અમે તમને આજના આ લેખ દ્વારા સીતાફળનું સેવન કરવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તેના વિશે તમને માહિતગાર કરીશું. સીતાફળને જો તમે ઋતુ પ્રમાણે ખાશો તો સારો એવો ફાયદો કરશે ખાસ કરીને જોઈએ તો સીતાફળ ખાવાથી સૌથી સારામાં સારી અને સૌથી વધુ જે ઋતુમાં ઉત્પાદન થતું હોય તો તે છે શિયાળાની ઋતુ.
શિયાળાની ઋતુમાં સીતાફળ ઢગલાબંધ મળી રહે છે, આ ઋતુમાં તમને સીતાફળ ઠેર ઠેર ઢગલાબંધ મળી રહેશે. તમે જો આ ઋતુ દરમિયાન સીતાફળ ખાશો તો તે સ્વાસ્થ્યને માટે ફાયદો કરે છે. સીતાફળ તમારી ત્વચા અને પેટ માટે પણ સારો એવો ફાયદો કરે છે. વાત કરીએ સીતાફળ વિશે તો તે એક મીઠું અને ઘણા બધા બીજ વાળું ફળ છે સીતાફળને ‘એનોના સ્ક્વોમાસા’ છે. ભારતમાં સીતાફળ ઘણા બધા અલગ અલગ નામેથી ઓળખાઈ છે.

સીતાફળમાં જોવા મળતા મુખ્ય વિટામિન્સ અને તત્વો : સીતાફળમાં કેલ્શિયમ, લોહ ફોસ્ફરસ, વિટામીન-સી, થાઈમીન, રીબોફ્લેવીન અને નીએસીન જેવા તત્વો અને વિટામિન્સ તેમાં સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. શિયાળામાં ઘણા બધા ફળો એવા છે કે જે ખાવાથી ખુબજ ફાયદો થાય છે અને તેમાં પણ સીતાફળનો સમાવેશ થયેલો જોવા મળે છે.
જેમ જેમ શિયાળાની ઋતુ જામતી જાય એટલે કે જેમ જેમ ઠંડી સૌથી વધુ પ્રમાણમાં થાય છે તેમ તેમ સીતાફળ ખવાની મજા આવે છે તેમજ ઠંડીના સમયમાં સીતાફળ વધુ પ્રમાણમાં મળી રહે છે. સીતાફળને શરીફાના નામથી પણ ઓળખવામાં આવે છે સીતાફળ મધુર સ્વાદિષ્ટ ફળ છે. જે લોકોને શિયાળામાં કફની સમસ્યા રહેતી હોય તે લોકોને આ સીઝન દરમિયાન સીતાફળનું સેવન કરવાથી સારો એવો ફાયદો થાય છે.
રોગપ્રતિકારક શક્તિ મજબુત કરે છે : શિયાળામાં મળી રહેતા સીતાફળ શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબુત કરવાની સાથે સાથે શરીરને એકદમ હેલ્ધી અને નીરોગી રાખે છે. સીતાફળમાં વિટામીન સી ભરપુર માત્રામાં મળી રહેતું હોવાથી જે શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિને બુસ્ટ કરવાની સાથે સાથે મોસમી બીમારીને પણ દુર રાખે છે.
આયર્નની ઉણપને દુર કરે છે : જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય તો તેને દુર કરવા માટે સીતાફળનું સેવન કરવામાં આવે છે. આ ઉપરાંત તમને જો નબળાઈ જેવું લાગતું હોય તો તેને પણ ઠીક કરી દેશે. તમે સીતાફળને ઘણી રીતે ખાઈ શકો છો સલાડ તરીકે, સ્મુધિ અને શેક બનાવીને પણ તમે તેનું સેવન કરી શકો છો.
વજન વધારે છે : જો તમારા શરીરનું વજન ઓછુ હોય તો તેને ઠીક કરવા માટે સીતાફળ ફાયદાકારક છે તમે નિયમિતપણે સીતાફળનું સેવન કરો છો તો તમારું વજન સારા એવા પ્રમાણમાં વધી જાય છે. સીતાફળ ખાવાથી શરીરને એનર્જી ભરપુર માત્રામાં મળી રહે છે તથા થાકેલા શરીરને એકદમ ફ્રેશ કરે છે.
હદય માટે ફાયદો કરે છે : સીતાફળ એ સ્વાસ્થ્ય માટે ફાયદો કરે જ છે તેમજ જો તમારું હદય નબળું પડી ગયું હોય તેમજ હદયના ધબકારા વધી ગયા હોય તથા હદયમાં ગભરામણ થતું હોય હદયની માંસપેશીઓ શીથીલ થઇ હોય તેમને માટે આ સીતાફળ ખુબજ ફાયદો કરે છે સીતાફળ હદયની માંસપેશીઓને તાકાત વધારીને હદયની ક્રિયાને કુદરતી રીતે મજબુત બનાવે છે.
લીહીની ખામીને મટાડે છે : જે વ્યક્તિને લોહીની ઉણપ હોય છે તે લોકોને માટે સીતાફળ ખાવું ખુબજ ફાયદો કરે છે આ ખામી ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતી હોય છે આ ઉપરાંત પણ જો તમારા શરીરમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હોય તો તેને છુટ્ટા પાડવા માટે પણ સીતાફળ ખુબજ ફાયદો કરે છે.
જો પ્રેગ્નન્ટ મહિલા જો સીતાફળનું નિયમિતપણે સેવન કરશે તો તેના જે ગર્ભ રહેલા બાળકનો સારો એવો વિકાસ થાય છે અને બાળક તંદુરસ્ત રહે છે.
ડાયાબીટીશ વાળા : તમે કદાસ આ સીતાફળનો ગુણ નહિ જાણતા હોવ કે તેની અંદર લો કેલરી અને એન્ટી હાઇપર ગ્લાયસેમીકના ગુણો ભરપુર પ્રમાણમાં હોવાને કારણે આપણી બોડીની અંદર વધુ પડતા શુગરના પ્રમાણને કંટ્રોલ કરવાનું કામ કરે છે તથા તે ડાયાબીટીશને પણ સાવ નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.
ચહેરાને ચમકતો બનાવે છે : સીતાફળની અંદર વિટામીન E ભરપુર માત્રામાં રહેલું હોવાથી ચહેરાને મોસ્યુંરાઈઝ કરવાનું કામ કરે છે. જો તમે સીતાફળનું નિયમિતપણે સેવન કરશો તો તેનાથી ચહેરો બને છે એકદમ ગોરો અને તેજસ્વી.
પાચનની સમસ્યા સામે ફાયદો કરે છે : જો તમે સીતાફળ ખાવાનું શરુ કરી દેશો તો પાચનશક્તિને લગતી કોઇપણ પ્રકારની સમસ્યાને ઠીક કરી દેશે તેનું મુખ્ય એ કારણ છે કે સીતાફળમાં કોપર અને ફાઈબરની માત્રા સારા એવા પ્રમાણમાં મળી રહેતી હોવાથી તે પાચનશક્તિને મજબુત કરે છે અને ખાધેલો ખોરાક પચાવવા માટે મદદરૂપ થાય છે. જો તમે ડાયેરિયા જેવી તકલીફથી પીડાઈ રહ્યા છો તો તમારે સીતાફળનું સેવન કરતા પહેલા તેને તડકામાં સુકવીને રાખવું અને આ સુકાઈ ગયેલા સીતાફળના પાઉડરનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે તેનું તમારે 1 ગ્લાસ પાણીમાં 1 ચમસી સીતાફળનો પાઉડર નાખીને મિક્સ કરીને પીઈ જવાથી ડાયેરિયા મટી જાય છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે : સીતાફળમાં કુદરતી રીતે વિટામિન્સ અને મિનરલ્સ ભરપુર માત્રામાં મળી રહેતા હોવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાનું કામ કરે છે સીતાફળ તમને અનેક બીમારીઓથી દુર રાખશે.
દાંતને રાખે છે પથ્થર જેવાં મજબુત : સીતાફળ એ દાંત માટે ખુબજ લાભદાઈ થાય છે તમે નિયમિત સીતાફળનું સેવન કરશો તો પેઢામાં થતા દુખાવાને દુર કરવાનું કામ કરે છે સીતાફળ જડબામાં થતી તકલીફને દુર કરે છે અને મોઢામાંથી આવતી દુર્ગંધને દુર કરવા માટે ઉપયોગી થાય છે.
કેન્સર સામે ફાયદો કરે છે : સીતાફળમાં એન્ટીઓક્સીડેન્ટ નામના ગુણો ભરપુર માત્રામાં મળી રહેતા હોવાથી તે શરીરને ફ્રી રેડીકલ્સથી લડવામાં મદદ કરે છે જેનાથી તમે કોઇપણ કેન્સર સામે લડી શકો છો અને તેની સામે રક્ષણ મેળવી શકો છો.
આ મુખ્ય બે તત્વો આપણી લાઈફમાં ખુબજ હોવા જોઈએ જે ભવિષ્યમાં હાર્ટને લગતી સમસ્યામાંથી છુટકારો અપાવે છે. વિટામીન C, વિટામીન B કોમ્પ્લેક્સ, વિટામીન B6 અને વિટામીન B12 જોવા મળતા તત્વો છે. અત્યારે વિટામીન B12 ની ખામી સૌથી વધારે લોકોમાં જોવા મળતી હોય છે જે લોકોને વિટામીન B12ની ખામી જોવા મળતી હોય તે લોકોએ સૌથી વધુ સીતાફળનું સેવન કરવું જોઈએ.
અસ્થમાની ઉણપને દુર કરે છે : જે લોકો અસ્થમાની તકલીફથી હેરાન થતા હોય છે તેમને માટે સીતાફળ ખુબજ ફાયદો કરે છે તમે જો સીતાફળનું સેવન કરશો તો તેનાથી તમારા ફેફસામાં આવેલો સોજો દુર કરે છે.
આમ, અમે તમને આ લેખના માધ્યમથી જો તમે શિયાળામાં ભરપુર સીતાફળ ખાવાથી થતા મુખ્ય ક્યાં ક્યાં ફાયદોઓ થાય છે તેની સંપૂર્ણ માહિતી આપી.