Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

આંખથી લઈને પગ સુધીના દરેક રોગોમાં ખુબ જ ફાયદાકારક છે આ શક્તિશાળી શાકભાજી

Editorial Team by Editorial Team
June 24, 2022
Reading Time: 1 min read
0
આંખથી લઈને પગ સુધીના દરેક રોગોમાં ખુબ જ ફાયદાકારક છે આ શક્તિશાળી શાકભાજી
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ કંટોલા આયુર્વેદિક ગુણો વિષે. કંટોલા સામાન્ય રીતે ચોમાસાની સીજનમાં જોવા મળે છે. ચોમાસામાં વરસાદ થતા જ વાડીના સેઢે અને વગડામાં કંટોલાના વેલા ઉગી નીકળે છે. કંટોલા એક એવું શાકભાજી છે જે કોઈ પણ પ્રકારની જંતુનાશક દવા વગર થતું સંપૂર્ણ ઓર્ગેનિક શાકભાજી છે. આયુર્વેદમાં પણ કંટોલાને ખુબ જ ગુણકારી કહેવામાં આવ્યા છે. કંટોલાનો ઉપયોગ અમુક ખાસ દવાઓમાં પણ કરવામાં આવે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

આયુર્વેદમાં કંટોલાનો ઘણા રોગોમાં ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. કંટોલા ત્રિદોષનાશક હોવાથી કોઈ પણ ઋતુ, કોઈ પણ રોગ અને કોઈ પણ ઉમરના લોકો તેનું સેવન કરી શકાતું હોવાથી તેને શાકભાજી તરીકે હમેશા ખાઈ શકાય છે.

કંટોલા સ્વાદમાં સહેજ કડવા અને મધુર હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. કંટોલામાં પ્રોટીનનું પ્રમાણ ભરપુર માત્રામાં હોવાથી તેને શરીર માટે ખુબ જ શક્તિશાળી માનવામાં આવે છે. કંટોલા પચવામાં હળવા, તાસીરમાં ઠંડા અને વાયુકારક હોવાથી તેના શાકમાં તલતેલ, હિંગ, લસણ, મેથી વગરે વધારે પ્રમાણમાં નાખવામાં આવે છે. વાયુના રોગો અને વાયુ પ્રકૃતિવાળા લોકોએ તેનું સેવન ઓછુ કરવું જોઈએ.

કંટોલામાં ફાઇટોકેમિકલ્સમળી આવે છે જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે લીવરને પણ સ્વસ્થ રાખે છે. કંટોલાનું સેવન કરવાથી શરીરને ઉર્જા પ્રાપ્ત થાય છે અને શરીરની નબળાઈ દુર કરે છે.  કંટોલાનું સેવન કરવાથી શરીરનું વજન ઘટાડી શકાય છે કારણ કે તેમાં ઓછી માત્રામાં કેલેરી હોય છે અને પ્રોટીન અને આયર્ન વધારે હોય છે. શરીરનું વજન ઘટાડનારા લોકો માટે આ એક સારો ઉપાય છે.

સુશ્રુતસંહિતમાં પણ કંટોલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આંખના રોગના દર્દી માટે તેનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. કંટોલામાં લ્યુંટેન અને કેરોનોઈડસ તત્વ મળી આવે છે જે આંખ સંબધિત રોગો, હદય રોગ અને કેન્સર જેવી બીમારીઓને રોકવામાં મદદરૂપ થાય છે. તાવની સમસ્યામાં કંટોલાના પાનને એક ગ્લાસ પાણીમાં ઉકાળી તેમાં એક ચમચી મધ નાખીને પીવાથી તાવમાં ઝડપથી આરામ મળે છે.

નિયમિત કંટોલાનું શાક ખાવાથી પાચનતંત્ર સારું રહે છે. કબજિયાત અને અપચાની સમસ્યામાં કંટોલાનું સેવન કરવાથી છુટકારો મળે છે. અમુક સંશોધનો અનુસાર કંટોલાનું શાક ખાવાથી તે શરીરને ડીટોક્સ કરે છે જેનાથી શરીરની બધી ગંદગી બહાર નીકળવાની સાથે ચેહરા પરના ખીલ, દાગ-ધબ્બા દુર થાય છે અને ત્વચામાં નિખાર લાવે છે.

ડાયાબીટીસની સમસ્યામાં કંટોલા ફાયદાકારક સાબિત થાય છે. કારેલાની જેમ કન્તોલા પણ ડાયાબીટીસની સમસ્યામાં મદદરૂપ બને છે. કંટોલાનો રસ કાઢીને તેમાં હળદર મિક્સ કરીને નિયમિત સવારે પીવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે. કંટોલાના સેવનથી બ્લડ શુગરને કંટ્રોલમાં રાખી શકાય છે.

કંટોલાનું સેવન કરવાથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. હદયરોગના દર્દીઓ માટે કંટોલાનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. કંટોલામાં મોમોરડીસન નામનું તત્વ મળી આવે છે જે એક એન્ટી ઓક્સીડેંટ છે જે હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને નિયંત્રણમાં રાખે છે અને હદયને સ્વસ્થ રાખે છે.

કંટોલાનું શાક બાળકોને ખાસ ખવડાવવું જોઈએ કારણ કે તે પેટમાં કૃમિને થતા અટકાવે છે અને કૃમિનો નાશ કરે છે. કંટોલાના સેવનથી પેટના કૃમિની સમસ્યાને દુર કરી શકાય છે. કંટોલાનું સેવન કરવાથી ઉધરસની સમસ્યાને પણ દુર શકાય છે.

કંટોલામાં એન્ટીએલર્જીક ગુણ હોય છે. માટે તાવ અને શરદી-ઉધરસની સમસ્યા કંટોલાનું સેવન લાભદાયી બને છે. પથરીની સમસ્યામાં પણ કંટોલાનું  સેવન ફાયદાકારક બને છે. શરીરમાં સોજા આવ્યા હોય તેમાં પણ કંટોલાનું શાક લાભદાયી છે. માટે જ કંટોલા શરીર માટે અમૃત સમાન ઔષધી માનવામાં આવે છે.

આમ, કુદરતી કંટોલાનું સેવન કરવાથી શરીરને અઢળક ફાયદાઓ થાય છે. કંટોલા શરીર માટે અમૃત સમાન ઔષધી સાબિત થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
દહીં સાથે કરો માત્ર આ વસ્તુનું સેવન, ક્યારેય નહિ થાય પાચન, શરદી-ઉધરસ અને લોહીની ઉણપ

દહીં સાથે કરો માત્ર આ વસ્તુનું સેવન, ક્યારેય નહિ થાય પાચન, શરદી-ઉધરસ અને લોહીની ઉણપ

ચોમાસામાં બારે મેઘ ખાંગા થયા, આ બાર મેધ ક્યાં ક્યાં, ચાલો જાણીએ

ચોમાસામાં બારે મેઘ ખાંગા થયા, આ બાર મેધ ક્યાં ક્યાં, ચાલો જાણીએ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ દેશ માટે વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, 9ની તીવ્રતાનો ભૂકંપ આવશે તો અનેક લોકોના મોત થવાની સંભાવના

આ દેશ માટે વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, 9ની તીવ્રતાનો ભૂકંપ આવશે તો અનેક લોકોના મોત થવાની સંભાવના

December 23, 2021
દૂધમાં એક વસ્તુ નાખીને પીઓ, 70 વર્ષ સુધી નહીં આવે આંખોના નંબર

દૂધમાં એક વસ્તુ નાખીને પીઓ, 70 વર્ષ સુધી નહીં આવે આંખોના નંબર

December 25, 2022
ખાલી ૧ રૂપિયામાં આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે આ એક ઉપાય

ખાલી ૧ રૂપિયામાં આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે આ એક ઉપાય

August 16, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In