Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

100થી વધુ રોગો ને દૂર કરી નાખે છે આ ઔષધીના પાન નો રસ

Editorial Team by Editorial Team
October 2, 2022
Reading Time: 1 min read
0
100થી વધુ રોગો ને દૂર કરી નાખે છે આ ઔષધીના પાન નો રસ
Share on FacebookShare on Twitter

અરડુસી એક એવી ઔષધી છે જે ભારત સહીત અનેક દેશોમાં થાય છે. જેને વસા, વસાકા કે અંગ્રેજીમાં  માલાબાર નટ કહેવામાં આવે છે. તેનું વિજ્ઞાનિક નામ Justicia Adhatoda છે. જેના ફૂલ, પાંદડા અને મુળિયાનો ઘણી બીમારીઓ ઉપયોગ કરવામાં આવે છે. અરડુચીમાં એન્ટી એલેર્જીક, એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી અલ્સર અને જેના જેવા અનેક ઔષધીય ગુણ હોય છે. જેના લીધે બ્રોકાઈટીસ, કફ, ટાઢ, દમ જેવા અનેક રોગોના ઇલાજમાં ઉપયોગ કરવામાં આવે છે.

RELATED POSTS

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

આ છોડ એક નાનો સદાબહાર છોડ છે અને તેની ઉંચાઈ 2.3 મીટર થી 3.5 મીટર સુધીની હોય છે. જેના ફૂલ સફેદ રંગના હોય છે.આ છોડને લીલાશ પડતી ભૂખરા રંગની અનેક શાખાઓ ફૂટે છે. અને તે ચારે તરફ ફેલાયેલી હોય છે. ચોમાસાની  ભીનાશ વાળી હવામાં કે ઝરમર ઝરમર વરસતા વરસાદમાં તેની શાખાઓ- ડાળીઓ કાપીને કટકા કલમની રીતે બીજે રોપવાથી અરડૂસીને નવા છોડ તૈયાર થાય છે.

અરડુસી
અરડુસી

અરડૂસીના પાન જામફળીના પાનને મળતા, ત્રણથી ચાર ઇંચ લાંબા, દોઢથી બે ઈંચ પહોળા અને અણીદાર હોય છે. તેના પન્માઆઆઆઆતિ સહેજ વાસ આવે છે. પાનનો રંગ લીલો અને સુકાય ત્યારેં પીળાશ પડતો હોય છે. અરડૂસીને તુલસીની મંજરીની પેઠે હારબંધ ફૂલો આવે છે. તેના ફૂલોનો રંગ ધોળો સફેદ હોય છે. જેમાં મુખ્યત્વે આ અરડૂસીની બે જાતો છે જેમાં ધોળી અનર કાળી એમ બે પ્રકારની અરડૂસી છે. ધોળી અરડૂસીનો છોડ લીલાશ પડતો અને કાળી અરડૂસીનો છોડ કાળાશ પડતો હોય છે. જેમાં ધોળી અરડૂસી ઉત્તમ ઔષધી છે, જયારે કાળી અરડૂસી ઓછી મળી આવે છે. અમે આ અરડૂસીનો ક્યા કયા રોગમાં ઉપયોગ કરી શકાય તે જણાવીશું.

કફ: અરડૂસીથી ચીકણો કફ પાતળો થઈને નીકળી જાય છે. જે કફને ઉદરસને મારફત બહાર કાઢે છે. નવા કફ કરતા જૂના કાયમી કફના ઈલાજ માટે અરડૂસી ખુબ જ ઉપયોગી છે. શ્વાસ સંબંધી બીમારીઓમાં અરડૂસી ખુબ જ ઉપયોગી છે.  અરડૂસીના રસમાં ફુલાવેલ તેલિયા ટંકણ ખારની 8 મિલીગ્રામ મધમાં નાખીને સવારે અને સાંજે ચાટવાથી ઉધરસ મટે છે. બાળકને શક્તિ પ્રમાણે ચટાડવાથી કફનો નાશ થાય છે.

અસ્થમા (દમ): અરડૂસીના પાનના રસમાં મધ કે સકર ભેળવીને પીવાથી અથવા તેના સુકા પાનનો ઉકાળો કરીને પીવાથી અથવા અરડૂસીના સુકા પાનનું ચૂર્ણ કરીને મધમાં ચાટવાથી કફથી થયેલી ખાંસી, દમ કે તાવમાં ખુબ જ રાહત થાય છે. અરડૂસીના રસ ને ગાયનું માખણ એકત્ર કરી તેમાં ત્રિફળા( હરડે,બહેડા કે આમળા)નું ચૂર્ણ ભેળવીને ચાટવાથી અસ્થમા મટે છે.  અરડૂસીના પાન, હળદર, ધાણા, ગળો, ભારંગમૂળ, પીપર, સૂંઠ અને ભોરીંગણી સમાન ભાગે લઈને તેનો ઉકાળો બનાવીને તેમાં 5 ગ્રામ તીખાનું ચૂર્ણ નાખીને પીવાથી અસ્થમા મટે છે.  અરડૂસીના પાનને સુકવીને તેના પાનની બીડી બનાવીને પીવાથી દમમાં રાહત થાય છે.

રક્તપિત્ત: અરડૂસીના પાનનો ઉકાળો પીવાથી રક્તપિત્ત મટે છે. અરડૂસીના ફૂલને છાયડે સુકવીને તેનું ચૂર્ણ કરી તેને મધ અને સાકર સાથે લેવાથી રક્તપિત મટે છે. .  અરડૂસીના પાન, દ્રાક્ષ અને હરડેના ઉકાળામાં મધ તથા સાકાર નખને પીવાથી ઉધરસ અને ખાંસી મટે છે.

ખાંસી, ઉધરસ: અરડૂસીના પાન 20 ગ્રામ વાટી મધમાં ભેળવીને પીવાથી ઉધરસ મટે છે. અરડૂસીના પાનનો રસ કાઢીને, મધમાં ભેળવીને લેવાથી ઉધરસ અને  આઆઆને તે રસમાં મધ તથા સિંધવ મીઠું ભેળવીને પીવાથી ખાંસી મટે છે.  અરડૂસીના પાન, દ્રાક્ષ અને હરડેના ઉકાળામાં મધ તથા સાકાર નખને પીવાથી ઉધરસ અને ખાંસી મટે છે.

માથાનો દુખાવો: તણાવથી ભરેલા જીવનમાં માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે. અરડૂસીના ફૂલને છાયડામાં સુકવીને 1 થી 2 ગ્રામ તેનું ચૂર્ણ બનાવીને તે ચૂર્ણના માપમાં ગોળ નાખીને ખાવાથી માથાનો દુખાવો મટે છે. અરડૂસીના પાંદડાને  છાયડામાં સુકવીને તેની ચા બનાવીને પીવાથી માથાનો દુખાવો મટે છે. આ ચામાં સ્વાદ માટે થોડુક મીઠું પણ નાખી શકો છો.

આંખનો દુખાવો: કોઈ બીમારીની આડ અસરથી કે મોબાઈલ, ટીવી કે કોમ્પ્યુટરની સામે બેસી રહેવાથી આંખનો દુખાવો મટે છે.  અરડૂસીમાં એવા ઔષધિય ગુણ હોય છે જેના લીધે આંખનો સોજો પણ દુર થાય છે.  અરડૂસીના 3 થી 4  તાજા ફૂલોને ગરમ કરીને આંખ પર બાંધવાથી આંખની બીમારી અને આંખનો સોજો દુર થાય છે.

મોઢામાં ચાંદી અને સોજો: મોઢામાં પડેલી ચાંદીને દુર કરવા માટે અરડૂસી ખુબ જ ઉપયોગી છે. આયુર્વેદ મુજબ અરડૂસી ઠંડક ધરાવતી અને ગરમી શાંત કરનારી છે. જેના મોઢામાં ચાંદી પડી હોય તો તેના લક્ષણો ઓછા કરે છે. કોઈ ઈન્ફેકશનના કારણે મોઢામાં ચાંદી પડી હોય અને સોજો રહેતો હોય તો અરડૂસીના 2 થી 3 પાંદડા ચાવીને તેનો રસ મોઢામાં રાખવાથી મોઢાની ચાંદી અને સોજો મટે છે.  અરડૂસીની નાની સડાળીઓનો દાતણમાં ઉપયોગ કરવાથી મોઢાનો રોગ દુર થાય છે.

દાંતના પેઢાના રોગ: પેઢામાં દુખાવો થઇ રહ્યો હોય અને સોજો આવી ગયો હોય તો એના ઈલાજ તરીકે અરડૂસીના ઉપયોગથી આ રોગમાં અને દુખાવામાં છુટકારો મેળવી શકાય છે. અરડૂસીમાં કષાય રસ હોય કે જે દુખાવો અને સોજો અઆવેલો હોય છે જે દુર કરે છે. આ અનુસાર અરડૂસીના ચૂર્ણને દાંત પર ઘસવાથી પાયોરિયા જેવો રોગ પણ નાબુદ થાય છે.

ટીબી (ક્ષય):  ટીબી જેવા ભયંકર રોગમાં પણ અરડૂસી ખુબ જ ઉપયોગી અને તેનો નાશ કરે છે.  ટીબીનો નાશ અને કાયમી નાશ કરવા માટે અરડૂસીના પાનનો 20 ગ્રામ રસ હંમેશા પીવો જોઈએ.  અરડૂસીના પાંદડાનો 20 થી 30 મિલી ઉકાળામાં નાની પીપરનું ચૂર્ણ મેળવીને ભેળવીને પીવાથી ટીબી દુર થાય છે.

તાવ: અસંતુલિત ભોજનના લીધે ઘણી બીમારીઓ થાય છે, જેમા એસીડીટી અને અપચો જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે.  જેમાંથી છુટકારો મેળવવો હોય તો અરડૂસીનું સેવન કરવું જરૂરી છે. અરડૂસીની છાલનું ચૂર્ણ 1 ભાગ, અજમાનું ચૂર્ણ ચોથા ભાગનું, અને આઠમાં ભાગનું સિંધવ મીઠું લીંબુના રસમાં વ્યવસ્થિત વાટીને 1-1 ગ્રામ ગોળીઓ બનાવીને સેવન કરવાથી સવારે અને સાંજે 1 થી 3 ગોળીઓ સવારે અને સાંજે સેવન કરવાથી તાવ મટે છે.

ઝાડા: મસાલેદાર ભોજન લેવાથી અને તળેલું ખાવાથી શરીરમાં ઝાડાની સમસ્યા સર્જાય છે. જો આ ઝાડાની સમસ્યા દુર  થતી હોય તો અરડૂસીના પાંદડાનો 10 થી 20 મિલી  કાઢીને પીવાથી ઝાડાની સમસ્યામાંથી છુટકારો મળે છે. જૂની ઝાડાની સમસ્યા કાયમી રહે છે અરડૂસીના પાનનું ચૂર્ણ સેવન કરવાથી ઝાડા મટી જાય છે.

પેટનો ફૂલાવાનો રોગ જળોદર: પેટમાં પાણી થવા પ્રોટીન દ્રવ્ય વધી જવાને કારણે પેટ ફૂલી જવાની સમસ્યા સર્જાતી હોય છે. આ દર્દ થતું હોય ત્યારે અને પેટ ફૂલી જતું હોય ત્યારે અરડૂસીના પાંદડાનો રસ 10 થી 20 મિલી દિવસમાં 2 થી 3 વખત સેવન કરવાથી પેટની ફૂલી જવાની સમસ્યા દુર થાય છે. પેટમાં વાયુ અથવા ગેસ નાબુદ કરવાના ગુણ અરડૂસી ધરાવે છે. જે ગેસ નાબુદ થતા અને તેને શરીરમાંથી બહાર કાઢતા આ સમસ્યા દુર થાય છે.

ધાધર: ઘણી ચામડીને અને લોહીને ખરાબ કરે તેવી ઝેરી વસ્તુ ખાવાથી અને બીજાના વસ્ત્રો, ક વારંવાર શરીર સંપર્ક કે પથારીનો ઉપયોગ કરવાથી ધાધર જેવી બીમારી લાગે છે.ધાધર એક ફૂગના જીવાણુઓથી થતો રોગ છે. આ રોગને અરડૂસી દ્વારા નાબુદ કરી શકાય છે. અરડૂસીના 10 થી 13 કોમળ તાજા પાંદડા અને 2 થી 5 ગ્રામ હળદર સાથે ગોમૂત્ર અનેં વાટીને લેપ બનાવીને ધાધર પર લગાવવાથી ધાધર મટે છે.

શરીરની દુર્ગંધ: ઘણા લોકોને શરીરમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોય છે, જે વ્યક્તિ પોતાને વાસ આવતી નથી પરંતુ તેની નજીક આવનારી કોઈ વ્યક્તિને દુર્ગંધ આવે છે જેથી તે દુર રહે છે, જયારે વારંવાર નહાવાથી પણ આ સમસ્યા દુર નથી થતી અને તે દુર્ગંધ કે વાસ કુદરતી હોય ત્યારે અરડૂસીના પાંદડાના રસમાં થોડુક શંખચૂર્ણ નાખીને શરીર પર ચોપડવાથી આ  દુર્ગંધ દુર થાય છે.

ટાઈફોડ: અરડૂસી ટાયફોડ દુર કરવાના પણ ગુણધર્મ ધરાવે છે. જેના લીધે ટાયફોડમાંથી રાહત મેળવવા માટે 3 થી 6 ગ્રામ જેટલું અરડૂસીના મૂળનું ચૂર્ણ સેવન કરવાથી ટાઈફોડમાંથી રાહત અપાવે છે. અરડૂસીના પાનનો રસ મધ સાથે પીવાથી પણ ટાઈફોડમાં રાહત અપાવે છે.

ઓરી અછબડા: ઓરીની સમસ્યા થઈ હોય તો અરડૂસીનું 1 પાંદડું લઈને તેમાં મુલેઠી ૩ ગ્રામ બંનેનો ઉકાળો બનાવીને પીવાથી ઓરી અને અછબડા મટે છે, જો ફોડલા નાબુદ ના થઇ રહ્યા હોય તો આ અરડૂસીના પાંદડાને પાણી સાથેં વાટીને લેપ કરવાથી ફોડલાઓ સુકાઈ જાય છે. જો શરૂઆત જ થઇ હોય તો તરત જ સુકાઈ જાય છે અને દુખાવો થતો નથી.

આમ, તાવ, ઉલટી, ડાયાબીટીસ, કોઢ, કમળો, શીળસ, અરુચિ, તરસ,પ્રસવ પીડા, મૂત્ર અને કીડનીના રોગ,  વગેરે રોગ માટે પણ અરડૂસીના પાનના રસનો અને તેના ફૂલના રસનો ઉપયોગ કરવાથી આ રોગમાંથી છુટકારો મળે છે.  આ રીતે આ ઔષધી અનેક રીતે ઉપયોગી છે. આશા રાખીએ કે અરડૂસીના આટલા બધાં મહત્વના ગુણો અને ફાયદા વિશેની આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને જેના લીધે તમને જે પણ સમસ્યા થઇ હોય તેમાંથી છુટકારો મેળવી શકો.

મિત્રો, આ ઔષધીની માહિતી સારી લાગી હોય તો એક શેર અવશ્ય કરજો, જેથી બીજા લોકો પણ આ ઔષધીનો લાભ લઇ શકે.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે
ઘરેલું ઉપચાર

આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે

January 18, 2023
Next Post
વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે આ વસ્તુ

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી છે આ વસ્તુ

જો નીરોગી રહેવું હોય તો આસો પૂનમ થી કારતક પૂનમ સુધી આ એક ફળ રોજ ખાવુ

જો નીરોગી રહેવું હોય તો આસો પૂનમ થી કારતક પૂનમ સુધી આ એક ફળ રોજ ખાવુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ન્યાયના દેવતા શનિદેવ આખરે હનુમાનજીથી કેમ ડરે છે? શું છે કારણ જાણો

ન્યાયના દેવતા શનિદેવ આખરે હનુમાનજીથી કેમ ડરે છે? શું છે કારણ જાણો

April 6, 2022
કેન્દ્રીય બજેટ – ભારતની બીજી મહિલા ‘નિર્મલા સીતારામન’ જેમણે ચોથી વખત રજૂ કર્યું બજેટ

કેન્દ્રીય બજેટ – ભારતની બીજી મહિલા ‘નિર્મલા સીતારામન’ જેમણે ચોથી વખત રજૂ કર્યું બજેટ

March 16, 2022
નાગરવેલના પાન

15 થી વધુ રોગોના ઉપાય માટે વપરાય છે આ ગ્રીન ગોલ્ડ પાનનો રસ

May 26, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In