Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઔષધી

કેન્સર, મગજની સમસ્યા, હૃદયની તકલીફ જેવી બીમારીનો કાળ છે આ ફળ, જાણો તેના ચમત્કારીક ફાયદા વિશે

Editorial Team by Editorial Team
June 21, 2022
Reading Time: 1 min read
0
કેન્સર, મગજની સમસ્યા, હૃદયની તકલીફ જેવી બીમારીનો કાળ છે આ ફળ, જાણો તેના ચમત્કારીક ફાયદા વિશે
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ આયુર્વેદિક રામફળના સ્વાથ્ય લાભ વિષે. રામફળ દેખાવમાં સીતાફળ જેવું જ હોય છે. સીતાફળ તમારા માંથી ઘણા લોકોનું પ્રિય ફળ હોય શકે છે. પરંતુ રામફળના ફાયદાઓ જાણ્યા પછી તમે પણ તેને પસંદ કરશો. રામફળનું વૈજ્ઞાનિક નામ એનોના રેટિકોલાટા (Annona Reticulata) છે. સીતાફળની તુલનામાં રામફળ થોડું મોટું હોય છે તથા તેનો ગર્ભ સફેદ ક્રીમ જેવો હોય છે. આ ફળ તમારા હૃદયને સ્વસ્થ રાખવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. આ ફળ તેના પોષકતત્વો અને ઔષધીય ગુણધર્મોને કારણે ખૂબ જ લાભદાયી હોય છે.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં રામફળ ખૂબ ફાયદાકારક છે. રામફળના ગુણ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. રામફળનો ઉપયોગ કરીને તમે ઘાની સારવાર પણ કરી શકો છો. રામફળના ઔષધીય ગુણધર્મો તેમાં હાજર પોટેશિયમનું કારણ છે જે ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરવામાં મદદ કરે છે અને સ્નાયુઓના વિકાસમાં મદદ કરે છે. રામફળના ફાયદા સ્વાસ્થ્ય માટે અપાર છે કારણ કે તે વિટામિન-C અને રિબોફ્લાવિનથી સમૃદ્ધ છે. જો રામફળનું નિયમિતપણે સેવન કરવામાં આવે છે, તો તે તમારા શરીરને મુક્ત રેડિકલની અસરોથી સુરક્ષિત રાખે છે, તેમજ તમારી આંખોનું આરોગ્ય જાળવે છે અને તમારી દ્રષ્ટિની ક્ષમતામાં વધારો કરે છે. ચાલો જાણીએ રામફળના ખાવાથી થતા ફાયદાઓ વિષે.

કેન્સરથી બચાવે : રામફળના સેવનથી કેન્સરની પણ સારવાર થઈ શકે છે. લીલા શાકભાજી અને તાજા ફળો ખાવાથી કેન્સરની શક્યતાઓને દૂર કરી શકાય છે. એ જ રીતે રામફળના ઔષધીય ગુણ કેન્સરની અસરોને ઘટાડવામાં મદદરૂપ બને છે. અધ્યયનો જણાવે છે કે રામફળમાં સારી માત્રામાં વિટામિન-C હોવાને કારણે તે મોં, ફેફસાંનું કેન્સર, ગળાનું કેન્સર, અન્નનળી અને પેટના કેન્સરની સંભાવના ઘટાડે છે. રામફળનો રસ પીવાથી પેટ નું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, ફેફસાનું કેન્સર વગેરે કેન્સરના કોષને મારી નાખે છે. આ મોસમી ફળનું સેવન કરીને કેન્સર થવાની શક્યતા ઘટાડી શકો છો.

પાચન માટે ફાયદાકારક : રામફળમાં પૂરતા પ્રમાણમાં  ફાઇબર હોય છે જે તમારા પેટને સ્વસ્થ રાખવા માટે ખુબ જ ફાયદાકારક બને છે. ફાઇબરને પચાવવું સરળ હોવાથી તે તમારા પેટની પાચક શક્તિને વધારવામાં મદદરૂપ થાય છે, જેથી તમે કબજિયાત અને પાચન સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. જો તમને પેટને લગતી સમસ્યાઓ જેવી કે અપચો, કબજિયાત, ઝાડા અથવા મરડો વગેરે જેવી તકલીફ હોય તો તેમાં રામફળનો ઉપયોગ કરી શકો છો. તે તમારા પેટ અને પાચનને લગતી સમસ્યાઓને દુર કરી શકે છે.

મગજને સ્વસ્થ્ય રાખે : રામફળ ખાવાના ઘણા કારણો અને ફાયદા છે, જેનો એક મોટો ફાયદો મગજના સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. રામફળમાં સારી માત્રામાં આયર્ન હોય છે, જે તમારા મગજને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા શરીરમાં જેટલું ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે તેનો 20 ટકા ભાગ માત્ર મગજ ઉપયોગ કરે છે. આને કારણે આયર્ન તમારા શરીરમાં ઓક્સિજનની સપ્લાય વધારવામાં મદદ કરે છે. તે મગજમાં યોગ્ય રક્ત પ્રવાહ વધારે છે જે સંજ્ઞાનાત્મક કાર્યને પ્રોત્સાહન આપે છે.

હૃદયને તંદુરસ્ત રાખે : તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે, હૃદયને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે હૃદય તમારા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. રામફળમાં વિટામિન-B6  ઔષધીય રીતે મળી આવે છે જે હૃદય પર જમા થતી ચરબીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. રામફળનો નિયમિત ઉપયોગ કરીને તમે તમારા હૃદયને લગતી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. વિટામિન-B6 તમારી કિડની માટે પણ ફાયદાકારક છે જે કિડનીની પથરીને અટકાવે છે.

હીમોગ્લોબિન વધારે : આયર્ન હીમોગ્લોબિનના ઉત્પાદનમાં મદદ કરે છે. શરીરમાં લોહી વધારવાની સાથે સાથે આયર્ન ઓક્સિજનના પરિવહનમાં પણ મદદ કરે છે. માનવ શરીરમાં વધારે હીમોગ્લોબિન જરૂરી હોય છે કારણ કે મનુષ્ય બાહ્ય અથવા આંતરિક રીતે વિવિધ ઇજાઓમાં લોહી ગુમાવે છે. રામફળ સ્ત્રીઓ માટે ખાસ કરીને ફાયદાકારક છે કારણ કે સ્ત્રીઓ માસિક ધર્મ દરમિયાન ખૂબ લોહી વહે છે, માટે તેને લોહીની ઉણપ અથવા એનિમિયાનો સૌથી વધુ જોખમ રહે છે. આ બધા જોખમો ઘટાડવા તમે રામફળનું સેવન કરી શકો છો.

ગર્ભવતી મહિલાઓ માટે લાભદાયી : રામફળનો ઉપયોગ લોકો માટે ફાયદાકારક છે સાથે જ તે સગર્ભા સ્ત્રીઓ માટે પણ ઉપયોગી છે. જો ગર્ભવતી મહિલાઓ નિયમિત રીતે રામફળનું સેવન કરે છે તો તે ચક્કર આવવા, નબળાઇ, માંદગી જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે. આ ફળનો ફાયદો તે મહિલાઓ માટે પણ છે જેને વારંવાર કસુવાવડ થાય છે. રામફળ માતાના દૂધમાં વધારો કરવામાં પણ મદદ કરે છે. રામફળ માત્ર સગર્ભા સ્ત્રીઓ માટે જ નહીં, પરંતુ તેમના ગર્ભના યોગ્ય વિકાસમાં પણ મહત્વપૂર્ણ ફાળો આપે છે જેમ કે મગજની પ્રતિરક્ષા વગેરે.

આમ, રામફળ સ્વાથ્ય માટે ખુબ જ ગુણકારી ફળ માનવામાં આવે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. જો તમે અન્ય કોઈ મેડીસીન લેતા હોય તો રામફળનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
મનચુરિયન રાઈસ અને પુલાવ

મનચુરિયન રાઈસ અને પુલાવ જો તમને બોવ ભાવતા હોય તો જાણી લો તેના ગંભીર પરિણામ

ખજુરભાઈ દરરોજ કરે છે આટલા રૂપિયાનું દાન

ગરીબોના મસીહા ગણાતા ખજુરભાઈ દરરોજ કરે છે આટલા રૂપિયાનું દાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોરોનામાંથી સાજા થયા બાદ શરીરમાં થાક અને નબળાઈ જણાય છે ? તો રોજના ખોરાકમાં આ 5 વસ્તુનો ઉપયોગ કરો.

કોરોનામાંથી સાજા થયા બાદ શરીરમાં થાક અને નબળાઈ જણાય છે ? તો રોજના ખોરાકમાં આ 5 વસ્તુનો ઉપયોગ કરો.

May 23, 2021
માત્ર 7 દિવસ ખાલી પેટ કરીલો આનું સેવન, શરીરમાં થશે એવા ફાયદા કે ક્યારેય વિચાર્યું પણ નહી હોય

માત્ર 7 દિવસ ખાલી પેટ કરીલો આનું સેવન, શરીરમાં થશે એવા ફાયદા કે ક્યારેય વિચાર્યું પણ નહી હોય

August 26, 2022
આચાર્ય ચાણક્યની આ 4 વાતોમાં છુપાયેલું છે તમારી દરેક સમસ્યાનું સમાધાન, જો તમારા જીવનમાં છે તકલીફ તો જરૂર જાણો આ વાતો

આચાર્ય ચાણક્યની આ 4 વાતોમાં છુપાયેલું છે તમારી દરેક સમસ્યાનું સમાધાન, જો તમારા જીવનમાં છે તકલીફ તો જરૂર જાણો આ વાતો

January 19, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In