Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આ એક ઉપાયથી ધાધરને એક જ વખતમાં જડમૂળથી મટાડી શકાય છે

Deep Charaniya by Deep Charaniya
June 16, 2022
Reading Time: 1 min read
0
આ એક ઉપાયથી ધાધરને એક જ વખતમાં જડમૂળથી મટાડી શકાય છે
Share on FacebookShare on Twitter

ધાધર એક ચામડીનો ઘણા લોકોને થતો રોગ છે. આ રોગ જો સારવાર ન કરવામાં આવે તો લાંબા સમય સુધી શરીરમાં ઘર કરી જાય છે. આ એક ફંગલ ઇન્ફેકશનનો રોગ છે, જેથી ધાધર વાળા વ્યક્તિના સંપર્કમાં રહીને તેની કોઈ વસ્તુ વાપરવામાં આવે તો આ રોગ ફેલાય છે. જેવા કે દાંતિયો, રૂમાલ, કપડા વગેરે જે કોઈ ધાધર ધરાવતા હોય એવા વ્યક્તિના વાપરીએ તો આ રોગ થાય છે. સાથે લોહીમાં બગાડની લીધે પણ આ રોગ થાય છે.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

ધાધર ચામડીના ઉપરના ભાગે થાય છે. તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં આસાનીથી ફેલાઈ શકે છે. ધાધર પોપડીવાળી ચામડી પર ગોળ અને લાલ ચાંઠાના રૂપમાં દેખાતા હોય છે. તેમાં ખંજવાળ અને જલન થાય છે. આ રોગ ચામડી પર અસર કરતો હોવાથી રોગ ગ્રસ્ત વ્યક્તિને ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે.

ઉપાય: આ ધાધરના ઉપચાર માટે લીમડાના પાંદડા, એલોવીરા જૈલ, હળદર, કપૂર અને મેરીગોલ્ડ ફૂલની જરૂર પડશે. આ બધી જ વસ્તુઓને મિક્સ કરીને એક તેલ તૈયાર કરવું. આ તેલ બનાવવા માટે 100 મિલી તલનું તેલ, 100 મિલી નારીયેળનું તેલને મિક્સ કરીને સામાન્ય ગરમ કરવું. આ પછી તેમાં 25 ગ્રામ લીમડાના પાંદડા, 25 ગ્રામ એલોવીરા જૈલ, 50 ગ્રામ મેરીગોલ્ડ ફૂલના પાંદડા લઈને તેને મિક્સ કરો.

આ પછી આ મિશ્રણને સામાન્ય તાપમાને ગેસ ઉપર ગરમ કરવું. આ પછી 10 મિનીટ બાદ ગેસને બંધ કરી લેવો. આ પછી તેલને ઠંડું થવા દેવું. આ પછી તેમાં એક ચમચી હળદર, બે ચપટી કપૂર મિક્સ કરવું. હવે પછી આ તેલને સંપૂર્ણ રીતે ઠંડું થવા દેવું. આ પછી આ તેલને ગાળીને કાચની બોટલમાં ભરી લેવું.

આ તેલ જયારે પણ ધાધર કે ચામડીની કોઈપણ સમસ્યા થાય ત્યારે આ તેલને રાત્રે સૂતી વખતે રૂની મદદથી ધાધર વાળી જગ્યા પર લગાવી દેવું. આ તેલનો દરરોજ ઉપયોગ કરવાથી ધાધરથી થોડા જ સમયમાં રાહત મળે છે. આ તેલનો ઉપયોગ વાળમાં પણ કરી શકાય છે. જે લોકોને મોઢાના ભાગે ડાઘ અથવા તો ખીલ જેવી સમસ્યાઓ છે તે પણ આ તેલનો ઉપયોગ કરી શકે છે.

આ રોગ વધારે ગળ્યું, મીઠાવાળું, વાસી ભોજન, દૂષિત આહાર અને સાફ-સફાઈની ઉણપને કારણે કફ અને કફદોષ અસંતુલિત થઇ જાય છે. જેના લીધે ચામડી પર ખંજવાળ, જલન અને લાલીમાં જેવ લક્ષણો ઉત્પન્ન થઈને ધાધરનું રૂપ લે છે.

ધાધર વાળી જગ્યા પર ખંજવાળ અને જલન બંને થઈ શકે છે, તે લાલ ચકતાના રૂપમાં દેખાય છે. ધાધર વાળા ચકતા બહારની તરફથી કિનારા પર લાલ હોય છે. જે ગોળ ચકતાના રૂપમાં હોય છે તથા ઉપરની તરફથી ઉભરેલા હોય છે. ક્યારેક ગોળ ઉભરેલા દાણા જેવું દેખાય છે. ક્યારેક  ડાઘ ફેલાયને વધીને ફરફોલા જેવું બની જાય છે. ડાઘની બહારની તરફથી કિનારા પર લાલ થઈ જાય છે અને એક અંગુઠીના સમાન આકૃતિ વાળો ડાઘ પણ થાય છે. આ રીતે શરીરમાં સારી રીતે ડાઘ વધે છે.

ધાધર ચાર પ્રકારે થઈ શકે છે. જેમાં એક પ્રકારે જેમાં સાંધા, આંતરિક જાંઘ અને નિતંબની આસપાસની ચામડી પર થાય છે. બીજા પ્રકારની ધાધર માથાની ચામડી પર થઈ શકે છે, જે મુખ્યરૂપથી બાળકોને પ્રભાવિત કરે છે. જેનાથી માથામાં ટાલ દેખાવા લાગે છે. ત્રીજા પ્રકારે ધાધર પગની ચામડી પર થાય છે. જે સાર્વજનિક સ્થાનો પર ખુલ્લા પગે જાવાથી તેનો ખતરો વધે છે. જયારે ચોથા પ્રકારમાં ધાધર દાઢીના ભાગમાં તેમજ ગરદન પર થાય છે. આ કારણે વાળ તૂટવા લાગે છે.

આ માટે આ રોગને મટાડવામાં અમે અહીંયા એવા ઉપાયો બતાવીશું કે તમે થોડા જ સમયમાં અને સરળતાથી અને ઘર બેઠા આ ધાધરથી છુટકારો મેળવી શકશો. ચામડીમાં થતી ઘણી બીમારીઓ પણ ઘણી વખત ખુબ જ ગંભીર બીમારીઓ બની જતી હોય છે. જેમાં ધાધર પણ ચામડીનો જ એક પ્રકારનો ગંભીર રોગ છે.

આ રોગ ગમે તે પ્રકારે ગમે તે વ્યક્તિને થઈ શકે છે. પરંતુ ધાધર થયા પછી તેને સારું થવામાં ઘણો સમય લાગે છે અને તે શરીરમાં કોઇપણ જગ્યાએ થઈ શકે છે. આ રોગમાં તમારી ચામડી સાવ સુકી અને ફાટેલી દેખાવા લાગે છે અને તે જગ્યા ખુબ જ મીઠી ખંજવાળ આવવા લાગે છે. આ રોગમાં ચામડી પર ધાધરની જગ્યાએ ક્ષાર બાઝી જાય છે.

આ રોગ શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં અમુક પ્રકારની સમસ્યાઓ થવાના કારણે થાય છે. જયારે અમુક વિશેષજ્ઞ દ્વારા જણાવે છે કે આ એક આનુવંશિક રોગ છે. જે પેઢી દર પેઢી ચાલ્યા કરે છે. આ રોગ માનસિક અસર પણ કરે છે. આયુર્વેદમાં આ રોગનો સચોટ ઈલાજ છે. આપણા આયુર્વેદમાં આ ધાધરના રોગને મટાડવા માટે ખુબ જ સચોટ ઉપાય બતાવવામાં આવ્યા છે.

આયુર્વેદ પ્રમાણે આપણા ખાવા-પીવામાં ગરબડ થવાના કારણે બીમારીઓ થાય છે. એટલે ધાધર થવાનું મુખ્ય કારણ અમુક વિષાક્ત ખાદ્ય પદાર્થોનું સેવન કરવું. આ રીતે મીઠાવાળા ખોરાક સાથે દૂધનું સેવન કરવું, દહીં સાથે કાકડી ખાવી, ખીર સાથે દહીં ખાવું, લસ્સી ખાવી, લીંબુ કે સંતરા ખાવા અને દહીં સાથે દુધમાં બનાવેલા પદાર્થોનું સેવન ક્યારેય ન કરવું જોઈએ.

આ સિવાય અમુક શારીરિક પ્રક્રિયાઓને રોકવાથી પણ ધાધર થઈ શકે છે. જેમકે, મળમૂત્રના પ્રવાહને રોકી રાખવો, તરસને રોકી રાખવી, છીંકને રોકી રાખવી, ઊંઘને રોકી રાખવી, ઓડકારને રોકી રાખવો, આ સિવાય ઠંડા તેમજ ગરમ સ્થળો પર જવાથી પણ ધાધર થાય છે.

તમે ખુબ જ તીખું, ખાટું, ભારે ખોરાકનું સેવન કરો છો પણ તમને આ સમસ્યા થઈ શકે છે, આ સિવાય બપોરે સુવું. વ્યાયામ કર્યા પછી તરત ન્હાવા ન જવું. જેવી સમસ્યાઓ ધાધરને નિમંત્રણ આપે છે. તમારે પણ આ વાતનું ધ્યાન રાખવું કે તમારા રોજીંદા જીવનમાં આવી ભૂલો ન કરવી.

આમ, આ રીતે ઉપચાર કરવાથી ધાધરની તકલીફ દૂર થાય છે. આ ઈલાજમાં બનાવવામાં આવતું તેલ આયુર્વેદિક જડીબુટ્ટીઓ અને ઔષધિઓ દ્વારા બનતું હોવાથી શરીરમાં કોઈ વધારાની આડઅસર કરતું નથી. આ ઈલાજ કરવાથી ચોક્કસ રીતે ધાધર મટી જાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

મિત્રો આ માહિતી વૈજ્ઞાનિક તથ્યો અને જુના આયુર્વેદના પુસ્તકોનું સંકલન તેમજ આયુર્વેદિક ડોક્ટરની સલાહ પ્રમાણે લખી છે. વાચક મિત્રો દરેક ની તાસીર અને પ્રકૃતિ અલગ અલગ હોય છે. 

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
અમૃત સમાન ગણાતા ચોખાના પાણીને ક્યારેય ફેંકશો નહીં, તેને પીવાથી ગાયબ થઈ થશે ગંભીરમાં ગંભીર બીમારી

અમૃત સમાન ગણાતા ચોખાના પાણીને ક્યારેય ફેંકશો નહીં, તેને પીવાથી ગાયબ થઈ થશે ગંભીરમાં ગંભીર બીમારી

ચોમાસાની ઋતુમાં ક્યારેય ન કરો આ ભૂલો, નહિતર સ્વાસ્થ્ય પર પડી શકે છે ગંભીર અસર

ચોમાસાની ઋતુમાં ક્યારેય ન કરો આ ભૂલો, નહિતર સ્વાસ્થ્ય પર પડી શકે છે ગંભીર અસર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Russia Corona vaccine

હિમાચલના બદ્દીમાં બનશે રશિયાની કોરોના વેક્સીન સ્પુટનીક V, ડીસેમ્બરથી શરૂ થશે ઉત્પાદન

November 28, 2020
મહાશિવરાત્રી પર્વ : જાણો રાશિ પ્રમાણે મહાશિવરાત્રી પર ભોળાનાથનો અભિષેક કેવી રીતે કરવો

મહાશિવરાત્રી પર્વ : જાણો રાશિ પ્રમાણે મહાશિવરાત્રી પર ભોળાનાથનો અભિષેક કેવી રીતે કરવો

March 29, 2022
દૂધ સાથે માત્ર 1 ચમચી આનું સેવન કરવાથી, મોઢાના ચાંદા, કબજીયાત અને આંખોની સમસ્યા થઇ જશે ગાયબ

દૂધ સાથે માત્ર 1 ચમચી આનું સેવન કરવાથી, મોઢાના ચાંદા, કબજીયાત અને આંખોની સમસ્યા થઇ જશે ગાયબ

September 5, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In