કેન્સર જેવી જીવલેણ બીમારી દિવસેને દિવસે વધી રહી છે. આ રોગ શારીરિક રીતે પરેશાન કરવા ઉપરાંત વ્યક્તિને માનસિક થાક પણ આપે છે. કેન્સરની બીમારીથી પીડિત દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી પડવા લાગે છે, જેમાં વિવિધ પ્રકારની ઉપચાર અને સારવાર માટે તાકાતની જરૂર પડે છે અને તમારો આહાર આમાં મદદ કરે છે. આજે અમે એ જ આહાર વિશે વાત કરવાના છીએ જે કેન્સરના દર્દીઓએ લેવું જોઈએ. આ આહાર તમને શારીરિક રીતે મજબૂત બનાવશે અને કેન્સરના આ ભયાનક રોગને દૂર કરવામાં મદદ કરશે. જાણો તમારો આહાર કેવો હોવો જોઈએ તેના વિષે.
ફાઈબર યુક્ત ખોરાક : ડૉક્ટર્સ કહે છે કે આ રોગને લઈને દર્દીને સંતુલિત આહારમાં ફાઈબર યુક્ત ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. ફાઈબર યુક્ત ખોરાક ખાવો મહત્વપૂર્ણ છે કારણ કે આંતરડામાં રહેલા તમામ ઝેરી તત્વો અને તેની સાથે કાર્સિનોજેન્સ કેન્સરને પ્રોત્સાહન આપે છે તેને આ આહાર ઘટાડવામાં મદદ કરે છે. જો તમે ઈચ્છો તો ડાયટિશિયનની સાથે ડોક્ટરની સલાહ લઈને તમારા રોગ પ્રમાણે ડાયટ પ્લાન બનાવી શકો છો.
સૂકા ફળો અને બદામ : નિષ્ણાતો સૂચવે છે કે લિવર કેન્સરની બીમારીથી પીડિત લોકો સ્વસ્થ આહાર માટે તેમના આહારમાં સૂકા ફળો અને બદામનો સમાવેશ કરી શકે છે. આમાં બદામ, અખરોટ, સૂકી દ્નાક્ષ, પિસ્તા વગેરેનું સેવન કરી શકાય છે. તે ફાઇબર અને ઉર્જા પ્રદાન કરે છે. તેને સાંજના સમયે નાસ્તા તરીકે ખાઈ શકાય છે.
ઉચ્ચ પ્રોટીન વાળો ખોરાક : ડૉક્ટરો કહ્યા અનુસાર આ રોગથી પીડિત દર્દીઓને ઉચ્ચ પ્રોટીન વાળો આહાર લેવાનું કહેવામાં આવે છે. બદામ, સૂકા કઠોળ, ચણા, ઈંડા, માછલી, ચરબી વગરનું માંસ, દૂધની બનાવટો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પ્રોસ્ટેટ કેન્સર ધરાવતા દર્દીઓએ માછલી અને સોયામાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. કેન્સરના કિસ્સામાં, તળેલી વસ્તુઓ, મસાલેદાર વસ્તુઓ, બહારનું પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડ, પેકેજ્ડ ફૂડનું સેવન બિલકુલ ઓછું કરો.
પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું : ડોક્ટર્સનું કહેવું છે કે લીવર કેન્સરના દર્દીઓની સારવારને કારણે તેમને બીજી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. ઉલ્ટી, કબજિયાત, લૂઝ મોશન વગેરેને કારણે શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે. આવી સ્થિતિમાં, તેઓએ આખા દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. દર્દીઓને સંતુલિત આહાર સાથે શરીરને હાઇડ્રેટેડ રાખવાની સલાહ આપવામાં આવે છે. દર્દીને દરરોજ 3 થી 4 લિટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ડૉક્ટર્સ કહે છે કે જો દર્દીને એડવાન્સ લિવર સિરોસિસ છે અને તેની સારવાર ચાલુ છે, તો ડૉક્ટર દર્દીને ઓછું પાણી પીવાની સલાહ આપી શકે છે.
શાકભાજી ખાઓ : જો તમે કેન્સરની સારવાર લઈ રહ્યા છો, તો તમારે તમારા આહારમાં અમુક શાકભાજીનો સમાવેશ કરવો જ જોઈએ. ગાજર, કોળું, ટામેટાં, વટાણા વગેરે શાકભાજી ખાઓ. તમે કાચા સલાડના રૂપમાં ટામેટાં, ગાજરનું સેવન પણ કરી શકો છો. ટામેટાંમાં હાજર વિશેષ પોષક તત્વો પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય કેન્સરના દર્દીઓ બ્રોકોલી, કોબીજ પણ ખાઈ શકે છે.
સૂવાના સમયે હળદરનું એક કપ દૂધ પીવું : લીવર કેન્સરના દર્દીઓએ સૂવાના સમયના આહારમાં એક કપ હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ. ડૉક્ટર્સ કહે છે કે તેનાથી એનર્જી વધે છે. તેમાં કેલરી ઓછી હોય છે. આ સ્થિતિમાં તમે તેનું સેવન કરી શકો છો. જો તમે ઈચ્છો તો ડાયટિશિયનની સલાહ લઈ શકો છો. જેથી તમારી બીમારી અનુસાર તેઓ તમારા માટે સારો ડાયટ ચાર્ટ તૈયાર કરે. તમે તેને દિનચર્યામાં સામેલ કરીને આ રોગ સામે લડી શકો છો.
આમ, કેન્સર જેવી ભયંકર બીમારી સામે લડવા ઉપર જણાવેલા ખોરાકનું સેવન કરીને બીમારી સામે લડી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને બીમારી સામે લડી શકો. આ માહિતી એક શૈક્ષણિક માહિતી છે. ડોક્ટરની સલાહ અનુસાર આ વસ્તુ ખાવી ફાયદાકારક બની શકે છે. આ ઉપયોગી માહિતીને જનહિત માટે એક શેર જરૂર કરજો.