Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

તમારા ઘરે આવતા દૂધમાં કેટલી ભેળસેળ છે જાણો માત્ર 1 મિનીટમાં

Deep Charaniya by Deep Charaniya
September 28, 2022
0
તમારા ઘરે આવતા દૂધમાં કેટલી ભેળસેળ છે જાણો માત્ર 1 મિનીટમાં
Share on FacebookShare on Twitter

દુધને આરોગ્ય માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. મોટા ભાગના રોગો દૂધના નિયમિત સેવનથી ઠીક થાય છે. માટે દુધનું સેવન શરીર માટે ઉત્તમ અને પૌષ્ટિક છે. પરંતુ આજે દુધમાં થતી રોજબરોજની આવી ભેળસેળને લીધે દુધથી શરીરને ફાયદો થવાની જગ્યાએ નુકશાન થાય છે. આપણે પેકિંગમાં મળતું દૂધ સુરક્ષિત હોવાનું માનીને લાવીએ છીએ પરંતુ આજે એમાં પણ મોટા પ્રમાણમાં ભેળસેળ થવા લાગી છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

જો તમારે દુધમાં સ્ટાર્ચ ભેળવવામાં આવી છે તે જાણવું હોય તો દુધની અંદર 2 ચમચી મીઠું 5 મિલીલીટર દૂધમાં નાખવું. આ રીતે નાખવાથી દૂશમાં વધારે પ્રમાણમાં સ્ટાર્ચ અને હાર્બોહાઈડ્રેટ હશે તો દુધનો રંગ નીલો થઈ જશે.

ઘણી વખત દુધમાં ભેળસેળ કરવા માટે તેમાં ધોવાનો સોડા પણ નાખતા હોય છે. આ રીતે દુધમાં ધોવાનો સોડા નાખવામાં આવ્યો છે કે નહિ તે જાણવા  માટે દુધને એક કાચની શીશીમાં ભરવું. આ રીતે દુધને કાચની શીશીમાં ભર્યા બાદ જોર જોરથી હલાવવું. આમ કરવાથી વધારે પ્રમાણમાં દુધમાં ફીણ વળે તો સમજવું કે દુધમાં ધોવાનો સોડા ભેળવવામાં આવ્યો છે. આ ફીણ પણ ઘણા સમય સુધી રહે છે. ઘણી વખત આવું ધોવાના સોડા વાળું કે ડીટર્જ્ન્ટ વાળું દૂધ ખાવામાં પણ કડવું લાગતું હોય છે.

દુધને લાંબા સમય સુધી બગડે નહી તેમ રાખવા માટે ઘણા પેકીગ વાળા ફોર્મેલીન નાખે. આ એવું રસાયણ છે કે જે લાંબા સમય સુધી મૃત શરીરને જાણવી રાખવા માટે વાપરવામાં આવતું હોય છે. જે ખાવામાં નુકશાન કારક છે. આ રીતે ફોર્મેલીન વાળા દુધને ચેક કરવા માટે 10 મિલી દુધમાં સાવધાની પૂર્વક 2 થી 3 ટીપા સલ્ફ્યુરિક એસીડ નાખો. થોડા સમય સુધી જોવાથી તેનો રંગ નીલો બની જાય તોતેમાં ફોર્મેલીન ની મિલાવટ હોય છે.

ઘણી વખત દુધમાં સાબુના રસાયણો પણ ભેળવવામાં આવે છે. જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય શકે છે. આ રીતે સાબુ ભેળવવામાં આવ્યો હોય તો તે ચેક કરવા માટે દુધને હાથમાં લઈને રગડવું. જેનાથી તરત ખબર પડી જાશે દુધમાં સાબુ ની ભેળસેળ છે કે નહી. દુધને ઉકાળતા સમયે જો તેનો રંગ બદલીને પીળો થઇ જાય તો સમજી શકાય કે દુધમાં મિલાવટ છે કે નહિ.

ઘણી વખત સાબુ વાળા દુધને સુંઘવાથી પણ સાબુ જેવી વાસ આવતી હોય છે. જો કે અસલી દુધમાં આવી વધારાની કોઈ વાસ આવતી હોતી નથી. માટે દુધમાં સાબુનો પાવડર કે બીજી કોઈ વસ્તુ ભેળવવામાં આવી હોય તે જાણવા દુધને અવશ્ય સુંઘી લેવું.

ઘણી વખત દુધના વનસ્પતિનું દૂધ કે ડાલડા ઉમેરવામાં આવે છે. આ ચેક કરવા માટે દુધમાં 2 ચમચી હાઈડ્રોક્લોરિક એસીડ, 1 ચમચી ખાંડ અને 1 ચમચી દૂધ લઈને તેને સરખી રીતે ભેળવી દો જો તમે એવું કરશો ત્યારે દુધનો રંગ બદલીને લાલ થઈ જશે. આ રીતે જો દુધનો રંગ લાલ જોવા મળે તો તેમાં અચૂક કોઈ વનસ્પતિનો રસ કે કોઈ વસ્તુની ભેળસેળ કરવામાં આવીં હોય શકે.

અસલી દૂધ લાંબા સમય સુધી રાખવાથી બગડી જાય છે પરંતુ રંગ બદલતું નથી. જયારે ભેળસેળ વાળું દૂધ જલ્દી બગડતું નથી. જયારે ભેળસેળ વાળું દૂધ લાંબા રાખવાથી તેનો રંગ પીળો થઇ જાય છે. જે ભેળસેળ હોવાની નિશાની છે. નકલી દૂધ ઉકાળતા સમયે પીળો રંગ ધારણ કરે છે.

થોડા દૂધમાંથી વધારે પૈસા કમાઈ લેવાના ભોગે ઘણા ધંધાદારીઓ દુધમાં પાણી નાખતા હોય છે. પાણીનું પ્રમાણ દુધમાં વધે તો દુધની ગુણવત્તા ઘટે છે તેમજ દુધ પાતળું પણ પડીં જાય છે. આ પાણીની ભેળસેળ ચેક કરવા માટે લાકડા પર કે પથ્થરની સપાટી પર કે કાળી જગ્યા પર દુધના એક થી બે ટીપા ટપકાવીને ચેક કરો, જો દૂધ વહેતું અને નીચેની તરફ પડી જાય અને સફેદ ધાર જેવું નિશાન બની જાય તો જાણી લેવું કે દૂધ શુદ્ધ છે.

ઘણી વખત અસલી દુધની જગ્યાએ ઘણા લોકો યુરીયાથી પણ દૂધ બનાવતા હોય છે, અથવા તો દુધમાં યુરીયા ભેળવીને ફેટ વધારતા હોય છે. દુધમાં યુરીયા નાખવાથી તેમાં રહેલા નાઈટ્રોજનના પરિણામે દૂધ ઠંડું પડે છે અને જાડું થાય છે. જેના લીધે તેના ફેટ વધે છે. આવી રીતે લોકો આ યુરીયા નાખીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. જો દુધનો રંગ પીળો હશે તો તે દુધમાં યુરિયા ભેળવેલું હોય છે.

દુધમાં યુરીયાની ભેળસેળ જાણવા માટે એક વાસણમાં થોડું દૂધ લો. તેમાં એક ચમચી તુવેરનો પાવડર અને સોયાબીન ભેળવો. આ મિશ્રણને સારી રીતે ભેળવો અને પાંચ મિનીટ સુધી આવી જ રીતે રહેવા દો. આ પછી તેમાં લાલ લીટમસ પેપર ડુબાડો. જો કાગળનો રંગ લીલો હોય તો તેમાં યુરિયાની ભેળસેળ કરવામાં આવી હોય છે.

દુધને હળદર દ્વારા પણ ચેક કરી શકાય છે. આ માટે થોડા ટીપા કટોરીમાં લઈને હળદર ભેળવી દો. જો અસલી દૂધ હોય તો હળદર તરત ઘટ્ટ થઇ જાય છે જયારે મિલાવટ વાળા દૂધમાં આ હળદર જલ્દી ઘટ્ટ થતી નથી. આ રીતે જો હળદર ઘટ્ટ ન થાય તો તે દુધમાં કોઈ વસ્તુની ભેળસેળ કરવામાં આવેલ હોય છે.

મીણબત્તીની મદદથી દુધની ભેળસેળ કે નકલી દુધને જાણી શકાય છે. આ રીતે ચેક કરવા માટે એક કાચના ગ્લાસમાં દૂધ ભરી લેવું અને પછી મીણબત્તી સળગાવવી. આ સળગાવેલી મીણબત્તીની જ્યોતની ઉપર એક ફૂટની ઊંચાઈ પર આ ગ્લાસને રાખવો. જો આ સમયે મીણબતીની જ્યોત લાંબી દેખાય તો તે દૂધ શુદ્ધ હોય છે. આ સમયે જ્યોત ફેલાયેલી દેખાય તો દૂધ નકલી હોય છે.

દુધને સામાન્ય થ વધારે સમય સુધી ગરમ કરવાથી તેની ભેળસેળ જોવા મળે છે. જો દુધને વધારે સમય સુધી ગરમ કરવામાં આવે તો તેના ઉપર મલાઈ જામે છે. આ મલાઈનો રંગ જો પીળો હોય તો તેમાં યુરિયા કે બીજું અન્ય કોઈ કેમિકલ ભેળવવામાં આવ્યું હોય છે.

આમ, આ ઉપરોક્ત બધા જ પ્રયોગો તમારે ત્યાં આવતું દૂધ અસલી છે કે નકલી તે જાણવા માટે ઉપયોગી થાય છે. જો કેમિકલ કે ભેળસેળ વાળું દૂધ ખાવામાં કે વાપરવામાં આવે તો દુધથી મળતા સ્વાસ્થ્ય લાભોની જગ્યાએ ગંભીર બીમારીઓ આવી શકે છે. માટે આપણે વાપરીએ તે દૂધ અસલી હોવું જરૂરી છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે નકલી દુધથી બચી શકો.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
આટલા લોકોને ડિસેમ્બર 2022 સુધી મળતું રહેશે મફત રેશન , જાણો કોનો સમાવેશ થયો છે

આટલા લોકોને ડિસેમ્બર 2022 સુધી મળતું રહેશે મફત રેશન , જાણો કોનો સમાવેશ થયો છે

કોલેસ્ટ્રોલ, નસ બ્લોકેજ, સાંધાનો દુખાવો, ડાયાબીટીસ, હાડકા, હાર્ટએટેક નો ઉપાય છે આ પાવડર

કોલેસ્ટ્રોલ, નસ બ્લોકેજ, સાંધાનો દુખાવો, ડાયાબીટીસ, હાડકા, હાર્ટએટેક નો ઉપાય છે આ પાવડર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
અંતિમ સંસ્કાર પછી પાછું વળીને કેમ ન જોવું જોઈએ, જાણો શું છે તેની પાછળનું કારણ

અંતિમ સંસ્કાર પછી પાછું વળીને કેમ ન જોવું જોઈએ, જાણો શું છે તેની પાછળનું કારણ

January 18, 2022
50 વર્ષની ઉંમર પછી કરો આ પાંચ કામ, એકેય બીમારી તમારું કઈ નહી બગાડી શકે

50 વર્ષની ઉંમર પછી કરો આ પાંચ કામ, એકેય બીમારી તમારું કઈ નહી બગાડી શકે

September 1, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In