મિત્રો આજે મારે તમને એક વિષય ઉપર માહિતી આપવી છે કે તે ફળની છાલને આપણે કચરો સમજીને બહાર ફેકી દેતા હોઈએ છીએ પરંતુ આજે તે છાલને વેસ્ટ માંથી બેસ્ટ કઈ રીતે બનાવી શકાય અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો ? અને તેનાથી ક્યાં ક્યાં મુખ્ય ફાયદાઓ થાય છે ? વગેરે વિશે તમને જરૂરી એવી માહિતી આપી દઈએ. આ ફળના બીજ પણ અસંખ્ય ગુણોનો ભંડાર છે માટે તેનો પણ ઉપયોગ કરવાથી ખુબજ ફાયદો અને રાહત છે.
આ ફળ આપણા સૌના ઘરમાં મોટા ભાગે ખવાતું હોય છે તો ચાલો તે ફળના નામ વિશે માહિતી મેળવી લઈએ. તે ફળનું નામ છે દાડમ. આપણે ઘણી વખત કોઇપણને દાંતની ઉપમા આપીએ છીએ ત્યારે કહેતા હોઈએ છીએ કે દાડમની કળી જેવા દાંત છે અથવા તો તેવા હોવા જોઈએ તથા દાડમના દાણાનો આકાર દાંત જેવો હોય છે.
દાડમની અંદર આયર્ન અને ફોલિક એસીડ ભરપુર માત્રામાં મળે છે, જયારે આપણા શરીરમાં લોહી ઓછુ હોય ત્યારે ડોક્ટર આપણને આયર્ન અને ફોલિક એસીડની દવાઓ આપતા હોય છે આ દવા કેમ આપે છે ? તેના વિશે થોડી માહિતી મેળવી લઈએ. ફોલિક એસીડની હાજરી વગર આયર્ન આપણા શરીરમાં ઓબ્જર્વ થતું નથી. એટલા માટે જ ફોલિક એસીડ દાડમમાં સારા એવા પ્રમાણમાં મળી રહે છે માટે દાડમ લોહી વધારવાનું કામ કરે છે.
જો તમને જોઈન્ડીસ, કમળો, એનીમિયા, સિકલસેલ વગેરેનો પ્રોબ્લેમ હોય તો દાડમનો રસ દરરોજ પીવાથી ખુબજ ફાયદો થાય છે તથા તેમાં સારા એવા પ્રમાણમાં પોટેશિયમ હોય છે જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. માટે જે લોકોને હાઈ બીપી હોય તેને દાડમના દાણાનો રસ કાઢીને પીવાથી ફાયદો થાય છે.
જે લોકોને સુગરની સમસ્યા હોય તે લોકો માટે દાડમના દાણાનો રસ પીશે તો તેને આ સમસ્યામાંથી ખુબજ રાહત થાય છે તે લોકો દરરોજ સવારે અને સાંજે 100 ગ્રામ જેટલો દાડમનો રસ પીશે તો તેને ખુબજ ફાયદો થાય છે.
આપણે જયારે દાડમ ખાઈએ છીએ પછી દાડમની છાલને બહાર ફેકી દઈએ છીએ પરંતુ તમને કદાસ ખબર નહિ હોય કે દાડમના દાણા કરતા દાડમની છાલનું મહત્વ અનેક ગણું વધારે હોય છે તમે દાડમની છાલને ક્યારેય પણ ફેકી ન દેતા.
તમારે દાડમની છાલને કાઢીને સુકવી નાખો ત્યારબાદ તેને ખાંડીને અથવા તો મિક્સરની મદદથી તેનો પાઉડર બનાવી લો. આ બનેલો પાઉડર એ એક અદ્ભુત દવા છે. આ દવા ક્યાં ક્યાં કામ લાગે છે તેના વિશે વાત કરી લઈએ તો અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે તેમાં સુકી ખાંસી અથવા તો કફ વાળી ખાંસી આપણને થઇ જતી હોય છે તથા જો તમને ઝાડા, મરડો થઈ જાય તેની આ દાડમની છાલ રામબાણ દવા છે.
એમાંથી જ બજારમાં દાડમાદિ ચૂર્ણ મળે છે બજારમાં તથા આપણે તેને કચરો સમજીને દાડમની છાલને ફેકી દઈએ છીએ માટે હવે પછી તમે તે પાઉડરને ફેકશો નહિ તેને સુકવીને તેનો પાઉડર બનાવી એક ડબ્બામાં રાખી મુકજો.
જ્યારે તમારા ઘરે કોઈને ઝાડા કે મરડો થાય, મરડો એટલે કે તમારા જાડામાં લોહી પડવું આવી સમસ્યા થતી હોય તો તેને ઠીક કરવા માટે આ ઉપાય ખુબજ કામ આવશે. જયારે તમારા ઘરમાં કોઈને ઉધરસ થઇ ત્યારે તેનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે તેના વિશે વાત કરી લઈએ તમારે 200 ગ્રામ જેટલું પાણી એક તપેલીમાં લેવાનું છે તેમાં તમારે 8 થી 10 નંગ લવિંગ વાટીને નાખી દેવાના છે તથા તેમાં 2 ચમસી દાડમની છાલનો પાઉડર નાખવાનો છે.
200 ગ્રામ પાણી પૈકી 100 ગ્રામ પાણી રહે ત્યાં સુધી બાળી દેવું ત્યારબાદ તેનું તમારે સવારે, બપોરે અને સાંજે સેવન કરવાથી તમારો મરડો, ઝાડા અને તમારી ગમે તેવી ઉધરસ હશે તો તેને ફક્ત એક જ દિવસમાં દુર કરી દેશે. તમે ફક્ત એકથી બે ડોઝ લેશો એટલે પછી તમારે ફરી વખત આ ડોઝ લેવો પણ નહિ પડે.
આમ, અમે તમને આ લેખના માધ્યમથી તમને દાડમ વિશે માહિતી આપી તેમજ દાડમના દાણા ખાવાથી શું શું ફાયદો થાય છે ? તેમજ દાડમની છાલનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ ? જેનાથી તમને સારો એવો ફાયદો થાય છે તેના વિશે તમને જરુરી એવી માહિતી આપી.