાં રામબાણ અસર દેખાડે છે. જાંબુમાં કેલેરી ઓછી હોય છે અને તેમાં આયર્ન, ફોલેટ, પોટેશિયમ અને વિટામિન ભરપૂર હોય છે. તેનો ઉપયોગ વિવિધ ગેસ્ટ્રિક બીમારીની સારવાર માટે પણ થાય છે. ડાયાબીટીસની સમસ્યામ જાંબુ એક ઉત્તમ ઉપાય સાબિત થાય છે.

લીચી : લીચી વિટામિન-C, વિટામિન-B, પોટેશિયમ અને એન્ટી ઓક્સીડેન્ટ સાથે ફાયબરનો શક્તિશાળી સ્રોત છે. લીચી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ફાઈબર પાચનતંત્રને શુદ્ધ કરવામાં મદદ કરે છે. લીચીમાં વધારે માત્રામાં હોવાથી સામાન્ય શરદી સામે લાદવામાં મદદરૂપ થાય છે.

નાશપતી : ચોમાસાની ઋતુમાં ચેપ સામે લડવા માટે વિપુલ પ્રમાણમાં વિટામિનની જરૂર હોય છે. આ સીઝન દરમિયાન વાતાવરણમાં ઘણું ભેજ હોય ​​છે, જેના કારણે બીમાર થવાની સંભાવના વધારે રહે છે. માટે નાશપતી તે ફળોમાંથી એક છે જેને ચોમાસામાં ખાવાની જરૂરીયાત હોય છે.  ચોમાસા દરમિયાન તમારું શરીર ચેપ અને પાણીજન્ય રોગોની ઝપેટમાં સરળતાથી આવી જાય છે, જે તમારા સ્વાસ્થ્યને ભારે અસર કરી શકે છે. માટે ફિટ રહેવું જરૂરી છે. જો તમે બીમાર પડવા નથી માંગતા તો આ તંદુરસ્ત ચોમાસાના ફળનો ઉપયોગ શરૂ કરો.

ચેરી : ચેરી ચોમાસાના ફળમાંથી એક છે, જે તમને ખૂબ જ આરામથી મળી જશે. તેમાં મેલાટોનિન એક એન્ટી ઓકસીડેન્ટ હોય છે, જે તમારા શરીરની કોશિકાઓને ફ્રી-રેડિકલથી થતા નુકસાનથી રોકે છે. આ ફળ મગજના ન્યુરોન્સને શાંત કરે છે, જેના કારણે મગજને આરામ મળે છે. આ સિવાય ચેરી હાર્ટના રોગો સામે લડવામાં પણ મદદ કરે છે કારણ કે તેમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું હોવાની સાથે કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે. ચેરી હાઈ બ્લડ પ્રેશરનું સ્તર અને યુરિક એસિડનું સ્તર પણ ઘટાડે છે.

પ્લમ : પ્લમ કબજિયાતને દૂર કરવામાં સારું એવું મદદરૂપ બને છે કારણ કે તેમાં કુદરતી રીતે થતી શુગર સોર્બીટોલ અને પ્લાન્ટ ફાઇબરની માત્રા વધારે હોય છે. આ સિવાય પ્લમ શરીરમાં આયર્ન પણ વધારે છે, કેમ કે તેમાં વિટામિન-Cનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. જે હિમોગ્લોબિનનું સ્તર વધારે છે અને એનિમિયાથી બચાવે છે. આ ફળોમાં હાજર લાલ-વાદળી રંગદ્રવ્ય (એન્થોસાયનિન) કેન્સર સામે પણ રક્ષણ આપે છે.

જરદારૂ : જરદારૂ ફળમાં વિટામિન-A, બીટા-કેરોટિન અને વિટામિન-C વધારે માત્રામાં જોવા મળે છે, જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે ત્વચાને બચાવવા અને આંખોની રોશની સુધારવામાં મદદરૂપ થાય છે. જરદારૂમાં ફાયબરનું પ્રમાણ વધુ હોવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

આમ, ચોમાસાની સીજનમાં શરીરને રોગમુક્ત અને તંદુરસ્ત રાખવા ઉપર જણાવેલા ફળોનું જરૂર સેવન કરવું જોઈએ. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય છે તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

Tags: stay away from diseases during the rainy season
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
આ વસ્તુઓ પણ તમારા લીવરને કરી શકે છે ખરાબ

આ રોજીંદા જીવનની પાંચ વસ્તુઓ પણ તમારા લીવરને ખરાબ કરી નાખે છે

આ એક ઉપાયથી ધાધરને એક જ વખતમાં જડમૂળથી મટાડી શકાય છે

આ એક ઉપાયથી ધાધરને એક જ વખતમાં જડમૂળથી મટાડી શકાય છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Breaking News: શાળાઓ ખોલવા માટે ગુજરાતના શિક્ષણમંત્રીનો મોટો નિર્ણય, જાણો ક્યારે ખુલશે શાળાઓ

Breaking News: શાળાઓ ખોલવા માટે ગુજરાતના શિક્ષણમંત્રીનો મોટો નિર્ણય, જાણો ક્યારે ખુલશે શાળાઓ

September 14, 2020
જો તમે તમારી ઉંમર કરતા 10 વર્ષ મોટા દેખાતા હોય તો આ ફેસ માસ્ક લગાવો

જો તમે તમારી ઉંમર કરતા 10 વર્ષ મોટા દેખાતા હોય તો આ ફેસ માસ્ક લગાવો

December 16, 2022
Gujarati person

આ ગુજરાતી યુવકને શોધી રહ્યું છે આખું અમેરિકા, વ્યક્તિ પર જાહેર કર્યું 74 લાખનું ઈનામ

November 29, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In