Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ગમે તેવી શરદી ઉધરસ અને કફ માટે આ એક વનસ્પતિ જ કાફી છે

Editorial Team by Editorial Team
November 2, 2022
Reading Time: 1 min read
0
ગમે તેવી શરદી ઉધરસ અને કફ માટે આ એક વનસ્પતિ જ કાફી છે
Share on FacebookShare on Twitter

આયુર્વેદમાં ઉધરસનું એક રામબાણ ઔષધ આપવામાં આવ્યું છે. આ ઔષધ છે ભોરીંગણી. ભોરીંગણી ખેતરોમાંથી મળી રહેશે. તેમજ ઓસડીયા વાળાની દુકાનેથી પણ મળી રહેશે. ભોરીંગણી આયુર્વેદમાં ખુબ જ ઉપયોગી ઔષધી છે. આ ભોરીંગણી કફનો સર્વાંગી રીતે નાશ કરનારી વનસ્પતિ છે. ભોરીંગણી ચોમાચા અને શિયાળામાં કોઈ પણ જંગલી વિસ્તાર કે ઉબડખાબડ વિસ્તારમાં ઉગી નીકળે છે. ખાસ કરીને નદીના પટમાં વધારે પ્રમાણમાં  ઉગી નીકળતી હોય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

ભોરીંગણી
ભોરીંગણી

ભોરીંગણી વાદળી ફૂલવાળી અને સફેદ ફૂલવાળી પણ ભોરીંગણી થાય છે. આયુર્વેદમાં આ બંને ભોરીંગણીનું ખુબ જ મહત્વ છે. આપણે જે રીંગણા ખાઈએ છીએ તેની મૂળ પ્રજાતિ આ ભોરીંગણી છે. ભોરીંગણી એ સમ્પૂર્ણ રીતે કફનો નાશ કરનારી છે. આપણા શરીરમાં વાયુ, પિત્ત અને કફ. એ ત્રિદોષના કારણે જે રોગ થાય છે. જેમાં વાયુનો રોગ આખા શરીરમાં ખુબ જ વ્યાપ્ત પ્રમાણમાં હોય છે. પિત્ત પણ આપણે ખુબ જ નડતર રૂપ છે.

એજ રીતે  કફ છે તે પણ આપણા ફેફસામાં જમા થાય છે.  જેના કારણે શરદી, ઉધરસ થાય છે. જેના લીધે તાવ આવે છે. હાથ પગના દુખાવા થાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ પણ શરીરમાં કફના કણો વધવાને કારણે થાય છે.  જેના લીધે લોહી ઘટ્ટ થાય છે, લોહી જાડું થાય છે.

ભોરીંગણીનો રસ આ રોગમાં ખુબ જ ચમત્કારિક પરિણામ આપે છે. ભોરીંગણી કંટક કુળની વાન્સ્પતિ છે. જેને દાંડલીથી માંડીને પાંદડા સુધી કાંટા હોય છે. આ ભોરીંગણીનો રસ કફ સાથે પીવાથી કોઇપણ પ્રકારનો કફનો રોગ શાંત થાય છે. ભોરીંગણીથી દમનો રોગ પણ શાંત થાય છે.

ભોરીંગણીથી શ્વાસ ચડ્યો હોય તો પણ મટે છે. આ ભોરીંગણીથી કવાથ પણ બને છે, જેનું ઘન દ્રવ્ય પણ બને છે. ભોરીંગણીથી ચૂર્ણ પણ બને છે.  કફ નાશક અનેક પ્રકારના દ્રવ્યો આ ભોરીંગણીથી બને છે.

ભોરીંગણી આપણા શરીરમાં કફને શાંત કરવા માટે અતિ ઉત્તમ અને ખુબ જ ઉપયોગી ઔષધી છે.  આ ભોરીંગણીની મહિનામાં ક અઠવાડિયે બે થી ચાર વખત પાન કરવામાં આવે તો અથવા તો તેની ધુમાડી લેવામાં આવે તો પણ કફમાં ફાયદો થાય છે.

આ ધુમાડી લેવાથી આપણા કફના કણો ઓગળી જાય છે અને શરીરમાંથી બહાર નીકળે છે.  આ રીતે ભોરીંગણીનો ઉપયોગ કરીને આપણે દવાખાને ગયા વિના જ આપણે કફનો નાશ કરી શકીએ. દવાખાનાના કે હોસ્પીટલના ખર્ચાથી બચી શકીએ છીએ.

આ સિવાય શરદી અને ઉધરસના ઈલાજ માટે આ ભોરીંગણી લાવીને તેને પાણીમાં નાખીને તેનો ઉકાળો કરવો.  આ ઉકાળો પીવાથી ઉધરસમાં સારી રાહત થશે. ભોરીંગણીના તૈયાર ઔષધો પણ મળે છે. તે લેવાથી આપણને રાહત થાય છે. પરંતુ બની શકે ત્યાં સુધી ઘરે ઉકાળો બનાવીને પીવો આપણા માટે શ્રેષ્ઠ રહેશે. આ ઉકાળો પીધા બાદ ઉપર મધ લેવાથી ખુબ જ ફાયદો થાય છે.

શરદી, ઉધરસ અને કફ સિવાય બીજી સમસ્યામાં પણ આ ભોરીંગણી ખુબ ઉપયોગી છે. આ ભોરીંગણીના બીજ દાંતના રોગોમાં પણ ઉપયોગી છે. આ બીજ પાયોરિયા જેવા દાંતમાંથી પરું અને રસી નીકળતા રોગને દુર કરે છે. જે દાંતમાં રહેલા કીડાનો નાશ કરે છે.

જે લોકોને ચામડીની સમસ્યા હોય ચામડી પર ફોલ્લીઓ થયેલી હોય, ગુમડા થયા હોય તો તેવી, ધાધર અને ખરજવું થયું હોય, ઉનાળામાં અળાઈ નીકળતી હોય તો તેવી સમસ્યામાં પણ આ ભોરીંગણી લાભ કરે છે. ચામડીના રોગમાં ભોરીંગણીના પાંદડાનું ચૂર્ણ કે પેસ્ટ બનાવીને લગાવવાથી ચામડીના રોગો નાશ પામે છે. સાથે પેટના રોગ પણ મટે છે.

ભોય રિંગણીનું ચૂર્ણ બનાવીને માથા પર લગાવવાથી માથામાં ખરતા વાળની સમસ્યા દુર થાય, માથાનો દુખાવો મટે છે.

ભોય રિંગણીના પાકા ફળને સુકવીને તેનું ચૂર્ણ બનાવીને ગાયના દૂધ કે ભેંસના દૂધ સાથે તેમાં થોડું મીઠું અને ખાંડ ભેળવીને સેવન કરવામાં આવે તો આંખના રોગો, નપુંસકતા જેવા રોગો મટે છે.

ભોરીંગણીનો મૂળ, કરિયાતું અને સુંઠનો 20 ટી 30 ગ્રામ જેટલો ઉકાળો દિવસમાં ત્રણ વાર પીવાથી સામાન્ય તાવ જલ્દીથી મટી જાય છે.  ભોરીંગણીનો 20 ગ્રામ રસ અને અનંતમૂળનું 20 ગ્રામ ચૂર્ણ એકત્ર કરી કાંજી સાથે લેવાથી  કફ અને મૂત્ર સાફ થઇ તાવનું જોર નરમ પડે છે અને તાવ ઉતરી જાય છે.  ભોરીંગણના મૂળ, સુંઠ અને ગળોના ઉકાળામાં મધ અને પીપરનું ચૂર્ણ ભેળવીને પીવાથી તાવ મટે છે.

ભોરીંગણીના મૂળનો ઉકાળો એક એક કલાકે બે ત્રણ વાર આપવાથી હેડકી મટે છે. ધોળી ભોરીંગણીના મૂળની છાલનું ચૂર્ણ સેવન કરવાથી હ્રદય સંબંધી બીમારીઓ દુર રહે છે. આ ચૂર્ણ 1 થી 2 ગ્રામની માત્રામાં લેવું જેથી તેની યોગ્ય રીતે જેરુરી માત્રામાં અસર થાય.

ભોરીંગણી, જીરા ને આમળાનું ચૂર્ણ મધમાં ચાટવાથી અસ્થમા દમ અને શ્વાસ સંબંધી રોગો મટે છે. ભોરીંગણીના પાન, ફળ, ફૂલ, છાલ અને મુળની ભૂકી દુધમાં લેવાથી અસ્થમા (દમ) હલકો પડે છે. ભોરીંગણીના ફળનો ઉકાળો સિંધ મીઠું અને હિંગ ભેળવીને પીવાથી ભયંકર અસ્થમામાં પણ ફાયદો કરે છે. નાની ભોરીંગણીના મૂળ, ધોળા જીરું અને આમળા સાથે બનેલા ચૂર્ણમાં મધ ભેળવીને ખાવાથી અસ્થમામાં રાહત થાય છે.

મસાલેદાર ખોરાક ખાવાથી અથવા કોઈ આડઅસરના લીધે ઉલ્ટી થઇ રહી હોય તો આ સમયે ભોરીંગણી ખુબ જ અસરકારક જડીબુટ્ટી છે. 10 થી 20 મિલી ભોરીંગણીના રસમાં 2 ચમચી મધ નાખીને સેવન કરવાથી ઉલ્ટીમાં રાહત મળે છે. અરડૂસી, ગળો તથા નાની ભોરીંગણીથી બનેલા ઉકાળાને ઠંડો પડ્યા બાદ તેમાં મધ ભેળવીને, 10 થી 20 મિલી માત્રામાં પીવાથી સોજો અને ખાંસી વગેરેમાં આરામ થાય છે. અને જેના લીધે થતી ઉલ્ટી બંધ થાય છે.

આમ, ભોય રિંગણી ખુબ જ ઉપયોગી છે. જે કફ, શરદી અને ઉધરસમાં રામબાણ ઔષધી હોવાની સાથે બીજી અનેક સમસ્યામાં પણ ફાયદો કરે છે. અમે આશા રાખીએ કે આ ભોરીંગણી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય છે અને તમને થતી શરદી અને ઉધરસ તેમજ કફની સમસ્યામાં ખુબ જ ફાયદો કરે.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
પાંચ પાંદડા આવી રીતે રાત્રે બાંધી ને સુઈ જાઓ દરેક દુઃખાવો ગાયબ થઇ જશે

પાંચ પાંદડા આવી રીતે રાત્રે બાંધી ને સુઈ જાઓ દરેક દુઃખાવો ગાયબ થઇ જશે

ડાર્ક સર્કલ ને 1 જ અઠવાડિયાદુર કરશે આ વસ્તુ

આંખોની ફરતે થયેલા કાળા કુંડાળા કે ડાર્ક સર્કલ ને 1 જ અઠવાડિયાદુર કરશે આ વસ્તુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શું તમે જાણો એરંડાના તેલનો આ રીતે ઉપયોગ કરવાથી નાબુદ થાય છે જટિલ બીમારીઓ

શું તમે જાણો એરંડાના તેલનો આ રીતે ઉપયોગ કરવાથી નાબુદ થાય છે જટિલ બીમારીઓ

April 20, 2022
Gujarat vidhans abha election

ગુજરાત વિધાન સભા બેઠકોની ચૂંટણી જાહેર, જાણો શા માટે થયું આવું ?

September 29, 2020
માત્ર 1 મીનીટ મા જ ગેસ, અપચો, આફરો ગાયબ કરી નાખશે આ ઉપાય

માત્ર 1 મીનીટ મા જ ગેસ, અપચો, આફરો ગાયબ કરી નાખશે આ ઉપાય

July 6, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In