Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

શિયાળા ના ચાર મહિના આ તેલ સિવાય બીજા એકેય તેલ ખવાય નહિ

Deep Charaniya by Deep Charaniya
November 30, 2022
Reading Time: 1 min read
0
શિયાળા ના ચાર મહિના આ તેલ સિવાય બીજા એકેય તેલ ખવાય નહિ
Share on FacebookShare on Twitter

અત્યારે શિયાળાની ઋતુ શરુ થઇ ગઈ છે અને કડકડતી ઠંડી પડી રહી છે, તથા આયુર્વેદમાં અષ્ટાંગ હદય ગ્રંથની અંદર વાગ્ભટ્ટ ના જણાવ્યા અનુસાર જો તમે સૌથી સારામાં સારું તેલ           ખાવા માંગતા હોવ તો તરત તલ યાદ આવી જતા હોય છે અને એમાં પણ ખાસ વધુ કહીએ તો પણ કહી શકાય કે તેલ નામનો શબ્દ જ તલ ઉપરથી પડેલો છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

હજારો વર્ષ પહેલા મકાઈનું તેલ, સુર્યમુખીનું તેલ આમાંથી એકપણ તેલ નહોતું ત્યારે માત્રને માત્ર તલના તેલનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. આયુર્વેદ ગ્રંથમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે શિયાળાની અંદર માત્રને માત્ર તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ. કદાસ તમને ખબર નહિ હોય કે તલના તેલને ગરીબોનું ઘી કહેવામાં આવે છે. વસાણું બનાવવા માટે પણ તલના તેલનો ઉપયોગ થાય છે.

આયુર્વેદના જણાવ્યા અનુસાર કોઇપણ રોગ વાયુ, કફ અને પિત્ત ઉપર આધારિત છે. કદાસ તમે જાણતા નહિ હોવ કે જયારે આપણા શરીરમાં વાયુનો પ્રકોપ થાય છે ત્યારે વાયુને શાંત રાખવા માટે તેલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જયારે કફનો પ્રકોપ થાય છે ત્યારે કફને શાંત કરવા માટે મધનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પિત્તનો જયારે પ્રકોપ થાય છે ત્યારે તેને શાંત કરવા માટે ઘી નો ઉપયોગ થાય છે.

આ ચાલી રહેલી શિયાળાની કડકડતી ઠંડીમાં સૌથી વધુ પ્રમાણમાં વાયુનો પ્રકોપ થતો હોય છે. આપડી ચામડીમાં સ્નેહન દ્રવ્યમાં જે પાંચ પ્રકારે વાયુઓ હોય છે અને એમાંથી વ્યાન વાયુનો પ્રકોપ થાય છે પરિણામે ચામડીમાં રહેલા સ્નેહન દ્રવ્યને તે સુકવી નાખે છે તેથી આપણી સ્કીન એકદમ ડ્રાય થઇ જાય છે.

આ પ્રકારે ડ્રાય સ્કીન થઇ જવાથી આપણા હાથ-પગમાં ચીરા પડે છે, હોઠ ફાટી જતા હોય છે, ચહેરા ઉપર ગાલ ફાટી જવાથી ચહેરો તણાય તેવું લાગે છે, તથા આ સમસ્યા નાના નાના બાળકોમાં તો સૌથી વધુ જોવા મળે છે. આ સમયે જો માલીશ કરવા માટે તમે સૌથી સારામાં સારું તેલ વાપરવા માંગતા હોવ તો તે છે તલનું તેલ.

આયુર્વેદના જણાવ્યા અનુસાર શિયાળાના 4 મહિના ખાવા માટે તમારે માત્રને માત્ર તલના તેલનો જ ઉપયોગ કરવો જોઈએ. જો આપણે તલના તેલનો ઉપયોગ કરીશું તો 80 પ્રકારના વાયુના રોગોને દુર કરવાની તાકાત આ તલના તેલમાં હોય છે.

જો તમારા શરીરમાં પણ આ રીતે વ્યાન વાયુનો પ્રકોપ થવાથી શરીરના સાંધા દુખે છે, હાથ-પગમાં ચીરા પડી જતા હોય છે. હોઠ ફાટી જતા હોય વગેરે જેવી સમસ્યા થતી હોય તો તેને ઠીક કરવા માટે આ બધી જ સમસ્યામાં સ્નેહન આપવાનું કામ આ તલનું તેલ કરે છે.

મિત્રો જો તમારે શિયાળાની અંદર શરીર સારું અને તંદુરસ્ત રાખવું હોય તેમજ વાયુના રોગોનો શિકાર ન બનવું હોય તેમજ આપણી સ્કીન ને ફાટતી અટકાવવી હોય તો તમારે આ શિયાળાના 4 મહિના સુધી તલના તેલનો જ ઉપયોગ કરવો જોઈએ તેવુ આયુર્વેદનું કહેવું છે.

તમને બજારમાંથી જે તૈયાર બોટલના રૂપમાં જે તલનુ તેલ મળે છે તે ફિલ્ટર કરેલું તેલ મળે છે આ તેલમાં જે તલના પોષકદ્રવ્યો નીકળી જતા હોય છે માટે તમારે કોઇપણ ઘાણી ઉપર જઈને દેશી ઘાણીનું તમે તેલ લાવજો એ તમને થોડું મોંઘુ પડશે, થોડું રગડા જેવું લાગશે, દેખાવમાં સારું નહિ લાગે પરંતુ ખાવામાં તે સૌથી સ્વાદિષ્ટ લાગશે શરીર માટે ફાયદાકારક નીવડશે.

તમે આ તેલનો ઉપયોગ બધી રીતે કરી શકો છો ખીચડીમાં ઉપર ઘી રેડવા કરતા તલનું તેલ રેડશો તો વધુ ફાયદો થાય છે. દાળ-ભાતમાં પણ તમે તલના તેલનો ઉપયોગ કરી શકો છો. તમે શાકના વઘાર માટે પણ તલના તેલનો ઉપયોગ કરી શકો છો.

તમે રોટલી ઉપર પણ તલનું તેલ ચોપડીને ખાશો તો તેનાથી તમને ખુબજ ફાયદો થશે અને તમે વાયુના રોગોથી બચી શકશો. તમે બધા જાણો જ છો કે શિયાળાની ઋતુમાં જયારે ઉતરાયણ આવે છે ત્યારે આપણે તલની ચીક્કી ખાઈએ છીએ તેની પાછળનું આ જ મુખ્ય કારણ છે.

તમારે ખાસ યાદ રાખવાનું છે કે શિયાળાના 4 મહિના તમારે તલનું તેલ જ ખાવા માટે વાપરવું જોઈએ. તમે વધુ નહિ પણ અઠવાડિયામાં ફક્ત 2 દિવસ પુરતી તલના તેલથી આખા શરીર ઉપર માલીશ કરવાથી ફાયદો થાય છે. સવારે માલીશ કરીને તમે તડકામાં બેચવાથી ખુબજ ફાયદો થાય છે. તમે જેવું આ તલના તેલનું માલીશ કરીને એક કલાક બાદ સ્નાન કરવાથી ખુબજ ફાયદો થાય છે.

આ રીતે તમે કરશો એટલે ભયંકર ઠંડીની અંદર થતા વાયુના રોગોથી તમે બચી શકશો. માટે હું આશા રાખું છુ આ શિયાળાના 4 મહિના સુધી તમે તલના તેલનો ઉપયોગ કરશો એટલે તમને વાયુને લગતા એકપણ રોગ નહિ થાય. તમને તલનું તેલ થોડું ખરીદવામાં મોંઘુ પડશે પરંતુ પૈસા કરતા શરીર મહત્વનું છે.

આમ, અમે તમને આ લેખ દ્વારા શિયાળામાં તલનું તેલ ખાવાથી શું શું ફાયદો થાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
શિયાળામાં ઝડપી વજન ઘટાડવા માંગતા હોય તો ખાલી આ એક ટિપ્સ અનુસરો

શિયાળામાં ઝડપી વજન ઘટાડવા માંગતા હોય તો ખાલી આ એક ટિપ્સ અનુસરો

તમારા નખ ઉપર આવા ત્રણ પ્રકારના સફેદ નિશાન હોય તો ચેતી જજો

તમારા નખ ઉપર આવા ત્રણ પ્રકારના સફેદ નિશાન હોય તો ચેતી જજો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શિયાળામાં શેકેલા લસણ ની દરરોજ 3 કળી ખાવાથી થાય છે અદભુત ફાયદા, 24 જ કલાકમાં કરશે અસર

શિયાળામાં શેકેલા લસણ ની દરરોજ 3 કળી ખાવાથી થાય છે અદભુત ફાયદા, 24 જ કલાકમાં કરશે અસર

November 14, 2022
માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર

માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર

April 13, 2022
સવારે વાસી મોઢે પાણી પીતા હોય તો 3 બાબતો નું ધ્યાન રાખવું

સવારે વાસી મોઢે પાણી પીતા હોય તો 3 બાબતો નું ધ્યાન રાખવું

April 15, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In