Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સવારે નરણા કોઠે આ પીવો આખી જીંદગી કેલ્શિયમની ઉણપ નહિ થાય

Editorial Team by Editorial Team
October 31, 2022
Reading Time: 1 min read
0
આખી જીંદગી કેલ્શિયમની ઉણપ નહિ થાય

આખી જીંદગી કેલ્શિયમની ઉણપ નહિ થાય

Share on FacebookShare on Twitter

મેથી આરોગ્યની દ્રષ્ટીએ ખુબ જ ઉપયોગીઓ ઔષધી છે. મેથીમાં ઘણા બધા તત્વો રહેલા છે જેથી તે અનેક રોગોમાં ઉપયોગી છે. આ મેથીને આપણા આયુર્વેદમાં સ્થાન મળ્યું છે. જ્યારે આજના લોકો સ્વાદિષ્ટ ભોજન ખાવાથી ટેવાયેલા છે માટે મેથીનો ઉપોગ ઘટાડી દીધો છે. આપણા વડીલો નિયમિત રીતે ખોરાકમાં મેથીનો ઉપયોગ કરતા રહેલા હતા એટલે તે લોકોમાં રોગોનું પ્રમાણ ઓછુ જોવા મળતું હતું અને તેનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હતું.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

મેથી હાડકા માટે ખુબ જ ઉપયોગી છે. ઘણા સાંધાના દુખાવાથી ઘણા લોકો પરેશાન હોય છે. જો તમે સાંધાના દુખાવાથી ત્રાસી ગયા હો, ઓપરેશન કરાવ્યા પછી પણ ફાયદો ન થયો હોય તો આ પ્રયોગ કરવાથી ફાયદો થાય છે. આ સરળ ઉપચાર કરવાથી સાંધાના દુખાવામાંથી રાહત મેળવી શકાય છે. આ સાંધાના દુખાવાનો રામબાણ ઈલાજ છે.

સાથે આ મેથીમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ હોવાથી હાડકા પણ મજબુત બને છે. આ હાડકાને મજબુત બનાવીને સાંધાના દુખાવાને રોકી શકાય છે. હાડકાને મજબુત કરવા માટે આ મેથીનો પ્રયોગ અમે અહિયાં જણાવી રહ્યા છીએ.

આ ઈલાજ માટે મેથીનું પાણી બનાવવું. મેથીનું પાણી બનાવવા માટે 2 ચમચી મેથીના દાણા અને 2 ગ્લાસ પાણી લેવું. આ પ્રયોગમાં 2 ચમચી સાફ મેથીના દાણા 2 ગ્લાસ પાણીમાં એક રાત પલાળી રાખવા. આ દાણાને કાચ અથવા ચિનાઈ માટીના વાસણમાં પલાળવા. સવારે ગાળીને પાણીને અલગ તારવી લેવું.

આ દાણાને મિક્સર અથવા ગળણીની મદદથી ચટણી જેવી લુગદી બનાવી લેવી. આ લુગદીને એક તપેલીમાં નાખી જે પાણીમાં મેથી પલાળી હતી એ પાણી નાખીને નવશેકું ગરમ કરી લો. આ પાણી ગરમ થયા બાદ તેને ચૂલા પરથી ઉતારીને ઠંડું થવા દો.

આ પાણીને ને ગાળ્યા વગર જ દરરોજ સવારે નરણા કોઠે લેવાથી સાંધાના દુખાવામાં ચમત્કારિક ફાયદો થાય છે. આ મિશ્રણ કડવું લાગતું હોય તો એક ચમચી મધ સાથે લઈ શકાય છે. આ મિશ્રણ દરરોજ તાજું બનાવીને જ લેવું. જો અગાઉથી બનાવેલું હશે તો સ્વાદમાં તુરુ અને દેખાવમાં કાળું પડી જશે. તેમજ તેમાંથી જરૂરીયાત મુજબનો ફાયદો નહિ મળે. આ ઔષધીનો ઉપયોગ દિવસમાં એક જ વખત કરવો. મેથીના દાણામાં પ્રચુર માત્રામાં આયર્ન હોવાથી સાંધાના દુખાવામાં કારગત છે. આ જે પીણું તૈયાર થાય છે તે સાંધાના દુખાવામાં અકસીર ઇલાજ છે.

સાંધાના દુખાવામાં મેથીદાણા ખાવાથી પણ આરામ મળે છે. આ મેથી દાણાનો પેસ્ટ બનાવીને જે જગ્યાએ દુખાવો હોય ત્યાં આ પેસ્ટને બાંધી દેવાથી સાંધાનો દુખાવો મટે છે.

આ સાથે જ ઘણા લોકોને શરીરમાં વજન વધી જવાની સમસ્યાઓ પણ જોવા મળતી હોય છે. આ વજન વધી જવાની સમસ્યાને દુર કરવામાં મેથી ખુબ જ ઉપયોગી છે. આ સમસ્યાને મેદસ્વિતા કહેવામાં આવે છે.

શરીરમાં વજન વધી સમસ્યાને દુર કરવામાં મેથીનો ઉપયોગ કરી શકાય છે. મોટા ભાગના લોકોમાં આ સમસ્યા જોવા મળતી હોય છે. આ મેદસ્વીતા આવવાનું મુખ્ય કારણ આપણી જીવન શૈલી છે. જે લોકોનું બેઠાડું જીવન છે. ખાન પાનમાં બદલાવ છે. જયારે આધુનિક વાહન સુવિધાથી ચાલવાની પણ કસરત થતી નથી, જેના લીધે શરીરમાં વધારાનો ખોરાક શરીરમાં ચરબીમાં સંગ્રહ થાય છે, તે ઓગળી શકતો નથી.

આ વજન ઉતારવા માટે સુકી મેથી લેવી. આ પ્રયોગમાં દરરોજ રાત્રે સુવાના 30 મિનીટ પહેલા 50 મેથીદાણા લેવા. આ મેથીદાણાને એક સાથે દાંત વડે ચાવી જવા. આ દાણાને ચાવી લીધા બાદ ગળામાં ઉતારી જવા. બાદમાં એક ગ્લાસ પાણી લઈને આ પાણીને પી જવું. આ પાણી તમે સામાન્ય કે ગરમ પણ પી શકો છો.

આ પ્રયોગ કરતા રહેવાથી ચરબી ધીરે ધીરે ઓગળવા લાગશે. આ પ્રયોગથી શરીરમાં 50 દિવસમાં ખુબ જ વજનમાં ઘટાડો થયેલો જોવા મળે છે. આ મેથી ખાવાથી શરીરમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ પ્રયોગમાં કોઈ પણ પ્રકારની પરેજી પાળવાની પણ જરૂરિયાત રહેતી નથી. આ પ્રયોગ 50 દિવસ સુધી કરવો. આ પ્રયોગ સતત કરતા રહેવાથી ધીરે ધીરે તમારું વજન ઘટવા લાગશે.

જે લોકોને રાત્રે ક્બજીયાતની સમસ્યા રહેતી હોય, તે લોકોએ રાત્રે સુતા પહેલા મેથીનો પાવડર ખાઈ જવો અને ઉપરથી હલકુ ગરમ પાણી પીવું. આ પ્રયોગ સતત 15 દિવસ સુધી કરવાથી કબજીયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીનો પ્રયોગ વરદાન રૂપ સાબિત થાય છે. આ માટે રાત્રે પાણીમાં મેથી કે મેથીનો પાવડર પલાળી દેવું. આ પાણીમાં મેથીના દાણા ચાવીને ખાઈ જવા અને ઉપરથી આ પાણીને પી જવું. આ પ્રયોગ કરવાથી ડાયાબિટીસના દર્દીઓને ખુબ જ ફાયદો થાય છે. આ પ્રયોગ બેથી ત્રણ મહિના સુધી કરવાથી ડાયાબીટીસ જડમૂળમાંથી નાબુદ થાય છે.

જે લોકોને ગેસ વાયુ અને એસીડીટીની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ અડધી ચમચી શેકેલી મેથીનો પાવડર અને તેમાં સાકર અને દૂધ નાખીને પીવાથી એસીડીટીમાં ખુબ જ રાહત થાય છે. પેટના દુખાવામાં શેકેલી મેથીનો પાવડર લઈ અને ઉપરથી પાણી પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે.

મેથી વાયુ, કફ, સંધિવા, કમરનો દુખાવો, કળતર, પેટના કૃમિ, શુળ, કબજીયાત, તાવ વગેરે મટાડે છે. મેથીનો એક ચમચી ભૂકો પાણીમાં ઉકાળી સવાર સાંજ પીવાથી પગની પાની, એડી, ગોઠણ, કમર કે સાંધાનો દુખાવો, મંદ જ્વર, અરુચિ, મંદાગ્નિ, પેટનો વાયુ, ડાયાબીટીસ અને કબજીયાત મટે છે.

એક ચમચી મેથીનું ચૂર્ણ, એક ચમચી ઘી અને સોપારી જેટલો ગોળ સવારે ને સાંજે ખુબ જ ચાવીને ખાવાથી શ્વેત પ્રદર મટે છે. આ મેથીમાં ઘણા બધા મિનરલ, વિટામીન અને પોષક તત્વો રહેલા છે. જેના લીધે રોગ પ્રતિકારક શક્તિ વધે છે, પાચન શક્તિ વધે છે. સાથે ગેસ અને વાયુ જેવા રોગોનું પણ શમન થાય છે. મેથી ખાવાથી કબજીયાતની સમસ્યા પણ જડમૂળમાંથી નાબુદ થશે.

મેથી ખાવાથી પાચન શક્તિ વધે છે. આ પ્રયોગથી કોલેસ્ટ્રોલ અને ડાયાબીટીસની સમસ્યામાં પણ ઘણીબધી રાહત થશે. આ પ્રયોગથી લોહીનું શુદ્ધિકરણ પણ થાય છે. ખરતા વાળની સમસ્યામાં પણ છુટકારો મળશે. મેથીનું નિયમિત સેવન કરવાથી ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, હાર્ટ અને લોહીને લીધે થતી બીમારીઓ અટકે છે.

આમ, મેથી આપણા શરીરમાં ખુબ જ ઉપયોગી છે. જે હાડકામાં, સાંધાના દુખાવામાં, વજન ઘટાડવા, ડાયાબીટીસ અને કબજીયાત માટે ખુબ જ ઉપયોગી છે. આ રીતે ઉપર જણાવ્યા પ્રમાણે પ્રયોગથી ખુબ જ ફાયદો થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે  ખુબ જ ઉપયોગી થાય.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
રસભરી કે પોપટી ના ફાયદા

મફતમાં મળતી અને ઘણું કિંમતી પોષક ફળ છે ઘણા લોકો નથી જાણતા તેનો ઉપયોગ

સફેદ વાળ પણ થઈ જશે કાળા

નારિયેળ તેલમાં મિક્સ કરીને લગાવો આ એક વસ્તુ, ગમે તેટલા સફેદ વાળ પણ થઈ જશે કાળા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોલેસ્ટ્રોલ, વજન ઘટાડવું, ઈમ્યૂનિટી અને પાચનની સમસ્યામાં ફાયદાકારક છે આ પાવડર, જાણો તેના અન્ય ફાયદા વિષે

કોલેસ્ટ્રોલ, વજન ઘટાડવું, ઈમ્યૂનિટી અને પાચનની સમસ્યામાં ફાયદાકારક છે આ પાવડર, જાણો તેના અન્ય ફાયદા વિષે

April 29, 2022
જો  અબજપતિ થવું હોય તો ધનતેરસના દિવસે આ 5 વસ્તુઓને ઘરની બહાર ફેકી દો, જાણો શું છે કારણ

જો અબજપતિ થવું હોય તો ધનતેરસના દિવસે આ 5 વસ્તુઓને ઘરની બહાર ફેકી દો, જાણો શું છે કારણ

November 12, 2020
શરદી-ખાંસી અને કફ થવા પર અજમાવો આ આયુર્વેદિક ઉપાય, તરત જ મળશે આરામ

શરદી-ખાંસી અને કફ થવા પર અજમાવો આ આયુર્વેદિક ઉપાય, તરત જ મળશે આરામ

August 6, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In