વરસાદની ઋતુ દર વર્ષે તેની સાથે અનેક રોગો લઈને આવે છે. આ સીજનમાં ઉધરસ અને શરદી થવી સામાન્ય છે. આ સિવાય ઘણા પ્રકારના ચેપ પણ લઈને આવે છે. આપણે જોઈએ છીએ કે કેટલાક લોકોને વરસાદની ઋતુમાં ડેન્ગ્યુ, કોલેરા અને ટાઇફોઇડ જેવા ગંભીર રોગો પણ થાય છે. આરોગ્ય નિષ્ણાતોના મતે બદલાતા હવામાનને કારણે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા પણ ઓછી થાય છે. આ જ કારણ છે કે આ ઋતુમાં રોગો આપણે જલ્દી પોતાની ઝપેટમાં લઈ લે છે.
ચોમાસા દરમિયાન હવામાનના બદલાવને કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. જેના કારણે તમને એલર્જી અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં વિટામિન અને એન્ટી ઓક્સીડેન્ટોનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી તમારું શરીર મજબૂત બને છે. બદલાતી મોસમમાં વાયરલ, શરદી અને ફ્લૂ જેવા રોગો ક્યારેય તમારી આસપાસ ન આવી શકે, માટે અહીંયા આહારમાં જણાવેલ આ મોસમી ફળનો સમાવેશ ચોક્કસપણે કરો. આ ફળો ખાતા પહેલાં તેને સારી રીતે ધોવા ન ભૂલો. ચાલો જાણીએ ક્યાં ક્યાં ફળોનું સેવન કરવું જોઈએ.
દાડમ : દાડમ ચોમાસાની ઋતુમાં તમારા શરીરને શરદી, ફ્લૂ, વગેરે જેવા ઘણાં ચેપથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે, કારણ કે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. દાડમમાં હાજર એન્ટી ઓક્સીડેન્ટ ચોમાસામાં સંક્રમણ સામે લડે છે. ઘણા સંશોધનોમાં જણાવા મળ્યું છે કે દાડમ પાચન તંત્ર અને પેટના કેન્સર કોશિકાના સોજોને ઘટાડે છે. દાડમ ફળનો અર્ક કેન્સરના કોષને ફેલાવતા અટકાવે છે.
જાંબુ : રીંગણી રંગના જાંબુ શુગર લેવલ અને ડાયાબિટીઝને ઘટાડવામાં રામબાણ અસર દેખાડે છે. જાંબુમાં કેલેરી ઓછી હોય છે અને તેમાં આયર્ન, ફોલેટ, પોટેશિયમ અને વિટામિન ભરપૂર હોય છે. તેનો ઉપયોગ વિવિધ ગેસ્ટ્રિક બીમારીની સારવાર માટે પણ થાય છે. ડાયાબીટીસની સમસ્યામ જાંબુ એક ઉત્તમ ઉપાય સાબિત થાય છે.
લીચી : લીચી વિટામિન-C, વિટામિન-B, પોટેશિયમ અને એન્ટી ઓક્સીડેન્ટ સાથે ફાયબરનો શક્તિશાળી સ્રોત છે. લીચી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ફાઈબર પાચનતંત્રને શુદ્ધ કરવામાં મદદ કરે છે. લીચીમાં વધારે માત્રામાં હોવાથી સામાન્ય શરદી સામે લાદવામાં મદદરૂપ થાય છે.
નાશપતી : ચોમાસાની ઋતુમાં ચેપ સામે લડવા માટે વિપુલ પ્રમાણમાં વિટામિનની જરૂર હોય છે. આ સીઝન દરમિયાન વાતાવરણમાં ઘણું ભેજ હોય છે, જેના કારણે બીમાર થવાની સંભાવના વધારે રહે છે. માટે નાશપતી તે ફળોમાંથી એક છે જેને ચોમાસામાં ખાવાની જરૂરીયાત હોય છે. ચોમાસા દરમિયાન તમારું શરીર ચેપ અને પાણીજન્ય રોગોની ઝપેટમાં સરળતાથી આવી જાય છે, જે તમારા સ્વાસ્થ્યને ભારે અસર કરી શકે છે. માટે ફિટ રહેવું જરૂરી છે. જો તમે બીમાર પડવા નથી માંગતા તો આ તંદુરસ્ત ચોમાસાના ફળનો ઉપયોગ શરૂ કરો.
ચેરી : ચેરી ચોમાસાના ફળમાંથી એક છે, જે તમને ખૂબ જ આરામથી મળી જશે. તેમાં મેલાટોનિન એક એન્ટી ઓકસીડેન્ટ હોય છે, જે તમારા શરીરની કોશિકાઓને ફ્રી-રેડિકલથી થતા નુકસાનથી રોકે છે. આ ફળ મગજના ન્યુરોન્સને શાંત કરે છે, જેના કારણે મગજને આરામ મળે છે. આ સિવાય ચેરી હાર્ટના રોગો સામે લડવામાં પણ મદદ કરે છે કારણ કે તેમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું હોવાની સાથે કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે. ચેરી હાઈ બ્લડ પ્રેશરનું સ્તર અને યુરિક એસિડનું સ્તર પણ ઘટાડે છે.
પ્લમ : પ્લમ કબજિયાતને દૂર કરવામાં સારું એવું મદદરૂપ બને છે કારણ કે તેમાં કુદરતી રીતે થતી શુગર સોર્બીટોલ અને પ્લાન્ટ ફાઇબરની માત્રા વધારે હોય છે. આ સિવાય પ્લમ શરીરમાં આયર્ન પણ વધારે છે, કેમ કે તેમાં વિટામિન-Cનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. જે હિમોગ્લોબિનનું સ્તર વધારે છે અને એનિમિયાથી બચાવે છે. આ ફળોમાં હાજર લાલ-વાદળી રંગદ્રવ્ય (એન્થોસાયનિન) કેન્સર સામે પણ રક્ષણ આપે છે.
જરદારૂ : જરદારૂ ફળમાં વિટામિન-A, બીટા-કેરોટિન અને વિટામિન-C વધારે માત્રામાં જોવા મળે છે, જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે ત્વચાને બચાવવા અને આંખોની રોશની સુધારવામાં મદદરૂપ થાય છે. જરદારૂમાં ફાયબરનું પ્રમાણ વધુ હોવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
આમ, ચોમાસાની સીજનમાં શરીરને રોગમુક્ત અને તંદુરસ્ત રાખવા ઉપર જણાવેલા ફળોનું જરૂર સેવન કરવું જોઈએ. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય છે તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.