Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

સવારે ખાલી પેટ ખાય લ્યો માત્ર આ દાણાં, ક્યારેય નહિ થાય કેલ્શિયમની ઉણપ અને સાંધાના દુખાવા

Editorial Team by Editorial Team
August 17, 2022
Reading Time: 1 min read
0
સવારે ખાલી પેટ ખાય લ્યો માત્ર આ દાણાં, ક્યારેય નહિ થાય કેલ્શિયમની ઉણપ અને સાંધાના દુખાવા
Share on FacebookShare on Twitter

આપણે દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા ઈચ્છીએ છીએ અને દરેક વ્યક્તિને એવું હોય છે કે આપણે હંમેશા એક સ્વસ્થ જીવન જીવીએ. અમે આ લેખમાં એવી એક વસ્તુની વાત લઈને આવ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી તમારું જીવન અને તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સ્વસ્થ રહેશે. આજે અમે વાત કરીશું મેથીના પાન અને મેથીના બીજની. મેથી એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ ભારતીય રસોડામાં ઘણા વર્ષોથી કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘણી બધી સ્ત્રીઓ પોતાના રસોડામાં ખૂબ જ સારી રીતે કરતી હોય છે. મેથી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી પણ માનવામાં આવે છે.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

મેથી દાણાના સેવનથી શરીરને થાય આ આદભૂત ફાયદા : મેથી દાણાના ફાયદાની વાત કરીએ તો મેથીમાં ઘણા બધા પ્રકારના ગુણ જોવા મળે છે. મેથીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને એન્ટિઓક્સિડન્ટ જેવા અદભુત ગુણ રહેલા હોય છે. મેથી દાણાનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું નથી અને શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ ઓગાળી શકાય છે.

મેથી દાણાનું સેવન કરવાથી ડાયાબિટીસને પણ નિયંત્રણમાં લાવી શકાય છે. મેથી દાણા નું સેવન કરવાથી તેમાં રહેલ હાઈપોગ્લાઈસેમિક ના કારણે આપણા શરીરમાં લોહીની અંદર રહેલ શર્કરાને ઓછી કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે.

કેન્સર જેવા ભયંકર રોગ માટે પણ મેથીના દાણા ખૂબ જ મદદરૂપ થાય છે મેથીના દાણા ના ફાયદા ખૂબ જ અદભુત છે તેમાં કેન્સર વિરોધી તત્વો હોય છે અને આમ તે કેન્સર ને આપણા શરીરમાંથી દૂર કરવાનું કામ કરે છે.

વજન ઓછું કરવા માટે મેથી દાણા ખૂબ જ કારગર ઉપાય છે. કારણ કે મેથીમાં ઘણા બધા પ્રકારના પોલિફેનોલ્સ જોવા મળે છે અને તેનાથી ચરબી આપણા શરીરમાં જમા થતી નથી અને વધારાની ચરબીને બાળવાનું કામ કરે છે. મેથીનુંમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે માત્રામાં હોવાથી તેનું સેવન કરવાથી શરીરના હાડકા મજબુત બને છે.

આ રીતે કરો મેથીના દાણા નો ઉપયોગ : સૌપ્રથમ એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળો ત્યારબાદ તે મેથીને આખી રાત માટે પલળવા દો ત્યારબાદ બીજા દિવસે સવારે તે પાણી સાથે મેથીનું પણ સેવન કરો આમ પાણી તથા મેથીનું ખાલી પેટે સવારે સેવન કરી શકો છો.

મેથી દાણાનો બીજી ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય છે : મેથી દાણા નો ઉપયોગથી હર્બલ ચા બનાવી શકાય છે અને આ હર્બલ ચા બનાવવા માટે સૌપ્રથમ પાણીમાં મેથીના દાણા નાખો અને તેને ઉકળવા દો. મેથી નો કડવો સ્વાદ દૂર કરવા માટે તમે તેમાં લીંબુ અને મધ પણ ઉમેરી શકો છો પરંતુ તેને ગેસ પરથી નીચે ઉતારીને જ ઉમેરવું આમ તમે આ પીણા નું સેવન સવાર સાંજ કરી શકો છો.

બીજી અલગ રીતે મેથીના દાણા નો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ મેથીના દાણાને ધીમી આંચ ઉપર તવા ઉપર શેકો ત્યારબાદ તમે આ મેથીદાણા નો ઉપયોગ સલાડ પર અથવા તો બીજી કોઈપણ રીતે કરી શકો છો.

ભોજન બનાવવા માટે પણ તમે મેથી દાણાનો ઉપયોગ કરી શકો છો. તેની માટે સૌપ્રથમ મેથી દાણાને સંપૂર્ણ રાત પાણીમાં પલાળો અને જ્યારે મેથી પલળી જાય ત્યારબાદ તે મેથી દાણાને એક કપડામાં બાંધો, અને જ્યારે તે મેથીના દાણા અંકુરિત થઈ જાય ત્યારબાદ તમે તે મેથી દાણા નું શાક પણ બનાવી શકો છો અથવા તો રોટલી અને પરાઠામાં પણ તેને ખાઈ શકો છો.

આમ, મેથી દાણાના સેવનથી ઘણા ફાયદા થાય છે, પરંતુ જોગ્ય માત્રામાં તેનું હમેશા સેવન કરવું. વધારે માત્રામાં મેથી દાણાના સેવનથી ઘણીવાર શરીરને નુકશાન પણ થઇ શકે છે. ચાલો જાણીએ..

મેથી દાણાથી થતા નુકસાન વિશે જાણીશું : આપણે મેથી દાણાના ફાયદાની વાત તો જાણી પરંતુ મેથી દાણાનો વધુ પડતું સેવન કરવાથી આપણને નુકસાન થાય છે મેથી દાણા આપણા પાચનતંત્ર માટે ખૂબ જ અદભુત હોય છે પરંતુ ઘણી બધી વખત તેનું સેવન કરવાથી ઝાડા પણ થઈ જાય છે અને પેટમાં ગડબડ જેવી સમસ્યા ઊભી થઈ જાય છે.

નાના બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓએ પણ મેથી દાણાનું સેવન વધુ કરવું જોઈએ નહીં, તેનાથી માતાનું પેટ ખરાબ થાય છે અને સાથે સાથે બાળકને પણ ઝાડાની સમસ્યા થાય છે.

મેથીમાં એક કુમરીન નામનું તત્વ આવેલું હોય છે અને તે આપણા લોહીને પાતળું કરવાનું કામ કરે છે તેથીજો કોઈ વ્યક્તિના શરીરમાં પહેલેથી જ પાતળું લોહી હોય અને તેઓ જો વધુ પડતું મેથીનું સેવન કરે છે ત્યારે તેમના શરીરમાંથી લોહી વધુ વહી જાય છે.

જે સ્ત્રીઓને ડીલેવરી નો સમયગાળો ખૂબ જ નજીક આવતો હોય તેઓને મેથીનું પાણી પીવડાવવામાં આવે છે અને જેનાથી તેઓને ડીલેવરીનો દુખાવો થાય અને ગર્ભાશયમાં સંકોચન આવી શકે પરંતુ દરેક માતાઓએ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે મેથીનુ વધુ પડતું સેવન કરવાથી ગર્ભપાત પણ થઈ શકે છે. તેથી હંમેશા ડોક્ટરની સલાહ લઈને જ મેથીનું સેવન કરવું જોઈએ.

ઘણા બધા કિસ્સાઓમાં જોવા મળે છે કે તેઓને મેથીનું સેવન કરવાથી એલર્જી થાય છે. આમ આ એલર્જી તેઓને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. જેમ કે, તેમનો ચહેરો ફૂલી જાય છે અને અલગ અલગ જગ્યાએ સોજા આવી જાય છે. અને આ પ્રકારની પરિસ્થિતિમાં અમુક વખત તેઓ બેભાન પણ થઈ જાય છે, અને તેમને શ્વાસની પણ તકલીફ ઊભી થઈ જાય છે. તેથી ડોક્ટરની સલાહ લઈને તથા સાવચેતી પૂર્વક મેથીનું સેવન કરવું જોઈએ.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
ધર્મ દર્શન

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

January 26, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
Next Post
કોઈ પણ પ્રકારની દવા લીધા વગર ડાયાબિટીસની સમસ્યાથી મેળવો છુટકારો

કોઈ પણ પ્રકારની દવા લીધા વગર ડાયાબિટીસની સમસ્યાથી મેળવો છુટકારો

જીવીએ ત્યાં સુધી શરીરના હાડકા મજબૂત બનાવવા માટે, માત્ર આ છ વસ્તુઓનું સેવન કરો

જીવીએ ત્યાં સુધી શરીરના હાડકા મજબૂત બનાવવા માટે, માત્ર આ છ વસ્તુઓનું સેવન કરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

cow with tourism

સિંહોની જેમ ગુજરાતની ગાયોને પણ જોવા આવશે પ્રવાસીઓ, જાણો કેવી રીતે

November 27, 2020
Buddhiman Birbal's mysterious journey to heaven

જાણો બુદ્રધિમાન બીરબલની રહસ્યમય સ્વર્ગ યાત્રા વિષે

September 27, 2020
ઝડપથી લોહીની ઉણપને દુર કરશે આ એક આયુર્વેદિક ઉપાય

ઝડપથી લોહીની ઉણપને દુર કરશે આ એક આયુર્વેદિક ઉપાય

October 17, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In