Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

50 વર્ષની ઉંમર પછી કરો આ પાંચ કામ, એકેય બીમારી તમારું કઈ નહી બગાડી શકે

Editorial Team by Editorial Team
September 1, 2022
Reading Time: 1 min read
0
50 વર્ષની ઉંમર પછી કરો આ પાંચ કામ, એકેય બીમારી તમારું કઈ નહી બગાડી શકે
Share on FacebookShare on Twitter

આપણા જીવનમાં કુલ ચાર અવસ્થા હોય છે તેમાં સૌપ્રથમ બાલ્યાવસ્થા ત્યારબાદ કિશોરાવસ્થા, યુવાવસ્થા અને અંતમાં વૃદ્ધાવસ્થા દરેક વ્યક્તિ આ પ્રમાણે જીવન જીવતો હોય છે. તેમાં બાલ્યાવસ્થામાં નાનું બાળક ધીમે ધીમે મોટું થઈને કિશોર બને છે અને તે યુવાન બને છે. આમ તેઓ આ અવસ્થાઓમાં પોતાની જવાબદારી નિભાવતા નિભાવતા 50 વર્ષ સુધીના પહોંચી જતા હોય છે, અને તેઓ આ જવાબદારી નિભાવતા નિભાવતા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું પણ ભૂલી જતા હોય છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત પૂરી કરવામાં પોતાના શરીરનું બિલકુલ ધ્યાન રાખતા નથી અને તેઓ સમય કરતા પહેલા જ ખૂબ જ વૃદ્ધ દેખાવા લાગે છે, અને તેમને અનેક પ્રકારની બીમારીઓ પણ તેમના શરીરમાં પ્રવેશી જાય છે. હાવર્ડ મેડિકલ સ્કૂલ અને હાવર્ડ ટી એચ ચૈન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું અને તેઓને જાણવા મળ્યું હતું કે વ્યક્તિ 50 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેઓ અમુક સ્વસ્થ આદતોને અપનાવે છે અને ત્યારબાદ તેમને ઘણી બધી બીમારીઓ ઓછી થઈ જાય છે.

નિષ્ણાતોએ અમુક સંશોધન કર્યા બાદ પાંચ એવી આદતો વિશે જણાવ્યું છે કે તેને અપનાવવાથી આપણે આપણું આયુષ્ય પાંચ થી દસ વર્ષ સુધી વધારી શકીએ છીએ અને તે આપણા શરીરને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. તો ચાલો આપણે જાણીશું કે તે સ્વસ્થ આદતો કઈ કઈ છે.

તમારા વજનને કંટ્રોલમાં રાખો : આ વાત ખૂબ જ સાચી છે કે જો તમારું વજન વધુ પડતું હશે તો તમને ઘણી બધી બીમારીઓ ઘેરી લેશે. જેમ કે ડાયાબિટીસ, શ્વાસ લેવામાં તકલીફ, ચાલવામાં તકલીફ, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર તથા કેન્સર જેવી બીમારી પણ તમને ઘેરી શકે છે. તેથી તમારે પોતાનું વજન ખૂબ જ નિયંત્રણમાં રાખવું જોઈએ, જેથી આ બધી સમસ્યાનો સામનો ન કરવો પડે.

દરરોજ કસરતને પોતાનો હિસ્સો બનાવો : આપણે દરેક વ્યક્તિ જાણતા જ હોઈએ છીએ કે કસરત કરવાથી આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે અને તેનાથી આપણું વજન પણ ઓછું થાય છે, પરંતુ કામની વ્યસ્તતાને કારણે આપણે તે કરી શકતા નથી. પરંતુ જો તમારે 50 વર્ષની ઉંમર પછી પણ સ્વસ્થ રહેવું છે તો તમારે દરરોજ ચાલવા જવું જોઈએ તથા યોગ અને સાયકલ પણ તમે ચલાવી શકો છો.

દારૂ તથા ધુમ્રપાનનું સેવન કરવું નહીં : આ વસ્તુ શરીરને ખુબ જ નુકશાન કરી શકે છે. દારૂ તથા ધુમ્રપાનનું સેવન કરવાથી શરીરને ખૂબ જ નુકસાન થાય છે અને ફેફસામાં ઇન્ફેક્શનની બીમારી પણ લાગી જાય છે. દરેક વ્યક્તિ જાણતા હોય છે કે દારૂ કે ધૂમ્રપાનનું સેવન કરવાથી શરીર ખરાબ થાય છે, પરંતુ તેઓને લત લાગેલી હોવાના કારણે દૂર થઈ શકતા નથી, અને તેના જ કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જાય છે. તથા સ્વાસ્થ્યને પણ ખૂબ જ નુકસાન પહોંચે છે. તેથી જ તમારે 50 વર્ષની ઉંમર પછી દારૂ કે ધુમ્રપાનનું સેવન છોડી દેવું જોઈએ.

પોતાના ખોરાક ઉપર ખાસ ધ્યાન રાખવું : આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે આપણે જે કોઈપણ ખોરાક ખાઈએ છીએ તેની અસર આપણા સ્વાસ્થ્ય ઉપર તથા શરીર ઉપર પડતી જોવા મળે છે આમ 50 વર્ષની ઉંમર પછી આપણા શરીરને યોગ્ય ન આવે તેવા ખોરાકનું સેવન કરવું જોઈએ નહીં. આ ઉંમરે તીખા તળેલા તથા વધુ પડતા મીઠાવાળા ખોરાકનું સેવન કરવું જોઈએ નહીં, તથા ધુમ્રપાન પણ છોડી દેવું જોઈએ. આમ 50 વર્ષની ઉંમર પછી શરીરમાં પોષક તત્વોની ઉણપ આવી જાય છે તેથી તમારે તમારા ભોજન ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી તમને બીમારી ઘેરી ન શકે.

નિયમિત શરીરનું ચેકઅપ કરાવવું જોઈએ : અહીં અમે તમને ઘણી બધી આદતો વિશે જણાવ્યું તેને તમારે તમારી દિનચર્યામાં જરૂરથી સામેલ કરવી જોઈએ તદઉપરાંત તમારે અમુક અમુક સમયે તમારા શરીરનું ચેકઅપ પણ કરાવવું જોઈએ. આમ શરીરનું ચેકઅપ કરાવવાથી તમને માહિતી મળશે કે તમારા શરીરમાં કોઈ બીમારી પ્રવેશી છે કે નથી અથવા તો તમને કોઈ તકલીફ ઊભી થઈ છે કે નહીં. આમ તમે આ દરેક આદતોને અપનાવીને તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રાખી શકો છો.

આમ, 50 વર્ષની ઉમર પછી આ 5 કામ કરવાથી શરીરને ઘણી બધી બીમારીઓથી દુર રાખી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમને બીમારીથી દુર રાખે. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જરૂર શેર કરજો.

Tags: stay-healthy-at-50 year old
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
શું તમારા બાળકનું પણ વજન વધારે છે? તો અપનાવો આ ટિપ્સ, માત્ર 1 મહિનામાં બાળકનું વજન ઉતરી જશે

શું તમારા બાળકનું પણ વજન વધારે છે? તો અપનાવો આ ટિપ્સ, માત્ર 1 મહિનામાં બાળકનું વજન ઉતરી જશે

લીંબુ સાથે ભૂલથી પણ આ 4 વસ્તુનું સેવન ન કરો, નહિતર પડશો બીમાર

લીંબુ સાથે ભૂલથી પણ આ 4 વસ્તુનું સેવન ન કરો, નહિતર પડશો બીમાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ફળની છાલને તમે કચરો સમજીને ફેકી દેતા હોવ તો ફેકશો નહિ તે છે અખૂટ ગુણોનો ભંડાર

આ ફળની છાલને તમે કચરો સમજીને ફેકી દેતા હોવ તો ફેકશો નહિ તે છે અખૂટ ગુણોનો ભંડાર

December 4, 2022
Chalo Delhi

કેન્દ્ર સરકારની ચિંતા વધી, હજારો ખેડૂતોની દિલ્હી તરફ કુચ, તંત્રએ ખેડૂતોને રોકવા હાઇવે જ ખોદી નાખ્યા

November 27, 2020
આજથી જ ખાવાની શરુ કરી દો આ 9 વસ્તુઓ, 70 વર્ષે પણ રહેશો ફીટ અને ફાઈન

આજથી જ ખાવાની શરુ કરી દો આ 9 વસ્તુઓ, 70 વર્ષે પણ રહેશો ફીટ અને ફાઈન

July 27, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In